14 જુલાઇથી સિંહ રાશિમાં પ્રવેશશે ગુરુ, તમારી રાશિ પર પ્રભાવ જાણો
વિક્રમ સંવત 2072માં અષાઢ કૃષ્ણ પક્ષ દિનાંક 14 જુલાઇ 2015ના રોજ, મિથુનમાંનો ચંદ્રમા ગુરુ ગ્રહ મઘા નક્ષત્રના આધિન સવારે 6:26 વાગ્યે સિંહ રાશિમાં ગોચર કરવાનું પ્રારંભ કરશે. જે 11 ઓગસ્ટ 2016 સુધી આ જ રાશિમાં ફરતો રહશે.
ત્યારે આ ભ્રમણથી તમારી રાશિ પર શું પ્રભાવ પડશે અને ભારતનું ભવિષ્ય શું રહેશે તે જાણો.
ભારત પર અસર
ગુરુ રાશિમાં સંક્રમણ કરતા દેવ, બ્રહ્મણ એટલે કે ધર્મ અને નિષ્ઠાવાન તથા સજ્જન વ્યક્તિઓનું માન-સન્માન વધશે. તેવામાં ભારત દેશમાં નિમ્ન પ્રભાવ પડવાની સંભાવના છે.
1. પીત્તળ, તાંબુ, ચાંદી, ભાત, ધઉં અને તેલ જેવી વસ્તુઓ મોંધી થશે.
2. વિષધારી જીવજંતુઓના રોગ, ડેન્ગ્યુ, મલેરિયા જેવી બિમારીઓનો પ્રકોપ વધશે.
3. દક્ષિણ કોરિયામાં ફેલાયેલા મર્સથી ભારતે પણ સાવધાન રહેવાની જરૂર.
4. જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના મધ્ય સુધી સારો વરસાદ થશે.
5. શાસકોમાં વિવાદ અને પ્રધાનોને શારિરીક કષ્ટ સહન કરવો પડશે.
6. દેશના કોઇ ભાગમાં નવી પ્રકારનો શુભારંભ થશે.
7. પૂર્વોત્તર રાજ્યોમાં સારો વરસાદ થશે, આર્થિક સશક્તિકરણ આવશે.
8. રાજનૈતિક ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે.
9. ભારતની અર્થવ્યવસ્થા તેજીથી વધશે.
ત્યારે તમારી રાશિ પર આનો શું પ્રભાવ પડશે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

મેષ- ઉન્નતિ થશે
નવ વિવાહિત વર્ગને સંતાન પ્રાપ્ત થશે. વુદ્ધિનો વિકાસ, મિત્રોથી લાભ, આધ્યાત્મિક ઉન્નતિ અને વિદ્યાઅભ્યાસમાં વૃદ્ધિ થશે. વળી તમારી ઉન્નતિમાં વધારો થશે.

વૃષભ- લાભ મળશે, માતાને કષ્ટ
દામ્પત્ય અને પુત્ર સુખમાં વધારો થશે. શાસનથી જોડાયેલા લોકોને લાભ થશે. ગુપ્ત સંબંધ ઉજાગર થશે. ભૂમિ અને પ્રોપર્ટીથી ધન લાભ થશે. માતાને કષ્ટ પડશે.

મિથુન
જીવન સાથી સાથે પ્રેમ વધશે, પ્રગતિ થશે, પરાક્રમ બનશો. ભાઇઓ સાથે વિરોધ થશે. જીવનસાથી જોડે મધુરતા વધશે.

કર્ક
ઘનનો લાભ થશે. ભૌતિક વસ્તુઓ મેળવશો. મહિલાઓ સત્સંગ કરવાનો અવસર મળશે. નોકરીમાં પ્રગતિ અને ભાગ્યમાં વુદ્ઘિ થશે.

સિંહ
મિત્ર, સંતાન, પરિવાર તમને સુખ આપશે. ભાગ્યમાં વૃદ્ધિ અને શાસનમાં લાભ થશએ. ધર્મ કર્મના કાર્ય વધશે. યાત્રાનો અવસર મળશે. માથામાં ઇજા કે માથાનો દુખાવો જેવી સમસ્યા આવી શકે છે.

કન્યા
અધિકારીઓથી ભય બનેલો રહેશે. મિત્રોથી વેર વધશે. અનેક પ્રકારની ચિંતાઓ વધશે. ઘનનો વ્યર્થ થશે. માતાથી લાભ થશે અને વાહનથી સુખ મળશે.

તુલા
રજત પદ મળશે. ઐશ્વર્ય અને વાહન સુખ મળશે. અનેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થશે. તમે પરાક્રમ અને બુદ્ધિ બળે આગળ વધશો. અનેક પ્રયાસો બાદ પણ વિરોધી તમારું કોઇ નુક્શાન નહીં કરી શકે.

વૃશ્ચિક
ગુરુ માન-સન્માન અને વુદ્ધિમાં ઉત્સાહ વધારશે. શનિનો પ્રકોપ ઓછો થશે. સારા ફળો મળશે.

ઘનુષ
ગુરુ તમારી બુદ્ધિ અને સ્ત્રી વિલાસમાં વધારો કરાવશે. ભાગ્ય ફળ મિશ્રત રહેશે. તમે તમારા દમ પર આગળ વધશો. ભાગ્યનો સપોર્ટ થોડો ઓછો મળશે.

મકર
મિત્રોથી વેર વધશે. બુદ્ધિ ભ્રમિત થશે. પૈસાનો પણ નાશ થશે. ઉત્સાહમાં ઓછો થશે. સસુરાલ પક્ષથી ટકરાવની પણ સંભાવના છે.

કુંભ
કેટલાક લોકોને પરદેશ યાત્રા કરવાનો લાભ મળી શકે છે. સુખ અને વ્યવસાયમાં લાભ પણ બતાવે છે. જીવનસાથી સાથે મતભેદ થશે. ઘનનો લાભ થશે.

મીન
કુંટુંબમાં વિરોધ, શત્રુવુદ્ઘિ, બળમાં હાનિ અને પૈસાનો નાશ તેમ જ ઘરમાં નાની મોટી ચિંતાઓ રહેશે. રોગમાં વધારો થશે અને મામા પક્ષથી તનાવ રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
