ધનતેરસ પર સોનુ કેમ ખરીદવુ જોઈએ? શું છે ખરીદીનુ શુભ મૂહુર્ત
ધનતેરસના દિવસે સોનુ-ચાંદી ખરીદવાનુ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ મહત્વ અને શુભ મુહૂર્ત.
દિવાળીના પાંચ દિવસીય પર્વની શરુઆત ધનતેરસના દિવસથી થાય છે. આ વર્ષે અમુક લોકો ધનતેરસ 22 તારીખે મનાવશે જ્યારે અમુક લોકો 23 તારીખે મનાવશે. તમને જણાવી દઈએ કે 22 ઓક્ટોબર સાંજે 6.03 વાગ્યાથી ત્રયોદશી તિથિનો પ્રારંભ થશે માટે ધનતેરસની પૂજા આજે સાંજે પણ કરી શકાય છે પરંતુ જે લોકો ઉદયાતિથિમાં માનતા હોય એ લોકો આ પર્વને 23 ઓક્ટોબરે મનાવશે. 23 ઓક્ટોબરે સાંજે 6.03 વાગ્યા સુધી ત્રયોદશી તિથિ રહેશે. ધનતેરસના દિવસે સોનુ-ચાંદી ખરીદવાનુ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. લોકો આ દિવસે શુભ મુહૂર્તમાં ધનતેરસની પૂજા કરે છે અને સોનુ પણ ખરીદે છે. આવો જાણીએ શુભ મુહૂર્ત.

શુભ મુહૂર્ત
જો તમે 22 ઓક્ટોબરે ધનતેરસ મનાવી રહ્યા હોય તો આ દિવસે શુભ મુહૂર્ત રાતે 07 વાગીને 01 મિનિટથી 08 વાગીને 17 મિનિટ સુધી રહેશે. આ દરમિયાન તમે પૂજા પણ કરી શકો છો અને સોનુ-ચાંદી પણ ખરીદી શકો છો. વળી, જો તમે ધનતેરસ 23 ઓક્ટોબરે મનાવવાના હોય તો આ દિવસે બપોરે 12 વાગીને 02 મિનિટથી લઈને 03 વાગીને 01 મિનિટ વચ્ચે સોનુ ખરીદી શકો છો.

વરસે છે મા લક્ષ્મીની કૃપા
23મીએ સાંજે 7.16 થી 8.26 સુધી ધનતેરસની પૂજાનુ શુભ મુહૂર્ત છે. આ દિવસે પ્રદોષ કાળ સાંજે 5.56થી 8.26 સુધી છે, જ્યારે વૃષભ લગ્ન સાંજે 7.16થી 9.15 સુધી છે. તમને જણાવી દઈએ કે તેરસનો દિવસ શુભ સંયોગમાં છે, તેથી જો તમે મહુરતની મધ્યમાં ખરીદી ન કરી શકો તો પણ તમે દિવસના કોઈપણ સમયે ખરીદી કરી શકો છો. મા લક્ષ્મીની કૃપા અને ધન્વંતરી હંમેશા તમારી સાથે રહેશે.

દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેને સોનુ પ્રિય
તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેને સોનુ પસંદ છે અને તેથી નાભિની ઉપરના ભાગમાં સોનાના ઘરેણા પહેરવામાં આવે છે. નાભિની નીચેના અવયવોમાં સોનાનો સ્પર્શ થતો નથી. સોનુ સમૃદ્ધિનુ પ્રતીક છે અને ચાંદી સુખનુ પ્રતીક છે. એવુ માનવામાં આવે છે કે જે ઘરોમાં સોનુ-ચાંદી હોય ત્યાં હંમેશા બરકત રહે છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી









Click it and Unblock the Notifications
