એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિને વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે કેમ ઉજવવામાં આવે છે?
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતરત્ન એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ પર દર વર્ષે 15 ઓક્ટોબરના રોજ વિશ્વ વિદ્યાર્થી દિવસ પણ ઉજવવામાં આવે છે.
નવી દિલ્હી : ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતરત્ન એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ પર દર વર્ષે 15 ઓક્ટોબરના રોજ વિશ્વ વિદ્યાર્થી દિવસ પણ ઉજવવામાં આવે છે. વિશ્વ વિદ્યાર્થી દિવસ એપીજે અબ્દુલ કલામના માનમાં વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. એપીજે અબ્દુલ કલામ, મિસાઈલ મેન તરીકે જાણીતા છે, 15 ઓક્ટોબર, 1931ના રોજ તેમનો જન્મ થયો હતો. વિશ્વ વિદ્યાર્થી દિવસની ઉજવણીનો ઉદ્દેશ એપીજે અબ્દુલ કલામ દ્વારા શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલા કાર્યને સ્વીકારવા અને પ્રશંસા કરવાનો છે.

વર્ષ 2010માં યુનાઇટેડ નેશન્સે 15 ઓક્ટોબરને વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે જાહેર કર્યો હતો. યુનાઈટેડ નેશન્સ દર વર્ષે આ દિવસની ઉજવણી માટે થીમ નક્કી કરે છે. 2021 ના વિશ્વ વિદ્યાર્થી દિવસની થીમ "લોકો, ગ્રહ, સમૃદ્ધિ અને શાંતિ માટે શીખવું" છે. જેનો ઉદ્દેશ વિશ્વભરના દરેક વ્યક્તિના મૂળભૂત અધિકાર તરીકે શિક્ષણની ભૂમિકાની પુષ્ટિ કરવાનો છે.
એપીજે અબ્દુલ કલામ વિશે કેટલીક ખાસ વાતો
કલામનો જન્મ 15 ઓક્ટોબર, 1931ના રોજ રામેશ્વરમ, તમિલનાડુમાં થયો હતો. એપીજે અબ્દુલ કલામે તેમના જીવનના શરૂઆતના વર્ષોમાં વિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. એપીજે અબ્દુલ કલામે પોતાનું જીવન વિદ્યાર્થીઓને તેમના વ્યવહારિક જ્ઞાન દ્વારા વધુ સારી રીતે શીખવવા અને પ્રેરણા આપવા માટે સમર્પિત કર્યું હતું.
એપીજે અબ્દુલ કલામને દેશની સૌથી મહત્વની ભારતીય મિસાઇલ્સ અને દેશના નાગરિક અંતરિક્ષ કાર્યક્રમોના વિકાસ માટે 'મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. એપીજે અબ્દુલ કલામે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ના એડમિનિસ્ટ્રેટર તરીકે કેટલાક વિશિષ્ટ હોદ્દા પર પણ પોતાની ફરજ અદા કરી હતી.
ભારતના એરોસ્પેસના મહાન વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ વર્ષ 2002માં દેશના 11 મા રાષ્ટ્રપતિ બન્યા હતા. એપીજે અબ્દુલ કલામ 2002થી 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ હતા. જે બાદ તેનું આખું જીવન શિક્ષણ માટે સમર્પિત કર્યું હતું. એપીજે અબ્દુલ કલામ શિલોંગ, આઇઆઇએમ-અમદાવાદ અને આઇઆઇએમ-ઇન્દોર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)માં ગેસ્ટ પ્રોફેસર તરીકે કાર્યરત રહ્યા હતા.
એપીજે અબ્દુલ કલામને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારતરત્ન એનાયત કરવામાં આવ્યો હતો. ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર તરીકેના કાર્ય માટે તેમને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.
એપીજે અબ્દુલ કલામે 27 જુલાઇ, 2015ના રોજ આઇઆઇએમ-શિલોંગમાં લેક્ચર આપતા સમયે અંતિમ શ્વાસ લીધા હતા. એપીજે અબ્દુલ કલામ વ્યાખ્યાન આપતી વખતે સ્ટેજ પર બેહોશ થઈ ગયા હતા અને કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ પામ્યા હતા. તેમના મૃત્યુના ઘણા વર્ષો બાદ પણ તેમના યોગદાનને દેશના કેટલાક શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને તકનીકી વિકાસ તરીકે તેમને યાદ કરવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
