Mahashivratri 2023 : મહાશિવરાત્રી પર બનશે દુર્લભ સંયોગ, શનિ પ્રદોષ થશે મોટા લાભ
Mahashivratri 2023 : 18 ફેબ્રુઆરીના રોજ શનિવાર હોવાથી તેને શનિ પ્રદોષ કહેવામાં આવે છે. આ રીતે શનિ પ્રદોષના દુર્લભ સંયોગમાં શિવભક્તો રાત્રે 9 કલાકથી ચાર કલાક સુધી પૂજા કરવાનું શરૂ કરે છે.
Mahashivratri 2023 : મહાશિવરાત્રીનો તહેવાર આ વખતે એક દુર્લભ સંયોગ લઈને આવી રહ્યો છે. શનિવારના રોજ પ્રદોષ એટલે કે, ત્રયોદશી સાથે જોડાયેલી ચતુર્દશીને જ્યોતિષ અને ધર્મશાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે.

આ દુર્લભ સંયોગમાં કરવામાં આવેલી પૂજા ક્યારેય વ્યર્થ જતી નથી. આમ, ફાલ્ગુન કૃષ્ણ ત્રયોદશી 17મી ફેબ્રુઆરીની રાત્રે શરૂ થશે અને 18મી ફેબ્રુઆરીની સાંજ સુધી ચાલશે અને જે બાદ ચતુર્દશીની તિથિ શરૂ થશે.
18 ફેબ્રુઆરી શનિવાર હોવાથી તેને શનિ પ્રદોષ કહેવામાં આવે છે. આ રીતે શનિ પ્રદોષના દુર્લભ સંયોગમાં શિવભક્તો રાત્રે 9 કલાકથી ચાર કલાક સુધી પૂજા કરવાનું શરૂ કરે છે. ઘણા લોકો આ તહેવારને ભગવાન શિવ અને પાર્વતીના મિલન એટલે કે લગ્ન ઉત્સવ તરીકે ઉજવે છે.
ઘણી જગ્યાએ મહાશિવરાત્રીના પાવન પર્વે શિવ બારાતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં શિવ પાર્વતી અને અન્ય દેવતાઓની ઢોલ-નગારાના તાલે આકર્ષક ટેબ્લો કાઢવામાં આવે છે.
પૂજા અને અર્ચના
શિવરાત્રીના દિવસે સવારે વહેલા ઊઠીને અને રોજિંદા કામમાંથી પતાવ્યા બાદ, મંદિરની સામે કે ઘરમાં ભગવાન શિવની મૂર્તિને દૂધ, દહીં, ઘી, મધ, ગંગાનું પાણી વગેરેથી અભિષેક કરીને સ્નાન કરવું જોઇએ. જે બાદ ચંદન, ફૂલ, સુગંધ અને મિઠાઈ વગેરે અર્પણ કરવા સાથે શિવર્ચન કરો.
શિવચરણમાં શિવ ચાલીસા, રૂદ્રાષ્ટકમ, શિવ તાંડવ સ્તોત્ર, શિવ ચાલીસા વગેરેનો પાઠ કરી શકાય છે. આ દિવસે ખોરાક ન લેવો જોઈએ, તેથી ફળો ખાવા શ્રેષ્ઠ છે. રાત્રે નવ કલાક બાદ જે લોકો શક્ય હોય તો તેમણે રાતના ચારેય કલાક પૂજા કરવી જોઈએ. શિવ-પાર્વતીની પૂજામાં પરિવારના સભ્યો સામૂહિક રીતે ભજન-કીર્તન પણ કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
