Dussehra 2022: રાવણના 10 માથા કેમ હતા? જાણો દશાનનનો અર્થ
ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિત માનસમાં રાવણના દસ માથાનુ વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યુ છે. અહીં જાણો વિગત.
નવી દિલ્લીઃ અનિષ્ટ પર ભલાઈની જીતનુ પ્રતીક દશેરા 5 ઓક્ટોબરે છે. દેશમાં ઘણી જગ્યાએ રાવણ દહનની તૈયારીઓ ચાલી રહી છે. રાવણ એક એવો રાક્ષસ હતો કે જે માયાવી હતો, તેના દસ માથા હતા એટલા માટે તેને દશાનન કહેવામાં આવતો હતો. જો કે, અમુક લોકોનુ માનવુ છે કે રાવણના દસ માથા નહોતા, તે માયાવી હતો અને 65 પ્રકરની કલાઓને જાણતો હતો માટે તે પોતાના દસ માથા લોકોને બતાવીને ભ્રમ પેદા કરતો હતો. જો કે, ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિત માનસમાં રાવણના દસ માથાનુ વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યુ છે.

રાવણના દસ માથા દસ બુરાઈના માનક
તમને જણાવી દઈએ કે રાવણના દસ માથા દસ બુરાઈના માનક છે. આ દસ બુરાઈઓ છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, વાસના, ભ્રષ્ટાચાર, અહંકાર અને અનૈતિકતા. માટે જ જ્યારે રાવણને દશેરાના દિવસે સળગાવવામાં આવે છે ત્યારે તેની સાથે આ દસ બુરાઈઓનો અંત પણ કરવામાં આવે છે.

આખરે રાવણના આ 10 માથા ક્યાંથી આવ્યા?
રાવણના આ દસ માથા ક્યાંથી આવ્યા તે અંગે તુલસીદાસે લખ્યુ છે કે, 'રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. ઘણા વર્ષો સુધી ભગવાન શંકર જ્યારે તેની સામે પ્રગટ ન થયા ત્યારે તેણે નિરાશ અને દુઃખી થઈને પોતાનુ માથુ કાપીને ભગવાન શિવના ચરણમાં રાખી દીધુ પરંતુ તેના ધડમાં ફરીથી માથુ લાગી જતુ હતુ. આવુ તે દસ વાર કરે છે અને દસે વાર તેના ધડમાં માથુ લાગી જાય છે.'

'આજથી તુ દશાનન કહેવાઈશ'
પોતાની સાથે થઈ રહેલ આ ઘટનાથી ખુદ રાવણ પણ ચોંકી જાય છે પરંતુ તેની આ વાતથી શિવ-શંકર ખુશ થાય છે અને તેની સામે પ્રગટ થાય છે અને કહે છે કે,' તે અલગ યોનીમાંથી જન્મ્યો છે અને માટે તેની સાથે આવુ થઈ રહ્યુ છે. આજથી તુ દશાનન એટલે કે દસ મુખવાળો કહેવાઈશ. તારો અંત પણ ત્યારે થશે જ્યારે તારી નાભિ પર કોઈ પ્રહાર કરશે.'

ભાઈ વિભિષણે કર્યો હતો ઈશારો
ભગવાન શિવના આ વરદાનને મેળવીને રાવણના પગ આકાશમાં રહેવા લાગ્યા હતા. તેણે વિચારી લીધુ હતુ તેનેો અંતા ક્યારેય નહિ થાય. યુદ્ધ ભૂમિમાં જ્યારે પ્રભુ રામ તેના પર તીર ચલાવી રહ્યા હતા ત્યારે દસ મુખથી ઘમંડ સાથે તે અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. ત્યારે રાવણના ભાઈ વિભિષણે આવીને પ્રભુ રામને તેની નાભિ પર તારી ચલાવવા માટે ઈશારો કર્યો હતો અને ત્યારબાદ તેનો અંત થયો હતો. માટે કહેવાય છે કે ઘર કા ભેદી લંકા ઢાએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા










Click it and Unblock the Notifications
