Sarva Pitru Amavasya 2021: ક્યારે છે સર્વપિતૃ અમાસ? જાણો તેનુ મહત્વ
20 સપ્ટેમ્બરથી શરૂ થયેલ પિતૃ પક્ષનુ સમાપન 6 ઓક્ટોબરના રોજ થવા જઈ રહ્યુ છે.
નવી દિલ્લીઃ 20 સપ્ટેમ્બરથી શરૂ થયેલ પિતૃ પક્ષનુ સમાપન 6 ઓક્ટોબરના રોજ થવા જઈ રહ્યુ છે. શ્રાદ્ધના છેલ્લા દિવસે સર્વપિતૃ અમાસ હોય છે. આ દિવસે જે લોકોને પોતાના પિતૃઓની તિથિ ખબર ન હોય એ લોકોનુ તર્પણ કરવામાં આવે છે. આ દિવસનુ ખૂબ જ મહત્વ છે અને આ દિવસો લોકો પોતાના પૂર્વજો માટે ખાસ પ્રકારની પૂજા કરે છે જેનાથી આ વર્ષ વિદાય થતા પહેલા તે બધાને આશીર્વાદ આપે.

સર્વપિતૃ અમાસના દિવસે શું કરશો?
- આ વખતે સર્વપિતૃ અમાસના દિવસે ગજછાયા યોગ બની રહ્યો છે કે જે 8 વર્ષો પછી અમાસના દિવસે બનશે માટે આ વખતે આ દિવસનુ મહત્વ ખૂબ જ વધી જાય છે.
- સર્વપિતૃ અમાસના દિવસે ઘી, વસ્ત્ર અને તલનુ દાન કરવાથી વ્યક્તિના બધા કષ્ટો દૂર થઈ જાય છે.
- સર્વપિતૃ અમાસના દિવસે બ્રાહ્મણો, ગરીબો, કન્યાઓને ભોજન કરવવાથી વ્યક્તિને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.
- શ્રાદ્ધનુ ભોજન ગાય, કૂતરા અને કાગડાને પણ કરાવવુ જોઈએ. તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ હંમેશા જળવાઈ રહે છે અને આવકમાં બરકત આવે છે.
- સર્વપિતૃ અમાસના દિવસે ગીતાનુ પાઠ કરવાથી શાંતિ મળે છે.
- સર્વપિતૃ અમાસના દિવસે તુલસીના છોડમાં દીવો પ્રગટાવવાથી વ્યક્તિના ઘરમાં ખુશીઓ આવે છે.
- સર્વપિતૃ અમાસના દિવસે એક લોટામાં દૂધ, પાણી, કાળા તલ, મધ અને જવ મિલાવીને પીપળાના વૃક્ષમાં અર્પણ કરવાથી વ્યક્તિને કામમાં સફળતા અને પ્રેમ મળે છે.
આજના દિવસે આ મંત્રોથી કરો પૂજા
ॐ कुलदेवतायै नम:-
ॐ कुलदैव्यै नम:-
ॐ नागदेवतायै नम:-
ॐ पितृ देवतायै नम:-
ॐ पितृ गणाय विद्महे जगतधारिणे धीमहि तन्नो पित्रो प्रचोदया
શું ન કરવુ
- આજેના દિવસે કલેશ ન કરવો.
- ઝઘડો ન કરવો.
- કોઈની નિંદા ન કરવી.
- માંસાહારી ભોજન ન કરવુ અને બનાવવુ પણ નહિ.
- સંભોગ ન કરવો અને બ્રહ્મચર્યનુ પાલન કરવુ.
- ઘરમાં પૂજા-પાઠ કરવા.
- તુલસીની પૂજા કરવી અને દીપ પ્રગટાવવો.
પિતૃચાલીસા
હે પિતરેશ્વર આપકો દે દીયો આશીર્વાદ, ચરણાશીશ નવા દિયો રખદો સિર પર હાથ.
સબસે પહલે ગણપતે પાછે ઘરકા દેવ મનાવા જી.
હે પિતરેશ્વર દયા રાખિયો, કરિયો મન કી ચાયાજી.
ચોપાઈ
પિતરેશ્વર કરો માર્ગ ઉજાગર, ચરણ રજકી મુક્તિ સાગર.
પરમ ઉપકાર પિતરેશ્વર કીન્હા, મનુષ્ય યોણિમે જન્મ દીન્હા.
માતૃ-પિતૃ દેવ મન જો ભાવે, સોઈ અમિત જીવન ફલ પાવે.
જૈ-જૈ પિત્તર જી સાંઈ, પિતૃ ઋણ બિન મુક્તિ નાહિ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
