રાશિ મુજબ આ રીતે કરો ભોળેનાથની પૂજા અર્ચના
શ્રાવણ મહિનાની શરૂઆત હવે થવાની છે. ત્યારે સમગ્ર માસમાં અનેક શિવભક્તો ભોળે ભંડારીની પૂજા અર્ચના કરીને પૂન્યતા મેળવે છે. તો બીજી તરફ જલ્દીથી પ્રસન્ન થતા શંકર ભગવાન પણ તેમના ભક્તો પર તેમની કૃપા બનાવી રાખે છે.
આમ તો ભગવાન શંકરની જો તમે સાચા મને પૂજા કરો તો ભોળેનાથ પ્રસન્ન જરૂરથી થાય છે. પણ તેમ છતાં જ્યારે તમે તમારી રાશિ મુજબ શિવજીની પૂજા અર્ચના કરો છો ત્યારે તમે થોડુંક જ કરીને વધુ પુણ્ય કમાઇ લો છો.
વળી કહેવાય છે કે દરેક રાશિના જાતકોએ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરતા પહેલા પાણીમાં કાળી તલ મેળવીને નાહવું જોઇએ. સાથે જ આ માસમાં વૃક્ષારોપણ કરવાનું પણ ખાસ મહત્વ છે.
ત્યારે આ મહિનામાં દરેક વ્યક્તિને એક વૃક્ષનો રોપવું જ જોઇએ. ત્યારે રાશિ મુજબ શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવા માટે જુઓ આ ફોટોસ્લાઇડર...

મેષ રાશિ
મેષ રાશિના વ્યક્તિએ પાણીમાં ગોળ મેળવીને શિવજીનો જળાભિષેક કરવો જોઇએ, વળી ભગવાનને ભોગ લગાડવા માટે મીઠા ભાત કે મીઠી રોટલી પ્રસાદીમાં મૂકવી જોઇએ. તથા શિવજીને લાલ ચંદનના તિલક લગાવાથી પણ લાભ થાય છે.

વૃષભ
વૃષભ રાશિના લોકોએ શિવજીને દહીંનો અભિષેક કરવો જોઇએ. સાથે જ સફેદ ચંદન, ચોખા, સફેદ ફૂલ અને અક્ષત ચઢાવવાથી આ જાતકોને વધારે ફળલાભ મળે છે.

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોએ શેરડા રસથી શિવજી પર અભિષેક કરવો જોઇએ. વળી મગ, લીલું ધાસની શિવજીની પૂજા કરવી જોઇએ.

કર્ક
કર્ક રાશિના જાતકોએ શિવજીની પૂજા ધીથી કરવી જોઇએ. વળી કાચું દૂધ, સફેદ આંકડાના ફૂલ અને શંખપુષ્પીની શિવજીની પૂજા કરવી જોઇએ.

સિંહ
સિંહ રાશિના જાતકોએ ગોળના પાણીથી શિવજીનો અભિષેક કરવો જોઇએ. અને ગોળ અને ભાતથી બનેલી ખીરનો પ્રસાદી તરીકે ઉપયોગ કરવો જોઇએ. આંકડાના ફૂલ ચઢાવવા જોઇએ.

કન્યા રાશિ
કન્યા રાશિના વ્યક્તિએ ગોળના રસથી શિવજીનો અભિષેક કરવો જોઇએ. સાથે જ ભાંગ, દુર્વા અને પાન ચઢાવીને શિવજીની પૂજા કરવી જોઇએ.

તુલા રાશિ
તુલા રાશિના જાતકોએ ઇત્ર કે સુગંધિત તેલથી શિવજીનો અભિષેક કરવો જોઇએ, સાથે જ દહીં, મધ, અને શ્રીખંડનો પ્રસાદ ચઢાવો જોઇએ. વળી શિવજીની પૂજા માટે સફેદ ફૂલનો ઉપયોગ કરવો જોઇએ.

વૃશ્ચિક
પંચામૃતથી શિવજીનો અભિષેક કરો, સાથે જ લાલ ફૂલથી શિવજીની પૂજા કરો.

ઘનુર
દૂધમાં હળદળ મેળવીને શિવજીને અભિષેક કરો. ચણાના લોટ (બેસન)થી બનેલી વસ્તુઓની મીઠાઇનો શિવજીને ભોગ ચઢાવો. પીળા કે ગલગોટાના ફૂલથી શિવજીની પૂજા કરો.

મકર રાશિ
નારિયળના પાણીની શિવજીનો જળાભિષેક કરો. સાથે જ અડદની દાળથી તૈયાર થયેલા મિષ્ઠાનનો ભોગ શિવજીને ચઢાવો. વાદળી રંગના કમળના ફૂલથી શિવજીની પૂજા કરો.

કુંભ
કુંભ રાશિના જાતકોએ તલના તેલનો અભિષેક શિવજી પર કરવો જોઇએ. અને અડદથી બનેલી મીઠાઇને પ્રસાદી તરીકે ચઢાવવી જોઇએ. તેનાથી શનિની પીડા પણ ઓછી થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
