આજે 'દેવઉઠી અગિયારસ', લગ્નની મૌસમ શરુ, જાણો લગ્ન મુહૂર્ત
દેવઉઠી અગિયારસથી લગ્નોની મૌસમ શરુ થઈ જાય છે. માંગલિક કામો કરવા માટેના શુભ મુહૂર્ત જાણો અહી...
નવેમ્બર 2016 ના રોજ દેવઉઠી અગિયારસ છે. આ દિવસ તુલસી વિવાહના નામથી પણ ઓળખાય છે. 4 મહિનાથી બંધ પડેલી લગ્નની સીઝનઆજથી ફરી શરુ થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ દિવસથી તમામ માંગલિક કામો ફરી શરુ થઈ જશે. દેવઉઠી અગિયારસ ઉત્તર ભારતમાં ઘણી ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે ઘરોમાં શેરડીની પૂજા થાય છે. ઉપરાતં તુલસી-વિવાહ માટે મંડપ સજાવવામાં આવે છે.

આ દિવસે વહેલા સવારે ઉઠી સ્વચ્છ થઈ નિર્જળા વ્રત કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. સૂર્યોદય સમયે સૂર્યદેવને અર્ધ્ય આપવુ. સાંજના સમયે શાલિગ્રામ રૂપ ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને રાત્રિ જાગરણ કરવુ. બીજા દિવસે સવારે બ્રાહ્મણને ભોજન કરાવી દાન-દક્ષિણા આપી વ્રત ખોલવુ.

તુલસી-વિવાહ
આ દિવસે માતા તુલસીના વિવાહ ભગવાન વિષ્ણુના રૂપ શાલીગ્રામ સાથે થયા હતા. તુલસીને વિષ્ણુપ્રિયા પણ કહે છે. જેને લગતી પુરાણોમાં એક કથા પણ છે. એવુ કહેવાય છે કે,આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાના શયન બાદ ઉઠે છે. પરિણામે તેને 'દેવઉઠી અગિયારસ' ના નામથી ઓળખવામાં આવે છે.

માન્યતા છે કે, જ્યારે હરિ જાગે છે, તો તે પહેલીપ્રાર્થના તુલસીની જ સાંભળે છે. તુલસીના માધ્યમથી જ શ્રી હરિનુ આહવાન કરવામાં આવે છે. આપણા જીવનમાં હર્ષ-ઉલ્લાસ જળવાઈ રહે તે માટે તુલસી વિવાહનુ આયોજન કરવામાં આવે છે. એવુ મનાય છે કે, જે દંપતિઓને સંતાન પ્રાપ્તિ નથી થતી તેમણે એક વાર તુલસી વિવાહ કરાવી કન્યાદાન જરૂર કરવુ જોઈએ.

અગિયારસ સહિત નવેમ્બર અને ડિસેમ્બરના લગ્ન મુહૂર્ત
2016 ના છેલ્લા બે મહિના નવેમ્બરમાં અગિયારસ સહિત 8 દિવસ અને ડિસેમ્બરમાં 9 દિવસ લગ્ન મુહૂર્ત છે.
લગ્ન મુહૂર્ત
નવેમ્બર-11, 16, 21, 23, 24, 25, 26 અને 30
ડિસેમ્બર-1, 3, 4, 5, 8, 9, 10, 12 અને 13
જ્યોતિષ પ્રમાણે 2016માં થનારા લગ્ન ઘણા સફળ રહેશે અને પતિ-પત્ની ઘણા ખુશ રહેશે. ઉપરાંત આ વર્ષે ખરીદેલી કોઈપણ મિલકત જાતકને નફો કરાવશે, ત્યાંજ આ શુભ સમયે થયેલુ કોઈપણ કામ સુખ અને શાંતિ લાવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
