ધનતેરસઃ ભગવાન ધન્વંતરિની આરાધનાનું પર્વ, યમરાજને દાન કરો આ વસ્તુઓ
ધન્વંતરિને હિન્દુ ધર્મમાં દેવતાઓના વૈદ્ય મનાયા છે. તેઓ એક મહાન ચિકિત્સક હતા, જેમને દેવનું પદ પ્રાપ્ત થયું. માન્યતા અનુસાર તેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે
ધન્વંતરિને હિન્દુ ધર્મમાં દેવતાઓના વૈદ્ય મનાયા છે. તેઓ એક મહાન ચિકિત્સક હતા, જેમને દેવનું પદ પ્રાપ્ત થયું. માન્યતા અનુસાર તેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે. તેમનું પૃથ્વી પર અવતરણ સમુદ્ર મંથન સમયે થયું હતું. શરદ પૂનમના દિવસે ચંદ્રમા, બારસે કામધેનુ ગાય, તેરસે ધન્વંતરિ, ચૌદસે કાળકા માતા, અને અમાસના દિવસે ભગવતી લક્ષ્મીજી સાગરમાંથી પ્રગટ થયા હતા. એટલે જ દિવાળીના બે દિવસ પૂર્વે તેરસે ભગવાન ધન્વંતરિનો જન્મદિવસ મનાવવામાં આવે છે. આપણે તેને ધનતેરસ પણ કહીએ છીએ. આ જ દિવસે આયુર્વેદનો પણ ઉદભવ થયો હતો.

વિષ્ણુનું સ્વરૂપ છે ધન્વંતરિ
ધન્વંતરિને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કહેવાય છે, જેમના ચાર હાથ છે. ઉપરના બંને હાથમાં શંખ અને ચક્ર છે, તો બાકીના બે હાથમાંથી એકમાં ઔષધિ અને જળ બીજામાં અમૃતનો કળશ ધારણ કરેલો છે. આયુર્વેદના ડોક્ટર્સ તેમને આરોગ્યના દેવતા કહે છે. તેમણે જ અમૃતમય ઔષધિઓની શોધ કરી હતી.
તેમના વંશમાં દિવોદાસ થયા, જેમણે 'શલ્ય ચિકિત્સા'નું પહેલું વિશ્વ વિદ્યાલય કાશીમાં સ્થાપિત કર્યું. જેના પ્રધાનાચાર્ય તરીકે સુશ્રુતની નિમણૂક થઈ હતી. સુશ્રુત દિવોદાસના જ શિષ્ય અને ઋષિ વિશ્વામિત્રના પુત્ર હતા. તેમણે જ સુશ્રુત સંહિતા લખી હતી. સુશ્રુત વિશ્વના પહેલા સર્જન (શલ્ય ચિકિત્સક) હતા.

ભગવાન ધન્વંતરિની આરાધના માટે મંત્ર
ऊँ धन्वंतरये नमः॥

આ ઉપરાંત પણ કેટલાક મંત્ર છે.
ऊँ नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वंतराये:
अमृतकलश हस्ताय सर्वभय विनाशाय सर्वरोगनिवारणाय
त्रिलोकपथाय त्रिलोकनाथाय श्री महाविष्णुस्वरूप
श्री धनवन्तरि स्वरूप श्री श्री श्री औषधचक्र नारायणाय नमः॥

પ્રચલિત ધન્વંતરિ સ્તોત્ર
ऊँ शंखं चक्रं जलौकां दधदमृतघटं चारुदोर्भिश्चतुर्मिः।
सूक्ष्मस्वच्छातिहृद्यांशुक परिविलसन्मौलिमंभोजनेत्रम॥
कालाम्भोदोज्ज्वलांगं कटितटविलसच्चारूपीतांबराढ्यम।
वन्दे धन्वंतरिं तं निखिलगदवनप्रौढदावाग्निलीलम॥

યમરાજને દાનનું વિધાન
ભગવાન ધન્વંતરિ દરેક પ્રકારના રોગથી મુક્તિ અપાવે છે, એટલે ધનતેરસે ધન્વંતરિની પૂજા કરવી જોઈએ. સ્કંદ પુરાણ અનુસાર આ દિવસે અપમૃત્યુનાશ માટે સાંજે ઘરની બહાર યમરાજ માટે દીવો અને ઔષધિઓનું દાન કરવું જોઈએ.

દાન કરવાનો મંત્ર
मृत्युना पाशदण्डाभ्यां कालेन यमया सह।
त्रयोदश्यां दीपदानात्सूर्यजः प्रीयतां ममेति।।
कार्तिकस्य सिते पक्षे त्रयोदश्यां निशामुखे।
यमदीपं बहिर्दद्यादपमृत्युर्विनश्यति।।
એટલે કે નરકોદ્દેશેન ચતુર્વર્તિ દીપદાન કરવું જોઈએ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
