Chanakya Niti: ભાગ્યશાળીને મળે છે સુંદર સ્ત્રી અને વૈભવ
મનુષ્યના જીવનમાં ઘણા ખરા આનંદ તેના પાછલા જન્મના કર્મોને કારણે શક્ય છે. જીવનના અંત સુધી ખાવા-પીવાનુ પચાવવાની શક્તિ હોય એ ભાગ્યશાળી ગણાય છે.

भोज्यं भोजनशक्तिश्च रतिशक्तिर वरांगना ।
विभवो दानशक्तिश्च नाल्पस्य तपस: फलम् ।।
અર્થઃ સારા ભોજન, ભોજન શક્તિ, રતિ શક્તિ, સુંદર સ્ત્રી, વૈભવ અને દાનશક્તિ, આ બધાં સુખો કોઈ નાની તપસ્યાનું પરિણામ નથી.
આચાર્ય ચાણક્ય ઉપરોક્ત શ્લોક દ્વારા જીવનના સુખો તરફ નિર્દેશ કરે છે. તેઓ કહે છે કે સ્વાદિષ્ટ ભોજનની વિવિધ વસ્તુઓ-પકવાન અને એ પકવાનોને ખાવા અને પચાવવાની શક્તિ જીવનના અંત સુધી જે મનુષ્યમાં જળવાઈ રહે તે ભાગ્યશાળી હોય છે.
જો કોઈને સુંદર સ્ત્રી મળે અને તેની સાથે સંભોગ કરવાની ઈચ્છા લાંબા સમય સુધી રહે, ધન-સંપત્તિ, વૈભવ અને દાન આપવાની શક્તિ રહે તો આ બધાં સુખો પુરુષને પાછલા જન્મનાં સંચિત સત્કર્મોથી પ્રાપ્ત થાય છે. નાનકડી તપસ્યા કરીને માણસ આ સુખો પ્રાપ્ત કરી શકે એ શક્ય નથી.
ઉપરોક્ત શ્લોકનો અર્થ એ છે કે ઘણી વખત જોવામાં આવે છે કે ઘણા લોકો સમૃદ્ધ હોય છે અને તેમની પાસે આનંદ માણવા માટે વિવિધ પ્રકારના ખાદ્યપદાર્થો છે પરંતુ તેમનું શરીર તેમને સાથ આપતું નથી, તેઓ એક અથવા બીજા રોગથી ઘેરાયેલા છે. તેમની પાચન શક્તિ એટલી નબળી હોય છે કે જ્યારે તેઓ તેમની સામે હોય ત્યારે પણ તેઓ તે ખાદ્યપદાર્થોનો સ્વાદ લઈ શકતા નથી, પછી આવી વસ્તુઓ તેમના માટે કોઈ કામની નથી.
તેનાથી વિપરિત, ઘણા લોકો શારીરિક રીતે સ્વસ્થ હોય છે પરંતુ તેમની પાસે ખાવા માટે વાનગીઓ નથી હોતી. આ માત્ર નસીબની વાત છે. આચાર્યનુ બીજુ કથન છે કે ભાગ્યશાળી પુરુષોના ભાગ્યમાં સુંદર સ્ત્રી હોય છે અને સ્ત્રી હોવાની સાથે તેની સાથે સંભોગ કરવાની શક્તિ, ક્ષમતા અને ઝંખના પણ હોવી જોઈએ.
ઘણા પુરૂષો પાસે સ્ત્રીઓ જ નથી હોતી, જેમની પાસે હોય છે તેમની પાસે ભોગવવાની શક્તિ નથી હોતી. આ જ રીતે સંપત્તિ હોવા છતાં, જે વ્યક્તિ કંજૂસ છે, કૃપણ છે, દાન આપવાની તેની વૃત્તિ નથી, તે પોતાની સંપત્તિને ભોગવી શકતો નથી.
તેથી શ્લોક અનુસાર ભાગ્યશાળી લોકોને પૂર્વ જન્મના સંચિત સત્કર્મોના આધારે વિવિધ પ્રકારના સુખ મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
