શા માટે શ્રાદ્ધ દરમિયાન ખરીદી અને શુભ કામો છે વર્જિત?
પિતૃપક્ષ દરમિયાન એવું મનાય છે કે આપણા પૂર્વજોની આત્મા દરેક સમયે આપણાથી જોડાયેલી રહે છે. પરિણામે તેમની આત્માની શાંતિ અને તેમના આશિર્વાદ માટે કોઈ શુભ કામ કરવાનું ટાળવું જોઈએ. આ અંગે વધુ વાંચો અહીં..
શ્રાદ્ધના શરૂ થતા જ હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે ઘર માં શુભ કામ કરવાના બંધ કરી દેવામાં આવે છે. એવું મનાય છે કે આ અશુભ સમય હોય છે અને આ દરમિયાન આપણા પૂર્વજો ફરીથી ધરતી પર આવે છે. આપણે આપણા ઘરમાં તેમની માટે શું કરીએ છીએ તે જોવા આવે છે. એકવાર જો તેઓ ખુશ થઈ જાય તો તેમની કૃપા દ્રષ્ટિ ઘર પર રહે છે અને તેમના આશિર્વાદથી તમે જીવનમાં આગળને આગળ સફળતા મેળવતા જાવ છો.

અશુભ સમય
શ્રાદ્ધનો સમય અશુભ મનાય છે. આ દરમિયાન ઘરમાં કોઈ ખુશી મનાવામાં આવતી નથી અને ન કોઈ ઉત્સવ મનાવામાં આવે છે. એટલું જ નહિં તમે ઘરમાં કોઈ નવા કપડા પણ ખરીદી લાવી નથી શકતા.

તમારી આસપાસ પિતૃઓની આત્મા રહે છે
આ દરમિયાન એવું કહેવાય છે કે આપણા પૂર્વજોની આત્મા દરેક સમયે આપણાથી જોડાયેલી રહે છે. પરિણામે તેમની આત્માની શાંતિ અને તેમના આશિર્વાદ માટે આપણે પૂરા વિધિ વિધાનથી તેમની પૂજા કરવી જોઈએ.

પિતૃઓ માટે કાઢો સમય
શ્રાદ્ધ દરમિયાન તમે પોતાની જાતને થોડા બદલો. તમે તમારી દિનચર્યાની કેટલીક આદતો છોડો અને પોતાના શોખને નિયંત્રિત કરો. વધુમાં વધુ આ સમયે પોતાના પિતૃઓ સાથે જોડાયેલા રહો, તેમની માટે પ્રાર્થના કરો, તેમને યાદ કરો.

પોતાની ભૂલ માટે માફી માંગવી
આ સમય દરમિયાન લોકો પોતાની ભૂલ માટે પિતૃઓની માફી માંગે છે અને તેમની યાદમાં પૂજા-પાઠ કરે છે. શ્રાદ્ધ ક્રિયા કરી પિતૃઓનું ઋણ ઉતારવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં કહેવાય છે કે શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ તમારી દરેક મનોકામનાની તૃપ્તિ કરે છે.

શા માટે કરાય છે તર્પણ
એવું મનાવામા આવે છે કે, આ 14 દિવસના સમયગાળા દરમિયાન પિતૃગણ ધરતી પર આવે છે. પિતૃલોકમાં આ સમયે પાણીની અછત થઈ જતી હોય છે, પરિણામે તેમના વંશજોથી તર્પણ કરાવવા તેઓ ધરતી પર આવે છે. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન પિતા દ્વારા લીધેલુ દેવું ઉતારી દેવું જોઈએ. પિતૃના દેવાને કારણે પણ આ દિવસોમાં શુભ કામ કરવામાં આવતા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
