ખેતી સમાચાર : ડીએપી સહિતના ખાતરના ભાવ વધવાના એંધાણ, રશિયાએ ભારતને સસ્તુ ખાતર આપવાનું બંધ કર્યુ
ખેતીની વિવિધ વસ્તુઓના સતત ભાવ વધારા સામે જજૂમી રહેલા ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવી રહ્યા છે. જાણકારોનું માનીએ તો આવનારા સમયમાં ડીએપી સહિતના જરૂરી ખાતરોના ભાવ વધી શકે છે.
જણાવી દઈએ કે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતને મોટો ફાયદો થયો હતો. વૈશ્વિક પ્રતિબંધો વચ્ચે રશિયા ભારતને ક્રુડ ઓઈ અને ખાતર જેવી ઘણી વસ્તુઓ સસ્તા ભાવે આપી રહ્યું હતુ. હવે આ ભાવ વધી શકે છે.

ભારત માટે સસ્તા ભાવે મળતા ખાતરના ભાવમાં સતત વધારાના અહેવાલ છે. યુદ્ધની સ્થિતીમાં રશિયાએ ભારતને મોટુ ડિસ્કાઉન્ડ ઓફર કર્યુ હતુ. જો કે બીજી તરફ ભારતને અન્ય દેશો પાસેથી એવા જ ભાવે ક્રુડ મળી રહેતા ત્યાંથી મંગાવવાનું શરૂ કર્યુ છે. આ જ કારણ છે કે રશિયાએ ખાતર પરથી પણ ડિસ્કાઉન્ડ ઓછુ કર્યુ હોવાના અહેવાલ છે.
રોઈટર્સના એક અહેવાલ અનુસાર, વિશ્વમાં ખાતરોની માંગમાં વધારો થવાના કારણે છેલ્લા બે મહિનાથી સતત ભાવ વધ્યા છે. આ ભાવની સ્થિતી આગામી સિઝન માટે ભારત માટે પડકારરૂપ બની શકે છે.
અહેવાલ અનુસાર, ભારતમાં પાક માટે સતત ડીએપીની માંગમાં વધારો થઈ રહ્યો છે. જુલાઈમાં વૈશ્વિક સપ્લાયર્સ સીએફઆ લગભગ 400 ડોલર પ્રતિ ટનના ભાવે યુરિયા ઓફર કરી રહ્યાં હતા પરંતુ હવે તે ભાવ 400 ડોલર પ્રતિ ટનના આસપાસ પહોંચી ગયા છે.
બીજી તરફ હવે રશિયા તરફથી સસ્તુ આવતુ ખાતર પણ મોંધુ મળી રહ્યું છે. રશિયાએ ડિસ્કાઉન્ટ ખતમ કરી દીધુ છે અને વૈશ્વિક ભાવે જ ભારતને ખાતર આપી રહ્યું છે. આ સ્થિતી જ પડકાર ઉભો કરી શકે છે.
આંકડા પર એક નજર કરીએ તો, ગયા નાણાકીય વર્ષ 2022-23માં રશિયામાંથી ભારત પાસેથી ભારતે 246 ટકા આયાત વધારીને 4.35 મિલિયન મેટ્રિક ટન કરી દીધી હતી. આમ કરવા પાછળ રશિયાના સપ્લાયરોએ ડીએપી, યુરિયા અને એનપીકે ખાતરો માટે વૈશ્વિક બજાર કિંમતો પર ભારતને ડિસ્કાઉન્ટ આપ્યું હતું.
ગયા વર્ષે રશિયા કોઈપણ કિંમતે ખાતર વેચવા તૈયાર હતું પરંતુ હવે રશિયાને પૈસાની જરૂર છે તેથી ડિસ્કાઉન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ચીન, ઇજિપ્ત, જોર્ડન અને સંયુક્ત આરબ અમીરાત સહિત અન્ય ઘણા દેશો પણ ભારતીય બજારમાં ખાતર વેચે છે.
આ મુદ્દે વાત કરતા એક જાણકાર અધિકારીએ જણાવ્યુ કે, રશિયન કંપનીઓએ ગયા વર્ષે ભારતને 80 ડોલર પ્રતિ ટન સુધી ડિસ્કાઉન્ટ આપ્યુ હતુ. હવે આ ડિસ્કાઉન્ટ ૫ ડોલર સુધી પહોંચી ગયુ છે.
આ સ્થિતી ભારત સરકાર માટે પડકારરૂપ બનશે. જો ખાતરોના ભાવ વધશે તો ખેડૂતોની નારાજગી વધશે. બીજી તરફ સરકાર ભાવ વધારો ન કરે તો સબસિટી વધારવાની સ્થિતી ઉત્પન્ન થઈ શકે છે. આ સ્થિતીમાં સરકાર પર બોજ વધશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
