Bakrid 2022: બકરી ઈદ પર કેમ આપવામાં આવે છે નર બકરાની કુરબાની, આ છે આનો ઈતિહાસ
આ વર્ષે બકરીદ 10 જુલાઈના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે. અહીં અમે તમને બલિદાનના આ તહેવાર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશુ.
નવી દિલ્લીઃ મુસ્લિમ ધર્મમાં બકરી ઈદના તહેવારનુ ઘણુ મહત્વ છે. આ તહેવારને ઈદ-ઉલ-અઝહા અથવા બલિદાનનો તહેવાર પણ કહેવામાં આવે છે. પવિત્ર રમઝાન મહિનાના 70 દિવસ પછી બકરી ઈદ ઉજવવામાં આવે છે. જો કે બકરી ઈદની તારીખ ચંદ્રના દર્શનના આધારે નક્કી કરવામાં આવે છે. આ વર્ષે બકરીદ 10 જુલાઈના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે. અહીં અમે તમને બલિદાનના આ તહેવાર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશુ. તો ચાલો જાણીએ કે બકરી ઈદનો ઈતિહાસ શું છે અને આ ખાસ દિવસ કેવી રીતે ઉજવાય છે.

કેવી રીતે મનાવાય છે બકરી ઈદ
આ દિવસે મુસ્લિમ સમુદાયના લોકો ઈદગાહ અને મસ્જિદોમાં જમાત સાથે નમાઝ અદા કરે છે. તહેવારની શરૂઆત સવારે નમાઝ અદાથી થાય છે. લોકો તેમના મિત્રો અને સંબંધીઓના ઘરે પણ જાય છે અને એકબીજાને અભિનંદન આપે છે. આ સિવાય આ દિવસે ઘરે એકથી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે.

આ રીતે થઈ કુરબાની આપવાની શરુઆત
કહેવાય છે કે પયગંબર હઝરત ઇબ્રાહિમ એ સૌપ્રથમ બલિદાન આપવાનુ શરૂ કર્યુ હતુ. કહેવાય છે કે એકવાર અલ્લાહે તેમને પોતાની પ્રિય વસ્તુનુ બલિદાન આપવા કહ્યુ હતુ. ત્યારે પયગંબર હઝરત ઈબ્રાહિમે પોતાના પુત્રની કુરબાની આપવાનુ નક્કી કર્યુ કારણ કે તેમનો પુત્ર તેમને સૌથી પ્રિય હતો. પયગમ્બરના આ નિર્ણયથી અલ્લાહ ખૂબ જ ખુશ થયા. જ્યારે તે તેમના 10 વર્ષના પુત્રની કુરબાની આપવા જઈ રહ્યા હતા ત્યારે અલ્લાહે તેમના પુત્રને બદલે એક બકરો મોકલ્યો. ત્યારથી બકરી ઈદના દિવસે બકરાની બલિ ચઢાવવાની પરંપરા શરૂ થઈ. આ દિવસે નર બકરા ઉપરાંત ઊંટ અને ઘેટાની પણ બલિ ચઢાવવામાં આવે છે.

ત્રણ ભાગમાં વહેંચાય છે માંસ
બલિદાન પછી માંસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ ભાગ સંબંધીઓ, મિત્રો અને પડોશીઓને આપવામાં આવે છે, જ્યારે બીજો ભાગ ગરીબ અને જરૂરિયાતમંદોને વહેંચવામાં આવે છે. ત્રીજો અને છેલ્લો ભાગ પરિવાર માટે રાખવામાં આવે છે.

કુરબાનીના નિયમ
બકરી ઈદ પર યજ્ઞ કરવા માટે પણ કેટલાક નિયમોનુ પાલન કરવુ પડે છે. આ દિવસે માત્ર સ્વસ્થ પ્રાણીઓની જ બલિ ચઢાવવામાં આવે છે. આ સિવાય બલિદાનનુ ધન ઈમાનદારીથી મેળવેલુ હોવુ જોઈએ. ખોટા માધ્યમથી મેળવેલા પૈસાનુ બલિદાન આપવામાં આવતુ નથી.

બકરી ઈદનુ મહત્વ
બલિદાનનો આ તહેવાર લોકોને સાચા અને ઉમદા માર્ગ પર ચાલવાનુ શીખવે છે. એવુ માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે સાચા દિલથી કોઈપણ જરૂરિયાતમંદની મદદ કરે છે, અલ્લાહ તેને સ્વર્ગમાં સ્થાન આપે છે. આ સિવાય વ્યક્તિએ પોતાનુ કર્તવ્ય ન ભૂલવુ જોઈએ અને તેણે પોતાના પરિવારની સાથે પોતાના દેશની રક્ષા પણ કરવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
