શાસ્ત્રોમાં વર્ણિત છે શરીર પર તેલ લગાવવાના નિયમ, ખોટા દિવસે લગાવવાથી થાય છે નુકશાન
પ્રાચીન કાળમાં શરીર પર તેલ લગાવવા માટેના દિવસો, તિથિઓ, વાર વગેરે બધા જ નિર્ધારિત હતુ. આ હજુ પણ ઘણા ઘરોમાં અનુસરવામાં આવે છે. જાણો આ અંગેના નિયમો.
નવી દિલ્લીઃ પ્રાચીન સમયમાં સ્નાન કરતા પહેલા શરીર પર તેલની માલિશ કરવાનો નિયમ હતો. આનાથી શરીરને રોગમુક્ત અને ઉર્જાવાન રાખવામાં મદદ મળે છે. આજકાલ જે ઘરોમાં જૂના જમાનાની દાદી હોય છે ત્યાં આજે પણ આ પરંપરાનુ પાલન કરવામાં આવે છે પરંતુ આધુનિક ઘરોમાં હવે આ પરંપરા લુપ્ત થઈ ગઈ છે. તેમની જગ્યાએ, હાઈ ક્લાસ મસાજ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે, જ્યાં લોકો પોતાને ઊર્જાવાન રાખવા માટે મસાજ કરાવવા આવે છે. આ હાઈ ક્લાસ સોસાયટીમાં શામેલ થઈ ગયુ છે. પરંતુ શું તમે જાણો છો કે પ્રાચીન સમયમાં તેલ માલિશનો સંબંધ શારીરિક સ્વાસ્થ્ય, ધર્મ, સંસ્કૃતિ, પ્રસિદ્ધિ અને નિષ્ફળતા વગેરે સાથે રહ્યો છે. પ્રાચીન કાળમાં શરીર પર તેલ લગાવવા માટેના દિવસો, તિથિઓ, વાર વગેરે બધા જ નિર્ધારિત હતુ. આ હજુ પણ ઘણા ઘરોમાં અનુસરવામાં આવે છે. આને તૈલાભ્યંગ કહે છે.

તેલ લગાવવાના નિયમ
નિર્ણયસિંધુ કહે છે કે તૈલાભ્યંગ કિષ્ટિ, એકાદશી, દ્વાદશી, અમાવસ્યા, પૂર્ણિમા, ઉપવાસ અને શ્રાદ્ધ પર ન કરવુ જોઈએ. રવિવાર, મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે શરીર પર તેલ ન લગાવવુ જોઈએ. પરંતુ આયુર્વેદની પદ્ધતિ અનુસાર સુગંધિત પુષ્પો, સિદ્ધ ષડવિંદુ અને મહાભૃંગરાજ વગેરેનો ઉપયોગ પ્રતિબંધિત સમયગાળા દરમિયાન પણ કરી શકાય છે. એ જ રીતે, સરસિયાનુ તેલ પણ પ્રતિબંધિત નથી. શાસ્ત્રોમાં મુખ્યત્વે તલના તેલનો નિષેધ જણાવવામાં આવ્યો છે.

કયા દિવસનો શું પ્રભાવ
નિર્ણયસિંધુએ કહ્યુ છે કે રવિવારે તેલ લગાવવાથી ગરમી એટલે કે તાવ આવે છે. સોમવારે શોભા વધે છે. મંગળવારે મૃત્યુ સમાન કષ્ટ આવે છે, બુધવારે તેલ લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે, ગુરુવારે નુકસાન થાય છે, શુક્રવારે દુ:ખ થાય છે અને શનિવારે શરીર પર તેલ લગાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે.

ઉપાય
જો નિષિદ્ધ વારોમાં તેલ લગાવવુ હોય તો રવિવારે ફૂલ, મંગળવારે માટી, ગુરુવારે દૂર્વા અને શુક્રવારે ગાયનુ છાણ તેલમાં નાખવાથી કોઈ નુકસાન થતુ નથી. સુગંધયુક્ત ફૂલોથી સુવાસિત, અન્ય પદાર્થોથી યુક્ત અને સરસિયાનુ તેલ દૂષિત નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
