વિશ્વ પ્રખ્યાત ગીર ગાય તેમજ જાફરાબાદી ભેંસના સંવર્ધન અંગે યોજાયો સેમિનાર
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને સાબરમતી આશ્રમ ગૌશાળા દ્વારા આયોજિત ગીર ગાય તેમજ જાફરાવાદી ભેંસ ઓલાદ સુધારણા તથા ઉત્પાદકતા વૃદ્ધિ અંગે પરિસંવાદ યોજાયો. આ સેમિનારમાં ગીર ઓલાદનું સંવર્ધન અને સંરક્ષણ અંગે
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને સાબરમતી આશ્રમ ગૌશાળા દ્વારા આયોજિત ગીર ગાય તેમજ જાફરાવાદી ભેંસ ઓલાદ સુધારણા તથા ઉત્પાદકતા વૃદ્ધિ અંગે પરિસંવાદ યોજાયો. આ સેમિનારમાં ગીર ઓલાદનું સંવર્ધન અને સંરક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે ગીર ગાય તેમજ જાફરાબાદી ભેંસ તેના દૂધ માટે ઉત્તમ પ્રજાતિ મનાય છે. ગીર સોમનાથના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે એન.ડી.ડી.બી. અને સાબરમતી ગૌશાળા દ્વારા જે સેમિનાર યોજવામાં આવ્યો તેમાં એક હજાર જેટલી પશુપાલક બહેનો અને ત્રણસો જેટલા ભાઈઓ એ ભાગ લીધો હતો.ગીર ઓલાદ સુધારણા અંગેના આ સેમિનારમાં એન.ડી.ડી.બી.ના એડવાઇઝર , સાબર ડેરીના અધિકારીઓ, ડોકટરો દ્વારા પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ગીર ઓલાદમાં આવતા રોગોને કેમ નાથવા , રોગો ન આવે તે માટે કેવી જાગરૂકતા રાખવી, કુદરતી રીતે દૂધ ઉત્પાદન કેવી રીતે વધારવું,પશુઓને ક્યા પ્રકારનો ખોરાક ક્યારે આપવો તેમજ પાણી કેટલા પ્રમાણમાં અને ક્યાં સમયે આપવું તે અંગેની વિગતવાર સમજણ આપવામાં આવી હતી.

એન.ડી.ડી.બી.નાં એડવાઇઝર ડો.કમલેશ ત્રિવેદીએ પોતાના સંબોધનમાં ખાસ જણાવ્યું હતું કે, "ગીર ઓલાદના પશુઓને જરૂરિયાત મુજબ મિનરલ મિક્ષર પૂરતા પ્રમાણમાં આપવું જોઈએ. જેથી તેની તંદુરસ્તી વધે અને દૂધ સારા એવા પ્રમાણમાં મળે." ગીર ઓલાદના પશુઓમાં સબક્લિનિકલ મસ્ટાઇટીસ નામનો આંચળ નો જે રોગ જોવા મળે છે.તેને દેશી ભાષામાં 'ઓછર' નો રોગ પણ કહેવાય છે. તેમાં ખાસ કાળજી રાખવી જોઈએ. ગીર ગાયમાં 24 કલાક દૂધ ઉત્પાદન ની પ્રક્રિયા થતી રહેતી હોય છે.400 થી 500 લીટર લોહી આંચળ માંથી પસાર થાય ત્યારે સારી ગીર ગાયમાં 39 થી 40 લીટર દૂધ બને છે.
ગીર ગાયના આંચળમાં 200 કરોડ જેટલા સુક્ષમ સાબુદાણા જેવા દૂધના બિન્સ રહેલા હોય છે. 8 થી 9 મિનિટમાં ગાય દોહવાઈ જવી જોઈએ. આંચળ શુદ્ધ પાણી થી સાફ કરવા જોઈએ. અને ખાસ તો દૂધ ની સેર જમીન પર ન મારવી જોઈએ. તો આ ઓછર ના રોગ થી ગીર ઓલાદ ને બચાવી શકાય. કૃત્રિમ બીજદાન દ્વારા સારી રીતે અને તંદુરસ્ત તેમજ વધુ માત્રામાં ગીર ઓલાદને જન્માવી શકાય. ગીર ગાયના દૂધમાં ન્યુટ્રીશન વધુ પ્રમાણમાં હોવાને કારણે માનવ જીવન માટે આરોગ્યપ્રદ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
