સૂર્યગ્રહણ 2019: સૂર્યગ્રહણમાં કેમ બંધ થઈ જાય છે મંદિરોના કપાટ, જાણો શું થાય છે એ વખતે
સૂતક દરમિયાન મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. મંદિરના પટ બંધ થયા બાદ ત્યાં શું થતુ હશે. આવો જાણીએ કે ગ્રહણ દરમિયાન મંદિરોને કેમ બંધ રાખવામાં આવે છે.
26 ડિસેમ્બરે વર્ષ 2019નું છેલ્લુ સૂર્યગ્રહણ શરૂ થઈ ચૂક્યુ છે. સૂર્યગ્રહણથી 12 કલાક પહેલા સૂતક શરૂ થઈ ચૂક્યુ છે. 25 ડિસેમ્બરની રાતે 8 વાગ્યાથી જ સૂતક લાગી ચૂક્યુ છે. ગ્રહણ પહેલા સૂતક કાળ શરૂ થતા જ મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવે છે. મંદિરોમાં પૂજા-પાઠ બંધ થઈ જાય છે. એવામાં ઘણી વાર લોકોના મનમાં સવાલ ઉઠે છે કે છેવટે કેમ સૂતક દરમિયાન મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. મંદિરના પટ બંધ થયા બાદ ત્યાં શું થતુ હશે. આવો જાણીએ કે ગ્રહણ દરમિયાન મંદિરોને કેમ બંધ રાખવામાં આવે છે.

ગ્રહણ દરમિયાન કેમ બંધ થઈ જાય છે મંદિરના કપાટ
ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ અનુસાર ગ્રહણ દરમિયાન સૂતક કાળ શરૂ થતા જ મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવે છે. માનવામાં આવે છે કે ગ્રહણનો પ્રભાવ નકારાત્મક હોય છે. એવામાં મંદિરને સૌથી પવિત્ર માનવામાં આવ્યા છે એટલા માટે મંદિરોને નકારાત્મકતાઓથી બચાવવા માટે મંદિરોને કપાટ બંધ કરી દેવામાં આવે છે. ગ્રહણના સમયે ભગવાનની મૂર્તિને સ્પર્થ કરવામાં આવતો નથી. સૂતક કાળ લાગુ થયા બાદ મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ આવુ એટલા માટે કરવામાં આવે છે જથી દેવી-દેવતાઓને ગ્રહણ સમયે પડતા ખરાબ પ્રભાવોથી બચાવી શકાય.

મંદિરોમાં ગ્રહણ દરમિયાન શું થાય છે
ગ્રહણ કાળમાં મંદિરોના કપાટ બંધ થયા બાદ દેવતાઓની મૂર્તિઓ પર તુલસીના પત્તા રાખી દેવામાં આવે છે. માન્યતાઓ મુજબ તુલસીના પત્તાથી ગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જાથી બચી શકાય છે. ગ્રહણ સમયે વાતાવરણમાં નકારાત્મક ઉર્જા અને ખારબ તત્વના પ્રભાવથી મંદિર જેવા પવિત્ર સ્થાનને સુરક્ષિત રાખવા માટે ભગવાનના પટ બંધ કરી દેવામાં આવે છે. ગ્રહણ દરમિયાન મંદિરોમાં ગાયત્રી મંત્રનો પાઠ કરવામાં આવે છે જેથી આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે.

ગ્રહણ બાદ થાય છે ખાસ પૂજા
ગ્રહણ ખતમ થયા બાદ આખા મંદિર પરિસર અને ભગવાના ગૃહને સાફ કરવામાં આવે છે. મંદિરની સફાઈ બાદ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ગ્રહણ બાદ દાનનુ ખાસ મહત્વ છે. કહેવાય છે કે ગ્રહણ બાદ સ્નાન કર્યા બાદ દાન આપવાથી બધા ખરાબ પ્રભાવ ખતમ થઈ જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
