Shree Krishna Janmashtami 2023 : જન્માષ્ટમીના દિવસે ફરવા જવા માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે આ સ્થળો
Shree Krishna Janmashtami 2023 : દર વર્ષે સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો તહેવાર ખુબ ધુમધામથી ઉજવવામાં આવે છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શ્રાવણના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી 6 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે.
જન્માષ્ટમીના દિવસે ભક્તો નવા વસ્ત્રો પહેરે છે, અને ભગવાનની વિધિવત પૂજા કરે છે. આ તહેવાર પર લોકો તેમના ઘરને પણ ખૂબ શણગારે છે. જન્માષ્ટમી દરમિયાન ઘણી જગ્યાએ દહીં હાંડી વિધિ પણ યોજાય છે.

માખણ, દહીં અને અન્ય દૂધ આધારિત ખાદ્યપદાર્થો માટીના વાસણમાં મૂકવામાં આવે છે, અને આ વાસણને જમીનથી ખૂબ ઊંચાઈએ લટકાવવામાં આવે છે. જે બાદ લોકો તે ઘડા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે, અને તે માટીના વાસણને તોડી નાખે છે.
દહીંહાંડી ઉત્સવ દરમિયાન લોકોની ભીડ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે, દહીં હાંડીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલો છે. જો તમે પણ આ વર્ષે જન્માષ્ટમીના અવસર પર દહી હાંડી ઉત્સવનો આનંદ માણવા માંગતા હોવ, તો તમે આ ખાસ સ્થળોની મુલાકાત લઈ શકો છો.
બાંકે બિહારી મંદિર - આ મંદિર વૃંદાવનમાં રમણ રેતી પર આવેલું છે. તે ભારતના સૌથી મોટા મંદિરોમાંનું એક છે. જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. દર વર્ષે જન્માષ્ટમીના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. જન્માષ્ટમીના ખાસ અવસર પર તમે અહીં દહી હાંડી ઉત્સવની મુલાકાત લઈ શકો છો.
શ્રી કૃષ્ણ મંદિર - શ્રી કૃષ્ણ મંદિર ઉડુપી, કર્ણાટકમાં છે. આ મંદિર દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. આ મંદિર 13મી સદીનું છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે, અહીં નવ છિદ્રવાળી બારીમાંથી શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ નવ છિદ્રની બારી ગ્રહો સાથે જોડાયેલી છે. જન્માષ્ટમી દરમિયાન અહીં ભવ્ય દહીં હાંડીનું આયોજન કરવામાં આવે છે.
ગુરુવાયૂર મંદિર - આ મંદિર કેરળના ત્રિશૂર જિલ્લામાં આવેલું છે. આ સ્થાન ભગવાન કૃષ્ણના કારણે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તે દક્ષિણ ભારતના પ્રસિદ્ધ તીર્થસ્થળોમાંનું એક છે. કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર તમે અહીં મુલાકાત લઈ શકો છો.
ઘાટકોપર - મુંબઈના ઘાટકોપરમાં દર વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે ભવ્ય દહીં હાંડી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં બોલીવુડની હસ્તીઓ પણ ભાગ લે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
