Dussehra 2020: આજે દશેરા, જાણો રાવણ વિશે અમુક ચોંકાવનારી વાતો
શું તમે જાણો છે કે દાનવ હોવા છતાં પણ રાવણમાં ઘણી બધી સારી વસ્તુઓ હતી. આવો જાણીએ રાવણ વિશે અમુક ચોંકાવનારી વાતો.
નવી દિલ્લીઃ બુરાઈ પર અચ્છાઈનુ પ્રતીક દશેરા સમગ્ર ભારતમાં ખૂબ ભવ્યતા સાથે મનાવવામાં આવે છે. આ દિવસે ઠેર-ઠેર રાવણનુ પૂતળુ બાળવામાં આવે છે કારણકે રાવણ એક અત્યંત દુષ્ટ રાક્ષક હતો. તેણે છેતરપિંડી કરીને પારકી સ્ત્રીનુ અપહરણ કર્યુ હતુ પરંતુ શું તમે જાણો છે કે દાનવ હોવા છતાં પણ રાવણમાં ઘણી બધી સારી વસ્તુઓ હતી જેના કારણે આજે દેશની ઘણી જગ્યાએ રાવણની પૂજા થાય છે. આવો જાણીએ રાવણ વિશે અમુક ચોંકાવનારી વાતો.

'રામચરિત માનસ'માં રાવણનુ બૃહદ વર્ણન
રાવણ વિશે સૌથી વધુ રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસે લખ્યુ છે, જેમણે પોતાની લેખનીમાં તેને ભગવાન શિવનો બહુ મોટો ભક્ત કહ્યો છે અને તેમના જણાવ્યા મુજબ રાવણમાં ઘણા સારા ગુણો પણ હતા જેને લોકોએ જાણવા ખૂબ જરૂરી છે.

કુશળ રાજનીતિજ્ઞ, સેનાપતિ અને વાસ્તુકાર હતો રાવણ
તુલસીદાસના જણાવ્યા મુજબ દૈત્ય રાવણ એક કુશળ રાજનીતિજ્ઞ, સેનાપતિ અને વાસ્તુકલાનો મર્મજ્ઞ હોવા સાથે સાથે બહુ-વિદ્યાઓનો જાણકાર હતો. તેને વિદ્યાનુ મહત્વ ખબર હતી અને તે એક જ્ઞાની રાક્ષક હતો. રાવણને લોકો બહુ સારે કવિ કહેતા હતા. તેણે ઘણી રચનાઓ પણ લખી હતી.

માયાવી હતો રાવણ
રાવણને માયાવી એટલા માટે કહેવામાં આવતો હતો કારણકે તે ઈન્દ્રજાલ, તંત્ર, સંમોહન અને વિવિધ પ્રકારના જાદૂ જાણતો હતો. એટલુ જ નહિ રાવણ ખૂબ મોટો પંડિત હતો અને આના કારણે ભગવાન રામે તેની પાસે વિજય યજ્ઞ કરાવ્યો હતો.

આયુર્વેદ, તંત્ર અને જ્યોતિષનો જાણકાર હતો રાવણ
રાવણ આયુર્વેદ, તંત્ર અને જ્યોતિષનો જાણકાર અને વૈજ્ઞાનિ પણ કહેવાય છે. રાવણે તાંડવ સ્ત્રોત, અંક પ્રકાશ, ઈન્દ્રજાલ, કુમારતંત્ર, પ્રાકૃત કામધેનુ, પ્રાકૃત લંકેશ્વર, ઋગ્વેદ ભાષ્ય, રામણીયમ, નાડી પરીક્ષા વગેરે પુસ્તકોની રચના કરી હતી. પૌરાણિક ગ્રંથોમાં પણ વર્ણન છે કે રાવણને ઘણી ભાષાઓનુ જ્ઞાન પણ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
