આ ભૂલોથી તૂટી શકે છે કડવા ચોથનું વ્રત, જાણો કડવા ચોથના વ્રતમાં શું કરવું અને શું ન કરવું?
Karwa Chauth 2024: કડવા ચોથનું વ્રત દરેક પરિણીત મહિલાઓ માટે ખૂબ જ ખાસ હોય છે. મહિલાઓ આખા વર્ષ દરમિયાન આ દિવસની રાહ જોતી હોય છે. તેઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે આ વ્રત રાખે છે.
હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, કડવા ચોથના દિવસે કેટલીક ભૂલો કરવાથી વ્રત તૂટી શકે છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, કડવા ચોથના વ્રત દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના દિવસે કડવા ચોથ ઉજવવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ કડવા માતાની પૂજા કરે છે, અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.
એવું માનવામાં આવે છે કે, કડવા ચોથનું વ્રત મહિલાઓ માટે સૌભાગ્ય અને સુખ લાવે છે, પરંતુ કેટલીક ભૂલો ઉપવાસને તોડી શકે છે, જેના કારણે તેનું પૂણ્ય ફળ મળતું નથી. જે કારણે કડવા ચોથના દિવસે શું કરવું અને શું ન કરવું તે વિશે પહેલાથી જ જાણી લેવું જોઈએ.
હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે કડવા ચોથની ચતુર્થી તિથિ 19 ઓક્ટોબરની સાંજે 6:16 કલાકે શરૂ થશે. જે 20 ઓક્ટોબરની બપોરે 3:40 કલાકે સમાપ્ત થશે. મુખ્ય વ્રત 19 ઓક્ટોબરના રોજ રાખવામાં આવશે.
પૂજાનો શુભ સમય સાંજે 5:45 થી 7:04 સુધીનો રહેશે, અને ઉપવાસનો સમય સવારે 6:34 થી રાત્રે 7:22 સુધીનો રહેશે.

કડવા ચોથના વ્રત દરમિયાન શું કરવું?
- સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો.
- સ્વચ્છ કપડાં પહેરો, ઘરમાં મંદિર સાફ કરો અને કડવા માતાની વિધિવત પૂજા કરો.
- તમામ ઉપવાસ કરનારી મહિલાઓએ સોળે શ્રૃંગાર કરવા જોઈએ.
- રાત્રે પૂજા બાદ ચંદ્ર જોઈને ઉપવાસ છોડવો જોઈએ.
- પ્રસાદ વહેંચો અને યથાશક્તિ મુજબ દાન કરવું જોઈએ
- કડવા ચોથના દિવસે દાનનું વિશેષ મહત્વ છે.
કડવા ચોથના વ્રત દરમિયાન શું ન કરવું જોઈએ?
- મોડે સુધી સૂવું નહીં.
- કોઈની સામે દુર્વ્યવહાર કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરશો નહીં.
- તમારી મેકઅપની વસ્તુઓ બીજા કોઈને ન આપો.
- કાળા કપડાં પહેરવાનું ટાળો.
- વધારે પડતું બોલવાનું કે કોઈની અવગણના કરવાનું ટાળો. જૂઠું પણ ન બોલો.
- પતિ-પત્ની વચ્ચે ઝઘડો ન હોવો જોઈએ.
- પારણા બાદ માંસાહારી ખોરાક ન ખાવો. પતિએ પણ માંસ અને દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
