જાણો નવરાત્રીમાં ક્યારે અને કેવી રીતે કરશો કન્યા પુજન
નવરાત્રીનો સમય એટલે દરેક ઘર-ઘર અને મંદિરોમાં માતાની પુજા કરવાનો સમય. જેમાં અનેક વિધી વિધાનો અને મંત્રો દ્વાર માતાને ખુશ કરવા પ્રયત્ન થાય છે. નવરાત્રીનો સમય એટલે માતાની ભક્તિમાં ડુબી જવાનો સમય. આ નવ દિવસ હિંદુ શાસ્ત્રો પ્રમાણે અતિ શુભ મનાય છે. જેમાં દરરોજ માતાના નવે નવ સ્વરુપોને રીઝવવા અનેક શાસ્ત્રીય વિધી-વિધાનો કરવામાં આવે છે. તેમાંની જ એક છે કન્યા પુજન.

પ્રાચિન કાળથી કન્યા બચાઓ અભિયાનને ધર્મ સાથે જોડી દેવાયુ છે. તેના ફળ સ્વરુપે આજે પણ નવરાત્રીના પવિત્ર દિવસોમાં કન્યાઓનુ પુજન કરવામાં આવે છે. આ દમિયાન સ્ત્રીના નવ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે, જે સ્ત્રીના વ્યકિતત્વમાં પહેલેથી હોય છે. નવરાત્રીના નવ દિવસ સુધી ઘર-ઘરે સ્ત્રીઓનુ પુજા થાય છે.

શાસ્ત્રાનુસાર કન્યા પુજન પાછળનુ ધાર્મિક કારણ
નવરાત્રીના આઠમાં દિવસે કન્યા પુજન પાછળ આપણા ઋષીમુનીઓનો ઉદેશ્ય 'કન્યા પુજન, કન્યા અત્યાચાર રોકો ' નો હતો. તે સમયે વિજ્ઞાન એટલુ ન્હોતુ વિકસ્યુ કે ભ્રુણ હત્યા થઈ શકે, માટે દિકરીઓ પર અત્યાચાર કરવામાં આવતા હતા. દિકરા-દીકરીમાં ભેદભાવ કરવામાં આવતો અને દિકરીઓ પર પોતાના નિર્ણયો થોપાતા. આ અત્યાચારોને રોકવા માટે આપણા મુનીઓ એ કન્યા પુજનનુ વિધાન રાખ્યુ હતું.

કયા દિવસે કરશો કન્યા પુજન
આમ તો નવરાત્રીના નવે નવ દિવસ કન્યાઓને ભોજન કરાવવુ લાભપ્રદ ગણાય છે. શાસ્ત્રો મુજબ કન્યા પુજન માટે આઠમનો દિવસ સૌથી સારો મનાય છે. નવરાત્રીના નવે-નવ દિવસના ઉપવાસ કરનારાઓએ નવમીના દિવસે કન્યા પુજન કર્યા બાદ ભોજન કરવુ.

કન્યા પુજનની વિધી
એક દિવસ અગાઉથી કન્યાઓને આમંત્રણ આપવુ જોઈએ. ત્યારબાદ બીજા દિવસે કન્યાઓનુ પુજન કરવુ. નવ કન્યાઓ સાથે એક છોકરો પણ હોવો જોઈએ. નવ કન્યાઓ સાથે એક છોકરાનુ પણ પુજન કરવુ. કન્યાઓ જ્યારે ઘરે આવે તે સમયે તેમના પર પુષ્પ વર્ષા કરી માતા દુર્ગાના નવે નામોનુ ઉચ્ચારણ કરી જયજયકાર કરવો જોઈએ.

ત્યારબાદ આ કન્યાઓને સ્વચ્છ આસન પર બેસાડી દુધ વડે તેમના પગ ધોવા જોઈએ. તેમના માથા પર કુમકુમ ચાંદલો કરી પુષ્પ વર્ષા કરવી જોઈએ. માતા ભગવતીનુ ધ્યાન કરી દેવી સ્વરુપ આ નવ કન્યાઓને તેમના પસંદનુ ભોજન કરાવવુ જોઈએ. ભોજનબાદ તમારી શક્તિ મુજબ તેમને કપડા, ઉપહાર કે દક્ષિણા આપી ચરણ સ્પર્શ કરી તેમના આશિર્વાદ લેવા જોઈએ.

સૂચના-નવરાત્રી સિવાય પણ દર મહિને એક વખત નવ કન્યાઓનુ પુજન કરી ભોજન કરાવવાથી ઘરમાં ક્યારેય દરિદ્રતા આવશે નહિં અને તમારી બધી ઈચ્છાઓ પુરી થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
