ધ્યાન/આધ્યાત્મિક સાધના માટે શું હોવા જોઈએ નિયમ?
આધ્યાત્મિક માર્ગે ચાલનારાઓ માટે સ્વામી શિવાનંદજીએ કેટલાક નિયમો આપ્યા છે. આવો જાણીએ આ નિયમો.
Dhyanna Niyam: આજની ફાસ્ટ લાઈફમાં માણસ ખૂબ જ પરેશાન છે. તે સફળતા મેળવવા માંગે છે પરંતુ તે મેળવી શકતો નથી. બધી સમસ્યાઓનુ મૂળ અજ્ઞાનતા, અવિદ્યા. અજ્ઞાનને દૂર કરવામાં આધ્યાત્મિક સાધનાઓ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ જો તમારે આધ્યાત્મિક અભ્યાસના માર્ગ પર ચાલવુ હોય તો કોઈ ગુરુનુ માર્ગદર્શન લો. આધ્યાત્મિક માર્ગે ચાલનારાઓ માટે સ્વામી શિવાનંદજીએ કેટલાક નિયમો આપ્યા છે.

- બ્રહ્મમુહૂર્ત જાગરણઃ સવારે 4 વાગ્યાનો સમય બ્રહ્મમુહૂર્તનો હોય છે. ચાર વાગે જાગીને આધ્યાત્મિક અભ્યાસ શરૂ કરો.
- આસન: જપ અને ધ્યાન માટે અડધો કલાક પદ્માસન, સિદ્ધાસન, સુખાસન પર પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને બેસો.
- મંત્રનો જાપઃ તમારી રુચિ અથવા સ્વભાવ પ્રમાણે, કોઈપણ મંત્ર ઓમ, ઓમ નમો નારાયણાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય વગેરેનો દરરોજ 1 માળાથી લઈને 200 માળાનો જાપ કરો.
- આહાર સંયમ: શુદ્ધ સાત્વિક આહાર લેવો. મરચુ, ખટાશ, લસણ, ડુંગળી, તેલ, સરસિયુ, હિંગ ટાળો. વર્ષમાં એકવાર એક પખવાડિયા માટે તમને સૌથી વધુ ગમતી વસ્તુ છોડી દો.
- મેડિટેશન રૂમ: મેડિટેશન રૂમ અલગ હોવો જોઈએ. જ્યારે તમે રૂમની બહાર હોવ ત્યારે તેને લૉક મારીને રાખો.
- દાન: દર મહિને અથવા દરરોજ તમારી ક્ષમતા અનુસાર દાન કરો.
- સ્વ-અધ્યયન: ગીતા, રામાયણ, ભાગવત, વિષ્ણુ સહસ્ત્રનામ, ઉપનિષદ વગેરે જેવા ધાર્મિક ગ્રંથોનો નિયમિત સ્વ-અભ્યાસ કરો.
- બ્રહ્મચર્યઃ વીર્યનુ ખૂબ જ કાળજીપૂર્વક રક્ષણ કરો. વીર્ય એ વિભૂતિ છે.
- સ્તોત્ર પઠન: જાપ અથવા ધ્યાન શરૂ કરતા પહેલા પ્રાર્થનાના કેટલાક શ્લોકો અથવા સ્તોત્રોનો પાઠ કરો.
- સત્સંગઃ નિરંતર સત્સંગ કરો. ખરાબ સંગ, ધૂમ્રપાન, માંસ, દારૂ વગેરેનુ સેવન ન કરો.
- વ્રતઃ એકાદશીનુ વ્રત રાખો. તે દિવસે ફક્ત દૂધ અથવા ફળો પર જ રહો.
- જપમાળા: તમારા ગળામાં જપમાલા પહેરો અથવા તેને તમારા ખિસ્સામાં રાખો. રાતે તેને તકિયા નીચે રાખો.
- મૌન: દરરોજ થોડા કલાકો માટે મૌન રહો. વાણી સંયમ: દરેક પરિસ્થિતિમાં સત્ય બોલો. ઓછુ બોલો મીઠી વાત કરો અપિરગ્રહ: તમારી જરૂરિયાતો ઓછી કરો.
- હિંસા ટાળો: ક્યારેય કોઈને દુઃખ ન આપો. પ્રેમ અને દયાથી ગુસ્સા પર નિયંત્રણ રાખો.
- આત્મનિર્ભરતા: નોકર પર આધાર રાખશો નહિ. તમારુ કામ જાતે કરો.
- આધ્યાત્મિક ડાયરી: રાત્રે સૂતા પહેલા, તમારી દિવસની ભૂલો પર વિચાર કરો.
- ફરજ પરિપૂર્ણતા: મૃત્યુ દરેક ક્ષણે તમારી રાહ જોઈ રહ્યુ છે. તમારી ફરજો નિભાવવામાં નિષ્ફળ ન થાઓ.
- ઈશ ચિંતન: સવારે ઉઠતાની સાથે અને રાત્રે સૂતા પહેલા ભગવાનનુ ચિંતન કરો.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
