ક્યારેય વિચાર્યુ શા માટે દરેક માળાના 108 મણકા હોય છે?
મનને એકાગ્ર કરવા મોળાઓનો જાપ કરવામાં આવે છે. આ માળાઓમાં 108 મણકાઓ જ શા માટે હોય છે ? તે જાણા વાંચો અહીં..
ભારતીય પૂજા પદ્ધતિમાં ધ્યાન એટલે કે મેડિટેશનને સૌથી વધુ અસરકાર અને મહત્વનું ગણવામાં આવ્યુ છે. એવું મનાય છે કે ધ્યાનમાં ઊંડે ઊતરવાથી આત્માનો પરમાત્મા સાથે સાક્ષાત્કાર થાય છે. આ ભક્તનો ભગવાન સાથે સંવાદ સ્થાપિત કરવાનો રસ્તો છે. ધર્મશાસ્ત્રોમાં અનેક મનુષ્યો, દેવો અને અસુરોનું વર્ણન જોવા મળે છે, જેમણે વર્ષો સુધી તપસ્યા કરી ધ્યાન લગાવી પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો, તેમના દર્શન કર્યા અને ઈચ્છિત વરદાન પ્રાપ્ત કર્યુ. એટલે કે ધ્યાન એક એવી શક્તિ છે, જે ભગવાનને પણ પ્રકટ થવા મજબૂર કરે છે.

શા માટે માળાનો જાપ કરવામાં આવે છે?
ધ્યાન લગાવવું, મનને એકાગ્ર કરવું થોડુ અઘરું કામ છે, કારણ કે માણસનું મન અત્યંત ચંચળ છે. ધ્યાનમાં બેઠા પછી પણ તે અનેક જગ્યાએ ભટકી આવે છે. આ મનને બાંધવા માટે હિંદુ ધર્મ પદ્ધતિમાં ધ્યાન સાથે માળાનો જાપ કરવાનો નિયમ બનાવામાં આવ્યો છે. દરેક વ્યક્તિના ભાગ્યફળના અધ્યયન માટે કુલ 12 રાશિઓ નક્કી કરવામાં આવી છે. હવે 9 ગ્રહો અને 12 રાશિઓનો ગુણાકાર કરવામાં આવે તો સંખ્યા આવે છે તે છે 108. આ રીતે ભારતીય પંચાંગ 27 નક્ષત્રોની પણ ગણના કરે છે.

દરેક પ્રકારની માળામાં 108 મણકા
એવું મનાવામાં આવે છે કે માળાના મણકા ગણવાની સાથે જાપ કરવામાં આવે તો તેટલા સમય માટે મન બંધાઈ જાય છે અને મન આમતેમ ભટકતુ નથી. ધ્યાન કરવા માટે અનેક પ્રકારની માળા ઉપલબ્ધ છે અને દરેકમાં એક જ વાત સમાન છે તેમાં રહેલા દાણાની સંખ્યા. ધ્યાન કરવા માટે કોઈપણ માળા તમે લો, તેમાં 108 મણકા અથવા દાણા કે મોતી હોય છે. આવું શા માટે આવો જાણીએ

માળાની પસંદગી
માળા અંગે એક વાત જાણી લઈએ કે, તમે કયા ઈષ્ટદેવનું ધ્યાન કરી રહ્યા છો, તેને અનુરૂપ માળાની પસંદગી કરવામાં આવે છે. જાપ કરવા માટે બજારમાં રુદ્રાક્ષ, તુલસી, સ્ફટિક, મોતી અથવા અલગ અલગ માણકાઓથી બનેલી માળા ઉપલબ્ધ છે. આ દરેક માળાની અસર અલગ છે અને દરેક દેવ પ્રમાણે એક માળા નક્કી છે. આ માળાઓમાં ખાસ પ્રકારની ચુંબકીય અને વિદ્યુત તરંગો હોય છે, જે જાપ કરવાની સાથે સાધકના શરીર અને આસપાસના વાતાવરણમાં પ્રસરે છે. પરિણામે પૂરતી માહિતી બાદ જ જાપની માળાની પસંદગી કરવી જોઈએ. જો તમે વિના કોઈ ઉદેશ્યે માત્ર મનની શાંતિ માટે ધ્યાન કરવા ઈચ્છતા હોવ તો તે માટે સૌથી શ્રેષ્ઠ છે રુદ્રાક્ષની માળા, રુદ્રાક્ષની માળાને ફેરવતા વાતાવરણમાં ચુંબકીય અને વિદ્યુતીય સાથે કીટનાશક તરંગો પણ નીકળે છે. જે સાધકની સાથે સાથે આસપાસનું વાતાવરણ પણ સ્વસ્થ અને બિમારી રહિત બનાવે છે.

108 મણકાનું રહસ્ય
આપણા જ્ઞાની સાધુઓએ ધાર્મિક કાર્યોમાં ઉપયોગ કરનારી દરેક વસ્તુઓને અનંત વૈજ્ઞાનિક શોધ બાદ કેટલાક નિર્ણયો લીધા છે. પૂજાની દરેક વસ્તુ તેમાંથી નીકળતી તરંગો અને પ્રકૃતિ પર પડનારી તેની અસરને અનુસાર માન્ય થઈ છે. જાપની માળા માટે પ્રકૃતિના વિભિન્ન ગ્રહો, નક્ષત્રો અને રાશિઓની ગણના કરીને જ મણકાની સંખ્યા નક્કી કરવામાં આવી છે. માળાના 108 મણકાની સંખ્યાનો આધાર આ ગણના છે-બ્રહ્માંડમાં નવગ્રહોને જ્યોતિષ ગણનામાં લેવામાં આવ્યુ છે. દરેક નક્ષત્રના 4 ચરણ મનાય છે. હવે 27ને પણ 4 સાથે ગુણવામાં આવે તો સંખ્યા 108 જ આવે છે. તેનો અર્થ એ છે કે જ્યારે કોઈ સાધક માળા ફેરવી રહ્યો હોય તો તે પોતાના દરેક સ્પર્શથી બ્રહ્માંડના 9 ગ્રહો, 12 રાશિઓ અને 27 નક્ષત્રોનો જાગૃત કરી રહ્યો હોય છે. આ કારણ છે કે નિયમિત રીતે, પવિત્ર મનથી, પૂરાં ધ્યાનથી માળા ફેરવવાથી તેના ચમત્કારી પરિણામો સામે આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
