જાણો નવરાત્રીમાં શા માટે કરવામાં આવે છે મા અંબાનો શૃંગાર?
નવરાત્રીના સમયે માતાના ભક્તો નવ દિવસ માતાનો શૃંગાર કરે છે. દુર્ગા સપ્તશતી અને પૂરાણોમાં માતાના શૃંગારનું વર્ણન છે.
નવરાત્રીના નવ દિવસ ભક્તો માતાને રીઝવવા અનેક યુક્તિઓ કરે છે. આ દરમિયાન સપ્તશતીનો પાઠ કરવો, નિયમિત માતાની પૂજા-અર્ચના કરવી, વિવિધ પકવાનો ધરાવો. માતાને ખુશ કરવા અનેક ઉપાયો કરવામાં આવે છે એમાંનો જ એક છે માતાનો શૃંગાર કરવો. માં અંબા દેવીઓની દેવી છે, જેની પાસે અપાર શક્તિ છે. માતા અત્યંત શક્તિશાળી અને સુંદર રહેવાને કારણે ભક્તો તેમનો શૃંગાર કરે છે. માતાનું રૂપ અનોખુ છે. નવરાત્રીના આ નવ દિવસ નવા નવા આભૂષણો, ચુંદડી, ફુલહાર, વસ્ત્રો દ્વારા માતાને સજાવવામાં આવે છે


માતાની સેવામાં તમામ દુઃખ વિસરાઈ જાય છે
માતાના ચરણોમાં ભક્તો તેમના તમામ દુઃખો ભૂલી જાય છે. માતા તેના બાળકોને જ્યારે મમતાની જરૂર પડે છે તે સમયે માતા પાર્વતી બની જાય છે અને જ્યારે તેના બાળકોના જીવનો સવાલ આવી જાય છે ત્યારે તે માતા કાળકાનું રૂપ ધારણ કરી લે છે. પરિણામે ભક્તો ખુશ થઈ માતાને સજાવે છે અને તેમની ચરણોમાં એટલા વિલિન થઈ જાય છે કે દુનિયાના દરેક દુઃખ, તકલિફોથી તેઓ પાર થઈ જાય છે.

માતા સાથે ભક્તોએ પણ સજવું
માતા તેના ભક્તોના દિલમાં વસે છે. પરિણામે માની જેમ તેમના ભક્તોએ પણ સજવું, નવા નવા વસ્ત્રો અને આભુષણો ધારણ કરવા જોઈએ. જેથી તમે પૂરી રીતે માતાને સમર્પિત થઈ જાવ છો. આમ કરવાથી તમે ખુશ અને શાંત રહેશો જે તમારા માટે ખૂબ જરૂરી છે. પરિણામે દુર્ગા સપ્તશતી અને પૂરાણોમાં માતાના શૃંગારનું વર્ણન છે.

આભૂષણો પહેરાવવા
ઘણી જગ્યાએ જોવા મળે છે કે ભક્તો માતાને ફૂલ-હાર ઉપરાંત મોતીઓ અને આભૂષણો પહેરાવી માતાને સજાવે છે. આ શૃંગાર કરતી વખતે ભક્તો ખૂબ નાચ-ગાન કરે છે. જેથી માતાના શૃંગારનો સમય માતાની ભક્તિનો મોહક હિસ્સો છે.

લીલા-પીળા વસ્ત્રો
એવું મનાય છે કે માતાને લાલ-પીળા રંગો અત્યંત પ્રિય છે અને તે આવા રંગોના વસ્ત્રો પહેરવું પસંદ કરે છે. આ કારણે લીલા-પીળા વસ્ત્રો પહેરાવી માતાને પ્રસન્ન કરવાના ભક્તો બનતા તમામ પ્રયત્નો કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
