Pitru Dosha Upay: આ ઉપાયોથી પિતૃઓની નારાજગી કરો દૂર, મેળવો પિતૃદોષમાંથી મુક્તિ
Pitru Dosha Upay: જે ઘરમાં પૂર્વજોના આશીર્વાદ હોય છે, ત્યાં સુખ અને સમૃદ્ધિની કમી નથી હોતી. આવા ઘરમાં હંમેશા સુખ રહે છે એવું માનવામાં આવે છે.
પરંતુ તેનાથી વિપરિત જો પૂર્વજો ખુશ ન હોય તો પરિવાર ક્યારેય સુખી ન હોઈ શકે. ગમે તેટલી મહેનત કરવામાં આવે તો પણ સફળતા મળતી નથી અને ઘરમાં કંકાશ ચાલતો રહે છે.

આપણા પૂર્વજોની આત્માઓને ખુશ કરવા અને પોતાના પરિવાર પર તેમના આશીર્વાદ જાળવી રાખવા માટે વિવિધ ધાર્મિક વિધિઓનો આશરો લેવામાં આવે છે. પૂર્વજો અને પિતૃઓની આત્માની શાંતિ માટે 16 દિવસ સુધી શ્રાદ્ધ કરવામાં આવે છે, જેમાં તેમને તર્પણ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત, પિંડ દાન તેમના આત્માના સંતોષ માટે કરવામાં આવે છે.
જ્યોતિષમાં કાળા તલના કેટલાક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે, જેની મદદથી પૂર્વજોની નારાજગી દૂર કરી શકાય છે. તલના ઉપાયો વિશે જાણીએ જે પિતૃ દોષથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.
પૂર્વજોનો ગુસ્સો વધે એવું કોઈ કામ ન કરો
સૌથી પહેલા તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી પૂર્વજો નારાજ થાય. તમારે તમારુ આટરણ યોગ્ય રાખવુ જોઈએ અને ઘરના વડીલો સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ. તમારા પૂર્વજોને હંમેશા યાદ કરો અને તેમના આશીર્વાદ લો. ઘરની સમૃદ્ધિ અને વિકાસ માટે આ ખૂબ જ જરૂરી છે.
પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા કરો કાળા તલનો અચૂક ઉપાય
1. પિતૃ પક્ષ દરમિયાન તલથી પૂજા અવશ્ય કરવામાં આવે છે. કાળો રંગ શનિનું પ્રતીક માનવામાં આવે છે. તે જ સમયે, પૂર્વજો પણ શનિદેવ સાથે સંબંધિત છે. તમારા રસોડામાં રાખેલા કાળા તલ પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ અસરકારક છે. પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષની અમાવસ્યા તિથિએ તમારા પૂર્વજોને યાદ કરીને કાળા તલ પાણીમાં મિક્સ કરીને અર્પણ કરવા.
2. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન આપણા પૂર્વજો વિવિધ પ્રાણીઓના રૂપમાં આપણને મળવા આવે છે. આ જ કારણ છે કે આ સમયે કાગડાને ખવડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પિતૃ પક્ષ દરમિયાન તમારા ભોજનમાં કાળા તલ મિક્સ કરીને કાગડાને ખવડાવો. આ સિવાય શનિદેવને પાણી અને દૂધના મિશ્રણથી અભિષેક કરો.
3. આ સૌથી સરળ ઉપાય છે. તમારે શનિવારે કાળા તલનું દાન કરવું જોઈએ. પૂર્વજો પ્રસન્ન રહેશે અને તમને આશીર્વાદ આપશે અને તમારા પરિવારમાં આવતી પરેશાનીઓ પણ દૂર થશે.
4. પિતૃ પૂજા અથવા અનુષ્ઠાનમાં કાળા તલ અવશ્ય અર્પણ કરો. તમારા પૂર્વજોના ફોટાની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. તેમના આશીર્વાદ માંગો અને તેમનો આભાર માનો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
