Indira Ekadashi 2022: પિતૃઓને મોક્ષ અને અગ્રજોને સુખ આપે છે 'ઈંદિરા એકાદશી'
અશ્વિન મહિનાના પ્રથમ 15 દિવસ પૂર્વજોના દિવસો છે, જેને પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે. આ સમયગાળામાં આવતી એકાદશીનુ ઘણુ મહત્વ છે.
નવી દિલ્લીઃ અશ્વિન મહિનાના પ્રથમ 15 દિવસ પૂર્વજોના દિવસો છે, જેને પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે. આ સમયગાળામાં આવતી એકાદશીનુ ઘણુ મહત્વ છે. એકાદશીને આમ પણ મોક્ષ પ્રદાયિકા કહેવામાં આવે છે અને જ્યારે તે પિતૃ પક્ષમાં આવે છે ત્યારે તેનુ મહત્વ ઘણુ વધી જાય છે. અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની આ એકાદશીને ઈન્દિરા એકાદશી કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયુ છે કે જે વ્યક્તિ ઇન્દિરા એકાદશીનુ વ્રત કરે છે તે પિતૃઓને તૃપ્ત કરીને તેમને મોક્ષ આપે છે, તે જ રીતે વ્રત કરનાર વ્યક્તિ પૃથ્વી પર રહીને સર્વ સુખ ભોગવે છે અને મૃત્યુ પછી ભગવાનના વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે છે.

ઇન્દિરા એકાદશીનુ વ્રત કરનાર વ્યક્તિ તેનુ પુણ્ય પિતૃઓને પ્રદાન કરે તો પિતૃઓને મોક્ષ મળે છે. ઈન્દિરા એકાદશી 21 સપ્ટેમ્બર 2022 બુધવારે આવી રહી છે. આ દિવસે ભગવાન વિષ્ણુને કાલાકંદ અથવા માવાની મીઠાઈનુ નૈવેધ અર્પણ કરવુ જોઈએ. આ પદાર્થોથી પિતૃઓને ધૂપ આપવાથી તેઓ સંતુષ્ટ થાય છે અને શુભ આશીર્વાદ આપે છે.
ઈન્દિરા એકાદશી વ્રત વિધિ
ઈન્દિરા એકાદશીના એક દિવસ પહેલા અથવા દશમીના દિવસે એક સમય ભોજન કરવુ જોઈએ. રાત્રે ભોજન ન લેવુ અને દાંતની યોગ્ય કાળજી લેવી. એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાનાદિ કરી લો. શુદ્ધ સફેદ વસ્ત્રો પહેરીને પાંચ દેવતાઓની પૂજા કરો. પછી એકાદશી વ્રતનો ફળદાયી અથવા નિઃસ્વાર્થ સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુના નારાયણ સ્વરૂપની પૂજા કરો. એકાદશી વ્રતની કથા સાંભળો. દિવસભર ઉપવાસ રાખો. દ્વાદશીના દિવસે સવારે ઉપવાસ તોડવો. બ્રાહ્મણ દંપતીને ભોજન અર્પણ કરીને અથવા તેમને ખાવાની વસ્તુઓ આપીને તેમના આશીર્વાદ મેળવો, પછી ઉપવાસ તોડો. જો તમે પિતૃઓને એકાદશીનુ પુણ્ય આપવા માંગતા હોવ તો સંકલ્પ સમયે તેમનુ ઉચ્ચારણ કરો.
ઈન્દિરા એકાદશીની વ્રત કથા
સતયુગમાં રાજા ઇન્દ્રસેન મહિષ્મતી નામની નગરીમાં રાજ કરતા હતા. તે ખૂબ જ ધર્માત્મા હતા અને તેમની પ્રજા સુખી હતી. એક દિવસ નારદજી ઈન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા. તેમણે રાજા ઈન્દ્રસેનને કહ્યુ કે હું તમારા પિતાનો સંદેશ લઈને આવ્યો છુ. જેઓ અત્યારે પૂર્વ જન્મમાં એકાદશીનુ વ્રત તોડવાના કારણે યમરાજની સજા ભોગવી રહ્યા છે. નારદજીના મુખેથી પિતાની પીડા સાંભળીને ઈન્દ્રસેન દુઃખી થઈ ગયા અને પિતાના મોક્ષનો ઉપાય પૂછ્યો. નારદજીએ કહ્યુ કે તેમણે અશ્વિન માસના કૃષ્ણ પક્ષની એકાદશીનુ વ્રત રાખવાની સૂચના આપી હતી. રાજા ઇન્દ્રસેને નારદજીએ આપેલી પદ્ધતિ પ્રમાણે ઇન્દિરા એકાદશીનુ વ્રત કર્યુ અને તેનુ પુણ્ય ફળ પિતાને આપ્યુ. ઈન્દ્રસેનના પિતા વ્રતની અસરમાંથી મુક્ત થઈને વૈકુંઠ લોક ગયા.
એકાદશી તિથિ
- પ્રારંભઃ 20 સપ્ટેમ્બર રાત્રે 9.28 વાગ્યે
- પૂર્ણઃ 21 સપ્ટેમ્બર 11.35 વાગ્યા સુધી
- પારણાઃ 22 સપ્ટેમ્બર સવારે 6.15 વાગ્યાથી સવારે 8.41 વાગ્યા સુધી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
