Budh Gochar: બુધ ગ્રહે બદલી રાશિ, અહીં જાણો દરેક રાશિ પર કેવો પડશે પ્રભાવ
Budh Gochar 2023: બુધનું રાશિ પરિવર્તન 25 જુલાઈ, 2023ના રોજ સૂર્યોદય પહેલા સવારે 4:33 વાગે થઈ ગયુ છે. બુધ કર્ક રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. મંગળ અને શુક્ર પહેલેથી જ સિંહ રાશિમાં બેઠા છે. બુધના પ્રસ્થાનને કારણે અહીં મંગળ, બુધ અને શુક્રનો ત્રિગ્રહી યોગ બની રહ્યો છે.
મંગળનો પ્રભાવ ભાગ્ય પર અને શુક્રનો પ્રભાવ લગ્નજીવન અને પ્રેમ સંબંધો પર છે, જ્યારે બુધ નિર્ણય લેવાની ક્ષમતા અને બુદ્ધિમત્તાનું પ્રતીક છે. ત્રિગ્રહી યુતિના પ્રભાવથી લોકોના મન અને બુદ્ધિમાં સંવાદિતા રહેશે અને તેઓ પ્રેમ અને દાંપત્ય જીવનને મજબૂત કરવા અંગે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશે.

તમામ રાશિઓ પર અસર
મેષ: યુતિ પંચમમાં થઈ રહી છે. પ્રેમ સંબંધો ગાઢ બનશે. સંતાનોના કામ સરળતાથી થઈ જશે. શિક્ષણ અને કરિયરમાં પ્રગતિ થશે.
વૃષભ: ચતુર્થમાં યુતિ હોવાથી લાભ થાય. ભૌતિક સુખોમાં વધારો થશે. નવા કાર્યો મળશે. પારિવારિક જીવન સુખદ રહેશે.
મિથુન: તૃતીયમાં યુતિની અસર ભાઈ-બહેન સાથેના સંબંધો પર પડશે. સંબંધો સુધરશે. આર્થિક સંકટ દૂર થશે. લાભ જ લાભ રહેશે.
કર્કઃ ધનનું આગમન થશે. તમને તમારી વાણીનો લાભ મળશે. આર્થિક સંકટ દૂર થશે. લોકો સાથેના સંબંધો સુધરશે.
સિંહ: ચિંતા દૂર થશે. પ્રેમ ગાઢ બનશે. વિવાહિત જીવન સુખદ રહેશે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.
કન્યા: દ્વાદશમાં થઈ રહેલી ત્રિગ્રહી યુતિથી ખર્ચ વધુ થશે પરંતુ પૈસા પણ આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. સંબંધો સુધરશે.
તુલા: એકાદશમાં થઈ રહેલી યુતિ કામકાજમાં પરિવર્તનનો સંકેત આપે છે. લગ્નજીવનમાં તકરાર થશે પરંતુ પ્રેમ સંબંધ પ્રાપ્ત થશે. પૈસા આવશે.
વૃશ્ચિક: નવું કામ મળશે પરંતુ પરિવારમાં વિવાદ થઈ શકે છે. નોકરીમાં બદલાવ આવશે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
ધન: ભાગ્યનો વિજય થશે. જમીન, મકાન મળશે. પૈસા આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. માનસિક ચિંતાઓ હાવી થઈ શકે છે.
મકરઃ સ્વાસ્થ્ય માટે સારું નથી. પૈસા ખર્ચ થશે. પરિવાર માટે ચિંતા રહેશે. પારિવારિક ધાર્મિક યાત્રાઓ થઈ શકે છે.
કુંભ: વિવાહિત જીવનમાં તકરાર થઈ શકે છે. પારિવારિક વિવાદ થઈ શકે છે. નાણાકીય ચિંતા દૂર થશે. ભાગીદારીમાં કામ થશે.
મીન: સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નવો પ્રેમ સંબંધ મળશે. ઋણમુક્તિ કરવામાં આવશે. ભાગ્યને બળ મળશે. નવું કામ મળશે.
ઉપાય
આ ત્રિગ્રહી યુતિ 7 ઓગસ્ટ સુધી રહેશે. 7 ઓગસ્ટે, જ્યારે વક્રી શુક્ર કર્કમાં જશે ત્યારે આ યુતિ તૂટી જશે. ત્યાં સુધી જે રાશિના જાતકો માટે આ યુતિ સારી નથી તેમણે આ સમય દરમિયાન મંગળ મંત્રનો જાપ કરવો જોઈએ. નવગ્રહ સ્તોત્રનો નિયમિત પાઠ તમને પરેશાનીઓથી બચાવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
