આ સુરીલા સાધનો તમારા જીવનને ભરી દેશે સકારાત્મકતાથી !
પૂજા સમયે ઉપયોગમાં લેનારા વાદ્ય યંત્રોથી નીકળતો ધ્વનિ વાતાવરણને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જાને વધારે છે. જાણો આ અંગે વધારે અહીં.
સંગીતનું આપણા જીવનમાં મહત્વનું સ્થાન છે. પ્રાચિન કાળથી જ આપણી પૂજા પધ્ધતિમાં ઘંટડી, ઘડિયાળ, ખંજરી, મંજીરા જેવા અનેક પ્રકારના વાદ્ય યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તો વૈજ્ઞાનિક શોધથી આ સાબિત થઈ ચૂક્યુ છે કે પૂજા સમયે ઉપયોગમાં લેનારા વાદ્ય યંત્રોથી નીકળતો ધ્વનિ વાતાવરણને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જાને વધારે છે. ભારતીય સાથે પાશ્ચાત વાસ્તુ અને ફેંગશુઈમાં વિવિધ પ્રકારના વાદ્ય યંત્રોનો ઉપયોગ ઘરની સકારાત્મકતાને વધારવા માટે કરવામાં આવે છે. આવો જાણીએ એવા કયા કયા વાદ્ય યંત્રો છે જે સકારાત્મક વાતાવરણ બનાવવામાં મદદ કરે છે.

વાંસળી
ભગવાન કૃષ્ણ પ્રિય વાંસળી આધુનિક વાસ્તુ અને ફેંગશુઈનું એક અગત્યનું પાસુ છે. ઘરમાં નિયમિત વાંસળી વગાડવામાં આવે તો નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એવું જરૂરી નથી કે આ માટે તમને વાંસળી વગાડતા આવડવું જોઈએ. તમને આવડે તે રીતે વગાડી શકાય છે. જો વાંસળી વગાડવી ન હોય તો ઘરમાં ડ્રોઈંગ રૂમમાં પૂર્વ કે ઉત્તર દિવાલ પર લગાવો. તેનાથી ઘરના સભ્યો વચ્ચે સંબંધો મધૂર રહે છે.

વિંડ ચાર્મ
ફેંગશુઈ અનુસાર વિંડ ચાર્મથી નીકળનારો મધુર અવાજ શાંતિ પ્રદાન કરે છે. તેમાં લાગેલી નાની નાની ઘંટડીઓ જ્યારે હવા સાથે હલી સોફ્ટ મધુર અવાજ આપે છે ત્યારે આ ધ્વનિ ઘરમાં સકારાત્મક ઉર્જાનો ફ્લો વધારે છે. કર્કશ અવાજ વાળા વિંડ ચાર્મ કે મોટી મોટી ઘંટડી વાળા વિંડ ચાર્મનો ઉપયોગ કરવો નહિં. તેને પૂર્વ અને ઉત્તર તરફની બારી બાજુએ લગાવવું.

શંખ
શંખ હિંદુ પૂજાના પ્રમુખ અંગ છે. ઘરમાં નિયમિત રીતે શંખ વગાડવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે, તેની સાથે જ શંખના અવાજથી નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર રહે છે. ભૂત, પ્રેત, ખરાબ આત્માની નજર ઘર પર પડતી નથી. શંખ વગાડવાથી શત્રુઓનો નાશ થાય છે. શંખ વગાડનારા અને તેને સાંભળનારા અનેક રોગોથી મુક્તિ મેળવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
