શનિવારે આ વસ્તુઓની ખરીદી, તમને બનાવશે કંગાળ?
સૌરમંડળના નવે ગ્રહો પોત-પોતાની રીતે આપણા જીવન પર અસર કરે છે. મનુષ્ય જે સમયે જન્મે છે, તે સમયના ગ્રહો અને નક્ષત્રોને આધારે તેની જન્મ કુંડળી નક્કી થઈ જાય છે.
સૌરમંડળના નવે ગ્રહો પોત-પોતાની રીતે આપણા જીવન પર અસર કરે છે. મનુષ્ય જે સમયે જન્મે છે, તે સમયના ગ્રહો અને નક્ષત્રોને આધારે તેની જન્મ કુંડળી નક્કી થઈ જાય છે. આપણું આવનારુ ભવિષ્ય આ કુંડળીને આધારે નક્કી થાય છે. શનિદેવના વિશે એવુ મનાય છે કે, તે ન્યાયના દેવતા છે, શનિદેવ ઈચ્છે તો રંકને પણ રાજા બનાવી શકે છે. પરંતુ જો તેમની કુદ્રષ્ટિ કોઈના પર પડી જાય તો તે રાજા હોય તો પણ તેને રંક થતા વાર લાગતી નથી.

કદાચ આ કારણથી પણ હંમેશા શનિદેવને ખુશ કરવા માટેના પ્રયત્નો વધુ થતા હોય છે. માન્યતા પ્રમાણે દર શનિવારે શનિદેવને સરસિયાનુ તેલ અને કાળા તલ ચઢાવાથી તે પ્રસન્ન થાય છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની ખરીદી શનિવારે કરવી નહિં. કારણકે આ ખરીદી શનિદેવને નારાજ કરી શકે છે અને તેમના ક્રોધથી મનુષ્યનુ દુર્ભાગ્ય શરૂ થઈ જાય છે.
લોખંડ, મીઠું અને લાકડી

શનિવારના દિવસે લોખંડની ખરીદી કરવી જોઈએ નહિં. આ ઉપરાંત શનિવારે મીઠાની ખરીદી મનુષ્યને દરિદ્રતા તરફ ધકેલે છે. ઉપરાંત લાકડુ ખરીદવા માટે પણ ક્યારેય શનિવારની પસંદગી કરવી નહિં.
સરસિયુ, રીંગણ અને કાળા અડદ

શનિવારના દિવસે સરસિયાનુ દાન કરવામાં આવે છે, માટે ક્યારેય સરસિયાનુ તેલ કે રાઈની ખરીદી કરવી જોઈએ નહિં. શાકભાજી ખરીદતા સમયે પણ શનિવારના દિવસે રીંગણની ખરીદી કરતા ટાળવુ. ઉપરાંત કાળા અડદ શનિદેવને ચઢાવવામાં આવે છે માટે શનિવારે કાળા અડદની ખરીદી કરવી નહિં. શનિવારે આ વસ્તુઓની ખરીદી તમારુ દુર્ભાગ્ય લાવી શકે છે.
કાળા મરી, કાળુ કપડુ, બદામ અને ઈલેક્રટ્રીકનો સામાન

કાળા તલ કે કાળા મરીની ખરીદી શનિવારે કરવી નહિં. ચંપલ કે કાળુ કપડુ ખરીદવા માટે પણ શનિવારનો સમય સારો નથી. ઉપરાતં બદામ કે નારિયળ ખરીદવા માટે પણ શનિવાર ઉપયુક્ત દિવસ નથી. કોઈપણ પ્રકારનો ઘરગથ્થુ ઈલેક્ટ્રીક સામાન ખરીદવા માટે પણ શનિવારના દિવસની પસંદગી કરવી નહિં. કારણકે આ વસ્તુઓની ખરીદી શનિદેવની કુદ્રષ્ટિનુ કારણ બને છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
