ગ્રહ પ્રબળ છે કે નિર્બળ કઈ રીતે માલુમ કરવું, અહીં જાણો
ગ્રહ પ્રબળ છે કે નિર્બળ કઈ રીતે માલુમ કરવું, અહીં જાણો
આપણે હંમેશા આપણા પરિવારમાં, સંબંધીઓમાં, મિત્રો અથવા પરિચિતોમાં એવા કેટલાય ઉદાહરણ જોઈએ છીએ જેમાં માતા-પિતા સારા સંસ્કારી હોય છે પરંતુ તેમની એક કે બે સંતાનના આચરણ બહુ ખરાબ, દુરાચારી અથવા અપરાધિક પ્રકૃતિનો નીકળે છે. ક્યારેક આનાથી ઉલટું પરિણામ પણ મળે છે, અત્યાચારી, અપરાધી પ્રકારના માતાના ઘરમાં સદગુણી અને સદાચારી સંતાન પેદા થાય છે. ક્યારેય વિચાર્યું આવું કેમ? આનો જવાબ જ્યોતિષ શાસ્ત્ર આપે છે.

જણાવી દઈએ કે જાતકના વ્યવહાર અને ગુણોનું નિર્ધારણ તેના જન્મ સમયના બળવાન ગ્રહથી થાય છે. ગ્રહની ત્રણ પ્રકારના પ્રકૃતિ હોય છે સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. જો જાતકના જનમના સમયે સત્યગુણી ગ્રહ બળવાન હોય તો જાતક નિશ્ચિત રૂપે સદાચારી, પરોપકારી અને સેવાભાવી થશે. જો રજોગુણી ગ્રહ બળવાન હોય તો જાતક રાજસી જીવનશૈલી પસંદ કરનાર હોય છે અને જો તમોગુણી ગ્રહ બળવાન હોય તો જાતક ક્રોધી, અત્યાચારી અને દુરાચારી હોય છે.
गुरुशशिरवय: सत्वं रज: सितज्ञौ तमोअर्कसुतभौमौ ।एतेअन्तरात्मनि स्वां प्रकृतिं जन्तो: प्रयच्छन्ति ।।
અર્થાત- ગુરુ, ચંદ્રમા અને સૂર્ય તત્વગુણી, શુક્ર અને બુધ રજોગુણી અને શનિ તથા મંગળ તમોગુણી ગ્રહ હોય છે. આ ગ્રહ પ્રાણી માત્રના અંતઃકરણમાં પોતાના ગુણાનુસાર ગુણ પેદા કરે છે.
જન્મના સમયે જે ગ્રહ પર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય, શુભ ગ્રહોની સાથોસાથ શુભ સ્થાનમાં હોય. ગ્રહ પોતાના ઉચ્ચ નવાંશમાં હોય. ગ્રહની રાશિ, અંશ મજબૂત હોય તો ગ્રહ પ્રબળ હોય છે. તેના આધારે જ જાતકનો સ્વાભાવ અને ગુણ નક્કી થાય છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
