Chanting Mantra Benefits: મંત્રની સિદ્ધિ કેમ નથી થતી? શું છે મંત્ર જપવાની યોગ્ય રીત?
આવો જાણીએ મંત્ર જાપ કરતી વખતે કેટલીક ખાસ બાબતોનુ ધ્યાન કેવી રીતે રાખવુ.
Chanting Mantra Benefits: ઘણા લોકો તેમના ગુરુ દ્વારા આપવામાં આવેલા અથવા કોઈના કહેવાથી અથવા જાતે પસંદ કરીને હજારો, લાખો, કરોડો વખત મંત્રો જાપ કરે છે પરંતુ તેમને તેનો કોઈ લાભ મળતો નથી. પછી તેઓ મંત્રોને દોષ આપે છે કે બધુ નકામુ છે અને આનાથી કંઈ થતુ નથી. વાસ્તવિકતા તો એ છે કે તેઓ મંત્ર જાપ કરવાની સાચી રીત જાણતા નથી. તેઓ મંત્રનો જાપ કેવી રીતે કરવો તે જાણતા જ નથી. ક્યારે જાપ કરવાનો છે, કેટલો જાપ કરવાનો છે, કયા મંત્રનો જાપ કરવાનો છે. શાસ્ત્રોમાં મંત્રોને સાક્ષાત ઈશ્વરનુ રુપ ગણાવવામાં આવ્યા છે. તેઓ માત્ર કેટલાક લેખિત શબ્દો નથી. તે શબ્દોના રૂપમાં વણાયેલા સાક્ષાત દેવતા છે. એ ત્યારે સિદ્ધ થશે જ્યારે તમારી પદ્ધતિ સાચી હશે. આવો જાણીએ મંત્ર જાપ કરતી વખતે કેટલીક ખાસ બાબતોનુ ધ્યાન કેવી રીતે રાખવુ.

- નિયત સમયઃ મંત્ર જાપ કરવાનો શ્રેષ્ઠ સમય બ્રહ્મમુહૂર્ત અને સંધિકાળ છે. આ બંને કાળમાં પ્રકૃતિ, મન, ચિત્ત બધુ જ સત્વ પ્રબળ રહે છે.
- નિયત સ્થાન: મંત્રો ત્યારે જ ફળદાયી બને છે જ્યારે તેનો રોજ નિયત જગ્યાએ બેસીને જાપ કરવામાં આવે. એવુ ન કરો કે આજે અહીં બેઠા, કાલે ત્યાં. મંત્રનો જાપ કરવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો.
- સ્થિર મુદ્રા: મંત્રનો જાપ કરવા માટે યોગ્ય મુદ્રા પસંદ કરો. આસન એટલે પાથરણુ નહિ, પાથરણુ તો આરામદાયક હોવુ જ જોઈએ પરંતુ અહીં તેનો અર્થ બેસવાની મુદ્રાથી થાય છે. મંત્રોના જાપ માટે પદ્માસન, સુખાસન શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ મુદ્રા મનને એકાગ્ર કરવામાં ખૂબ મદદરૂપ છે.
- જાપની દિશાઃ ઉત્તર અને પૂર્વ દિશાઓને મંત્રોના જાપ માટે શ્રેષ્ઠ દિશાઓ કહેવામાં આવે છે. મંત્રનો જાપ કરનાર વ્યક્તિએ ઉત્તર અથવા પૂર્વ તરફ મુખ કરવુ જોઈએ. જે જપમાં નોંધપાત્ર સફળતા આપે છે.
- આસન: મૃગ ચર્મ, કુશાસન અથવા ધાબળો આસન તરીકે વાપરી શકાય છે. જેના કારણે મંત્ર જાપ દરમિયાન શરીરમાં ઉત્પન્ન થતી વિદ્યુત શક્તિ સુરક્ષિત રહે છે.
- પવિત્ર પ્રાર્થના: જાપ શરૂ કરતા પહેલા વ્યક્તિએ તેના પ્રિય દેવતા અને ગુરુની પ્રાર્થના કરવી જોઈએ. જેના કારણે સાધકમાં સાત્વિક ભાવના ઉત્પન્ન થાય છે.
- શુદ્ધ ઉચ્ચારણ: જાપ કરતી વખતે મંત્રોનો ઉચ્ચાર સ્પષ્ટ અને શુદ્ધ હોવો જોઈએ.
- માળા: જાપ માટે માળાઓની સંખ્યા નિશ્ચિત હોવી જોઈએ. એટલે કે જો તમે દરરોજ 11 માળા કરવાનો સંકલ્પ કર્યો હોય તો તમારે દરરોજ 11 માળા કર્યા પછી ઉઠવુ પડશે. ઓછુ કે વધુ કરવાથી મંત્ર સિદ્ધ થતો નથી. કોઈપણ મંત્રનો જાપ કરવા માટે રૂદ્રાક્ષની માળા શ્રેષ્ઠ છે. સ્ફટિક, કમલ ગટ્ટે અથવા અન્ય માળા પણ વાપરી શકાય છે. દેવી-દેવતાના મંત્રને અનુરુપ ગુરુના નિર્દેશનમાં માળાની પસંદગી કરવી જોઈએ.
- શાંતિ પાઠ: નિશ્ચિત મંત્ર માળા સમાપ્ત થાય ત્યારે શાંતિ પાઠ કરો. જાપ પૂરો થતાં જ તરત ઊઠીને બીજા કામમાં લાગી ન જાવ. મંત્ર પૂરો થયા પછી 10 મિનિટ શાંતિથી બેસો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
