શ્રાદ્ધપક્ષમાં ભૂલથી પણ આ કામ ન કરો
7 સપ્ટેમ્બર થી પિતૃ પક્ષની શરૂઆત થાય છે. આ સમય દરમિયાન પિતૃઓના શ્રાદ્ધ કરી તેમને મોક્ષ આપવામાં આવે છે. પરંતુ તેમાં કેટલીક વસ્તુની ભૂલ ન થાય તેની ધ્યાન રાખવામાં આવે એ જરીરૂ છે. તો કઈ વસ્તુ રાખવુ ધ્યાન
આ વર્ષે પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને હિંદુ ધર્મમાં પિતૃપક્ષને ખૂબ જ આદરથી પોતાના પૂર્વજોને ખુશ કરવા મનાવવામાં આવે છે. શ્રાદ્ધનું હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. એવું મનાય છે કે પિતૃપક્ષ દરમિયાન પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ દિવસો દરમિયાન એવા કામો કરવાથી બચો, જેનાથી તમારા પિતૃઓ નારાજ થાય અને તેનું પરિણામ તમારે ભોગવવું પડે.

પ્રાણીઓ અને પક્ષીઓને મારશો નહિં
14 દિવસ સુધી ચાલતા શ્રાદ્ધપક્ષ દરમિયાન ઘરની આસપાસ આવનારા જનાવરો અને પક્ષીઓને મારવાથી બચો. કારણ કે આપણે જાણતા નથી કે આપણા પિતૃઓ કયા રૂપે આપણને આશિર્વાદ આપવા આવશે. પરિણામે આ સમયે ઘરની આસપાસ આવનાર જાનવર કે પક્ષીને ભગાડવું કે મારવું નહિં.

શુભ કામ ન કરવા
શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ શુભ કામ કરવું નહિં. જેમકે કોઈ નવી વસ્તુની ખરીદી કે માંગલિક કામો કરવા નહિં. પિતૃપક્ષમાં આખો સમય પોતાના પિતૃઓને યાદ કરવા જોઈએ અને તેમનુ શ્રાદ્ધ કરવું જોઈએ. ઘણા લોકોને આ વિશે ખબર હોતી નથી અને તેઓ પોતાના ઘરમાં નવી વસ્તુઓ લઈ આવે છે, જે યોગ્ય નથી.

ધાબા પર રાખો પાણી ભરેલું વાસણ
આમ તો તમારે દરરોજ ધાબા પર જમવાનું અને પાણી મુકવું જોઈએ. પણ જો તમે તેમ ન કરી શકો તો શ્રાદ્ધ દમિયાન જરૂર કરો. જેથી તમારા પૂર્વજો અને પક્ષીઓની ભૂખ અને તરસ છીપાય. કારણ કે એવું કહેવાય છે કે આ દરમિયાન પૂર્વજો પક્ષીઓના રૂપે તમારી પાસે આવે છે.

કાળા તલનો ઉપયોગ
શ્રાદ્ધપક્ષમાં હિંદુ સમાજના લોકો બ્રાહ્મણોને ભોજન કરાવે છે, જે શુભ મનાય છે. પિતૃપક્ષ દરમિયાન માત્ર કાળા તલનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આ દરમિયાન કાળા તલથી પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે.

આ ચીજો ખાવી નહિં
પિતૃપક્ષ દરમિયાન આ ચીજો ખાવી નહિં જેવી કે, સરસવનું સાક, જીરુ, કાળુ મીઠુ, દૂધી, ખીરા વગેરે. આ દરમિયાન આ ચીજો ખાવી અશુભ છે અને આ દરમિયાન માંસ પણ ખાવુ નહિં. તેનાથી તમારા ઘરમાં અશાંતિ આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
