Teka Na bhave kharidi : ૧ નવેમ્બરથી બાજરી સહિતના ખરીફ પાકોની ખરીદી કરાશે, આવતીકાલથી રજિસ્ટ્રેશન
Teka Na bhave kharidi : ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો પાસેથી તેમના મુખ્ય ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે (MSP) ખરીદી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬માં ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈની સીધી ખરીદી કરવામાં આવશે.

સરકારે આ વર્ષે વિવિધ કૃષિ પાકો માટે MSP જાહેર કર્યા છે. જેમાં ડાંગર-કોમન માટે ૨,૩૬૯ પ્રતિ ક્વિન્ટલ અને ગ્રેડ-એ ડાંગર માટે ૨,૩૮૯ પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી કરાયો છે.
આ ઉપરાંત, મકાઈ માટે ૨,૪૦૦, બાજરી માટે ૨,૭૭૫, જુવાર-હાઈબ્રીડ માટે ૩,૬૯૯, જુવાર-માલદંડી માટે ૩,૭૪૯ અને રાગી માટે રૂ. ૪,૮૮૬ પ્રતિ ક્વિન્ટલનો ભાવ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
ખેડૂતોને વધુ પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી છે. બાજરી, જુવાર અને રાગીના ટેકાના ભાવ ઉપરાંત, ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ૩૦૦/-નું બોનસ પણ ચૂકવવામાં આવશે.
લઘુતમ ટેકાના ભાવે પોતાના પાકનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. આ નોંધણીની પ્રક્રિયા આવતીકાલ ૧ ઓક્ટોબર, ૨૦૨૫ થી શરૂ થઈને ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ચાલશે.
ખેડૂતો સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે અથવા તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે જઈને ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. કૃષિ પાકોની વાસ્તવિક ખરીદી ૧ નવેમ્બર ૨૦૨૫ થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન કરવામાં આવશે.
નોંધણી કરાવતી વખતે ખેડૂતોએ કેટલાક મહત્ત્વના દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. જેમાં આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭, ૧૨, ૮-અની નકલ અને ખેડૂતના નામના બેંક ખાતાની વિગત (પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક) મુખ્ય છે. જો ગામ નમૂના ૧૨માં પાકની વાવણીની નોંધ ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કાવાળો વાવણીનો દાખલો પણ જરૂરી રહેશે.
નિગમ દ્વારા ખેડૂતોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે નોંધણી માટે તમામ દસ્તાવેજો સ્પષ્ટ અને સુવાચ્ય રીતે અપલોડ થાય તેની કાળજી લેવી.
દસ્તાવેજોની ચકાસણીમાં જો કોઈ ખોટા કે અયોગ્ય ડોક્યુમેન્ટ્સ ધ્યાનમાં આવશે તો તે ખેડૂતનો ક્રમ રદ કરવામાં આવશે. નોંધણી કરાવેલ ખેડૂતોને ખરીદી અંગેની જાણ SMS દ્વારા કરવામાં આવશે, અને ખરીદીના સમયે પણ ખેડૂત ખાતેદારનું બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન ફરજિયાત રહેશે.
વધુ માહિતી અને સહાયતા માટે ખેડૂત મિત્રો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ અને ૮૫૧૧૧ ૭૧૭૧૯ પર સંપર્ક કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
