રાવણે મંદોદરીને જણાવેલા 'સ્ત્રીઓના 8 અવગુણો'
રામાયણ કાળમાં રાવણે પોતાની પત્ની મંદોદરીને સ્ત્રીઓના 8 અવગુણો વિશે જણાવ્યું હતું, આવો જાણીએ રાવણે સ્ત્રીઓના કયા કયા 8 અવગુણો જણાવ્યા હતા.
રાવણ નું નામ આવે એટલે લોકો હંમેશા ખરાબ જ વિચારવા લાગે છે, કારણ કે તેણે માતા સીતાનું હરણ કર્યું હતું. બહુ ઓછા લોકો જાણે છે કે લંકાપતિ રાવણ એક મહાપંડિત હતો, જેણે કઠોર તપસ્યા કરી ઘણું બધુ જ્ઞાન મેળવ્યું હતું.
રાવણની પત્નીનું નામ હતું મંદોદરી, જેને તે ખૂબ પ્રેમ કરતો હતો. રામચરિત માનસ પ્રમાણે જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું ત્યારબાદ શ્રી રામ વાનર સેના સાથે લંકા પહોંચી ગયા હતા. ત્યારે મંદોદરી ગભરાઈ ગઈ હતી અને તેણે રાવણ પાસે જઈને કહ્યું હતું, કે તે સીતાને રામ પાસે પાછી મોકલી દે અને રામની માફી માંગી લે.
આ સાંભળ્યા બાદ રાવણ પોતાની પત્ની પર હસ્યો અને તેણે મંદોદરીને સ્ત્રીઓના આઠ અવગુણો જણાવ્યા. આવો જાણીએ આ 8 અવગુણો કયા કયા છે..

વધુ પડતું સાહસ
સ્ત્રીઓમાં વધુ સાહસ હોવું એ પહેલો અવગુણ છે. ઘણી વાર એવું બને છે કે, સ્ત્રીઓ પોતાના સાહસનું ખોટી જગ્યાએ પ્રદર્શન કરી દે છે, જ્યાં તેમણે ન કરવું જોઈએ. જેને કારણે તેઓ મુશ્કેલીમાં પડી શકે છે. સાહસને દુઃસાહસ ન બનાવવું જોઈએ.
જુઠ્ઠું બોલવાની ટેવ
સ્ત્રીઓનો બીજો અવગુણ છે વારંવાર તેમની જુઠ્ઠું બોલવાની ટેવ. રાવણે કહ્યું હતું કે, સ્ત્રીઓ નાની નાની વાતે જુઠ્ઠું બોલતી હોય છે, પણ તેમને એ ખબર નથી પડતી કે જુઠ્ઠું વધારે દિવસ છૂપાવી શકાતું નથી. ક્યારેક ને ક્યારેક તે બહાર આવી જ જાય છે.
ચંચળતા
સ્ત્રીનો ત્રીજો અવગુણ હોય છે ચંચળતા. સ્ત્રીઓનું મન વારંવાર બદલાયા કરતું હોય છે અને તેમના મનને જાણી શકવું ઘણું મુશ્કેલ હોય છે.
બીજાની વિરુદ્ધ કપટ કરવું
સ્ત્રીઓનો ચોથો અવગુણ છે બીજાની વિરુદ્ધ કપટ કરવું. જેનાથી પરિસ્થિતિ તેમને અનુકૂળ રહે. પોતાનું કામ કઢાવવા સ્ત્રીઓ શું શું કરે છે તેની પણ ચર્ચા અહીં રાવણે કરી છે.
જલ્દી ગભરાઈ જવું
રાવણના જણાવ્યા પ્રમાણે સ્ત્રીઓનો પાંચમો અવગુણ છે, જલ્દી ગભરાઈ જવું. સ્ત્રીઓ જેટલી સાહસી હોય છે, તેટલી જ જલ્દી ગભરાઈ પણ જાય છે. જો તેમને લાગે કે કામ તેમની મરજી પ્રમાણે નથી ચાલી રહ્યું તો તે બદલાવ જોઈને ડરી જાય છે.
થોડી ઘણી મૂર્ખ
છઠ્ઠા અવગુણ પ્રમાણે સ્ત્રીઓ થોડી ઘણી મૂર્ખ પણ છે. તે વિના સમજે વિચાર્યે કોઈ પણ નિર્ણય લઈ લે છે અને મોટી સમસ્યામાં પડી જાય છે. જે વાત તેમને ઘણા લાંબા સમય પછી સમજાય છે.
નિર્દયી હોવું
સ્ત્રીઓનો સાતમો અવગુણ છે નિર્દયીપણુ. સ્ત્રીઓને પુરુષોની સરખામણીએ દયાળુ માનવામાં આવે છે, પણ રાવણના કહેવા પ્રમાણે સ્ત્રીઓ નિર્દયી હોય છે. ઘણા બધા કિસ્સાઓમાં સ્ત્રીઓ બિલકુલ દયા દાખવતી નથી.
અપવિત્ર
આઠમો અવગુણ છે કે સ્ત્રીઓ ગમે તેટલી સુંદર હોય, સુંદર ઘરેણાં પહેરતી હોય, પણ તે સાફ-સફાઈનું ધ્યાન નથી રાખતી. જેને કારણએ રાવણે સ્ત્રીઓને અપવિત્ર કહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
