Diwali 2022: દિવાળીમાં લક્ષ્મી-ગણેશ પૂજન વખતે શું કરવુ અને શું ના કરવુ?
માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જોઈએ. ચાલો આ વિશે વિગતવાર જાણીએ...
દિવાળી દરમિયાન માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. દરેક ભક્ત પોતાની ક્ષમતા મુજબ મા અને વિઘ્નહર્તાની પૂજા કરે છે. એવું કહેવાય છે કે માતા ક્યારેય કોઈને નિરાશ કરતી નથી. જેના પર મા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા હોય છે તેને ક્યારેય પૈસાની કમી નથી હોતી અને ન તો તેના ઘરમાં સુખ-સંપત્તિની કમી રહે છે. ભગવાન ગણેશની કૃપાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. જો કે, માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જોઈએ. ચાલો આ વિશે વિગતવાર જાણીએ...

લક્ષ્મી પૂજન દરમિયાન શું કરવુ અને શું ન કરવુ?
- લક્ષ્મી અને ગણેશ બંનેની પૂજા કરતી વખતે તુલસીના પાનનો ઉપયોગ ન કરો.
- માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે હંમેશા માતાની જમણી બાજુ દીવો રાખો.
- એક દીવામાંથી બીજા દીવા પર ક્યારેય દીવો ન પ્રગટાવો.
- માતાને લાલ કે પીળા ફૂલ અર્પિત કરો, તેમના આસન અને ચૂંદડીનો રંગ પણ લાલ હોવો જોઈએ. માતાને સફેદ ફૂલ ન ચઢાવો.
- માતાની પૂજા કરતી વખતે રંગીન વસ્ત્રો પહેરો અને સફેદ કે કાળા વસ્ત્રો પહેરીને પૂજા ન કરો.
- દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો, આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
- ભગવાન ગણેશને મોદક અને લાડુ ખૂબ જ પસંદ છે. માટે જો તમે તેમને આમાંથી કોઈ પણ અર્પણ કરશો તો તેઓ ચોક્કસ ખુશ થશે.
- દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી પ્રસાદને મંદિરની દક્ષિણ દિશામાં રાખો અને તેને પરિવારના તમામ સભ્યોને વહેંચો.
- ઘરમાં માંસાહારી ખોરાક રાંધશો નહીં કે ખાશો નહીં, દારૂ પીશો નહીં અને જુગાર રમશો નહીં.
- દિવાળી એ રોશનીનો તહેવાર છે, જે ખુશીઓ લાવે છે, તેથી બધાએ સાથે મળીને આ તહેવાર ઉજવવો જોઈએ.
- દિવાળીના દિવસે ઘરમાં સાફ-સફાઈ રાખો અને જો તમે મુખ્ય દરવાજા પર દેવી લક્ષ્મીના પગ લગાવી રહ્યા હોવ તો ત્યાં ચંપલ ન રાખો.
- દિવાળી એ રોશનીનો તહેવાર છે, જે ખુશીઓ લાવે છે, તેથી બધાએ સાથે મળીને આ તહેવાર ઉજવવો જોઈએ.
- દિવાળીના દિવસે તમારે તમારા ઘરના આંગણા અથવા મુખ્ય દરવાજા પર રંગોળી અવશ્ય બનાવો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
લક્ષ્મી પૂજનનું મુહૂર્ત 24 ઓક્ટોબરે સાંજે 6:53 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 8:15 સુધી ચાલશે.
દિવાળી શા માટે ઉજવવી?
આ દિવસે ભગવાન રામ, પત્ની સીતા અને અનુજ લક્ષ્મણ સાથે 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા હતા. આ દિવસે અમાવસ્યા હોવાથી લોકોએ પોતાના ઘરોને દીવાઓથી શણગાર્યા હતા, તેથી જ આ દિવસે લોકો પોતાના ઘરને દીવાઓથી શણગારે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
