Holika Dahan 2022: શું છે હોલિકા દહનની કથા? કેમ પવિત્ર છે હોલિકાની રાખ?
આજે હોલિકા દહન છે, જાણો શું છે હોલિકા દહનની કથા? કેમ પવિત્ર છે હોલિકાની રાખ?
નવી દિલ્લીઃ આજે હોલિકા દહન છે, આજના દિવસે હોલિકાની અગ્નિમાં લાવા કે નાળિયેર પધરાવીને પોતાના અને પરિવાર માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. લોકો હોલિકાની અગ્નિમાં જવ ફેંકીને બધી નકારાત્મક વસ્તુઓથી છૂટકારો મેળવવા માટે પણ ભગવાનને પ્રાર્થના કરે છે. વાસ્તવમાં, હોળી માત્ર પ્રેમ, ઉલ્લાસનો તહેવાર નથી પરંતુ તે બુરાઈ પર અચ્છાઈની જીતનો પર્વ પણ છે. તમને જણાવી દઈએ કે આ વખતે હોલિકા દહન ખૂબ ખાસ છે કારણકે આજના દિવસે ચાર ખાસ યોગ જેવા કે મૃત યોગ, સર્વાર્થ સિદ્ધ યોગ, વૃદ્ધિ યોગ, ધ્રુવ યોગ અને ગુર્વાદિત્ય યોગ બની રહ્યા છે.

હોલિકાની રાખને પોતાના મસ્તક પર લગાવે છે
તમને જણાવી દઈએ કે હોલિકા દહનના દિવસે લોકો હોલિકાની રાખને પોતાના મસ્તક પર લગાવે છે અને આમ કરવા પાછળ ઘણા કારણ છે. વાસ્તવમાં, એવુ માનવામાં આવે છે કે હોલિકાની રાખ માથા પર લગાવવાથી વ્યક્તિને આર્થિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. વળી, તેની પ્રગતિ થાય છે અને તે ઘણી બધી નકારાત્મક વસ્તુઓથી દૂર રહે છે.

અમુક લોકો ઉપવાસ પણ રાખે છે
એટલુ જ નહિ હોલિકાની ભસ્મને ઘરમાં છાંટવાથી વ્યક્તિના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધનો માહોલ રહે છે. ક્યાંક-કયાંક તો લોકો હોલિકા દહન થવા સુધી ઉપવાસ પણ રાખે છે.

હોલિકાની અગ્નિ સળગતા શરીરનુ માનક છે
વળી, કોઈ પણ નવપરિણીતોને હોલિકાની અગ્નિને જોવાથી રોકવામાં આવે છે કારણકે હોલિકાની અગ્નિ સળગતા શરીરનુ માનક છે માટે નવી દુલ્હનને આ અગ્નિથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેને અશુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે અગ્નિને જોવાથી લોકોના દાંપત્ય જીવમાં મુશ્કેલીઓ શરુ થઈ જાય છે.

શું છે કહાની?
ધાર્મિક માન્યતા છે કે હિરણ્યકશ્યપનો દીકરો પ્રહલાદ ભગવાન વિષ્ણિનો પરમ ભક્ત હતો પરંતુ એ વાત તેના પિતાને સારી નહોતી લાગતી માટે તેને ઘણા બધા કષ્ટ આપ્યા અને કહ્યુ કે તુ મારી પૂજા કરે પરંતુ જ્યારે તે ન માન્યો તો તેણે પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસાડીને તેને જીવતો સળગાવવાની કોશિશ કરી કારણકે હોલિકાને ન સળગવાનુ વરદાન મળ્યુ હતુ પરંતુ અગ્નિમાં જતા જ તે બળીને ખાખ થઈ ગઈ અને પ્રહલાદ જીવતો પાછો આવ્યો હતો. આ દિવસે ફાગણ મહિનાની પૂનમ હતી, ત્યારથી હોલિકા દહન કરવામાં આવે છે. હોલિકા સાથે આવુ તેના ખોટા ઈરાદાના કારણે થયુ હતુ. આ કારણે આ પર્વને બુરાઈ પર અચ્છાઈની જીત તરીકે મનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ નરસિંહનુ રુપ ધારણ કરીને હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
