અદભૂતઃ હિમાચલમાં અહીં મળે છે જીવનરક્ષક જડીબુટ્ટી
હિમાચલના કુદરતી ખજાનામાં સિરમોર ફળના બાઉલ તરીકે ઓળખાય છે. રાજ્યના દક્ષિણ-પૂર્વમાં આવેલા આ સ્થળની સ્થાપના ઈ.સ. 1090માં જેસલમેરના રાજા રસાલૂ દ્વારા કરાઈ હતી.
હિમાચલના કુદરતી ખજાનામાં સિરમોર ફળના બાઉલ તરીકે ઓળખાય છે. રાજ્યના દક્ષિણ-પૂર્વમાં આવેલા આ સ્થળની સ્થાપના ઈ.સ. 1090માં જેસલમેરના રાજા રસાલૂ દ્વારા કરાઈ હતી. ભારતમાં બ્રિટિશ કાળ દરમિયાન આ એક રજવાડું હતું. હાલમાં સિરમૌર પોતાના કુદરતી દ્રશ્યો સાથે હિમાચલ પ્રદેશના ખાસ પર્યટન સ્થળોમાંનું એક છે.
હિમાલયને નિહાળવાની સાથે સાથે સિરમોરમાં અનેક આકર્ષણ એવા છે, જે પ્રવાસીઓને પોતાની તરફ ખેંચે છે. અહીંનું અનુકૂળ વાતાવરણ રજાઓ ગાળવા માટે આદર્શ મનાય છે. આ ખાસ લેખમાં જાણો પ્રવાસનના માટે આ હિલસ્ટેશન કેમ ખાસ છે.

ચૂરધાર
PC- Hariom5463
સિરમૌરમાં ફરવાની શરૂઆત તમે ધાર્મિક સ્થળોથી કરી શકો છો. સમૂદ્ર સપાટીથી 3,646 મીટર ઉંચાઈ પર આવેલું ચૂરધાર રાજ્યનું સૌથી ઉંચુ શિખર છે. અહીં શિખર પર ભગવાન શિવના ખાસ તીર્થમાંનું એક પવિત્ર સ્થળ પણ છે. પૌરાણિક માન્યતા અનુસાર ચૂરધાર જ એ જગ્યા છે, જ્યાં હનુમાન મૂર્છિત લક્ષ્મણ માટે સંજીવની શોધવા આવ્યા હતા.
એટલા માટે જ આ પર્વતીય સ્થળનું મહત્વ વધી જાય છે. આજે પણ હિમાલયના જંગલો જડીબુટ્ટીની વિશેષતાઓ માટે પ્રખ્યાત છે. જો તમે સિરમોરની મુલાકાત લો તો આ સ્થળ જોવાનું ન ભૂલશો.

રેણુકા જી
ચૂરધારના પર્વતો ફર્યા બાદ તમે અહીં આવેલા પ્રાચીન તળાવ રેણુકા જીના દર્શન કરવાનો પણ લ્હાવો મેળવી શકો છો. રેણુકા તળાવ હિમચાલ પ્રદેશના ગણતરીના સુંદર પ્રવાસન સ્થળોમાંનું એક છે. અહીં રોજબરોજ હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે.
શ્રદ્ધા સ્થાન ઉપરાંત રેણુકા જી જાણીતું ગેમિંગ અને વન્યજીવ અભયારણ્ય પણ છે. તમે અહીં જુદી જુદી વનસ્પતિ અને પ્રાણીઓ જોઈ શકો છો. હિંદુ કેલેન્ડર મુજબ કારતક માસની અગિયારસે અહીં જુદા જુદા તહેવારો ઉજવવામાં આવે છે.

હરિપુર
PC- subhas4u
સિરમૌરના ઐતિહાસિક સ્થળોમાં તમે હરિપુર ફરવાનું પણ આયોજન કરી શકો છો. સમુદ્ર સપાટીથી લગભગ 687 મીટર ઉંચાઈ પર એવેલું હરિપુર હરિપુર ધાર નામના પહાડ માટે પ્રખ્યાત છે. અહીં પહાડી પર બનેલો પ્રાચીન કિલ્લો પણ પ્રવાસીઓને આકર્ષે છે. આ કિલ્લાનું નિર્માણ સિરમૌરના શાસકો દ્વારા કરાવાયું હતું. આ કિલ્લા પરથી તમે આખા શહેરને નિહાળી શકો છો. હરિપુર જુદી જુદી એડવેન્ચર પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું છે.
અહીં તમે ટ્રેકિંગ કરી શકો છો. આ ઉપરાંત હરિપુર ધાર્મિક સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે. અહીં મા ભાંગયાનનું મંદિર પણ આવેલું છે.

હબ્બન ઘાટી
PC- Ashish Gupta
ઉપરના સ્થળો ઉપરાંત અહીં હબ્બન ઘાટી પણ ફરવા લાયક સ્થળ છે. હબ્બન ઘાટી આધુનિક શહેરની જીવનશૈલીથી બિલકુલ અલગ પોતાના જુદા જુદા મંદિરો અને સંસ્કૃતિઓ માટે જાણીતી છે. અહીં બનેલા મોટા ભાગના મંદિરો રાજપૂત શાસકોએ બનાવડાવ્યા હતા.
શિરગુલ દેવ, પલૂ દેવતા અને ટોકરો તિબ્બા કાલિ માતાના મંદિરો પ્રખ્યાત છે. આધ્યાત્મિક અનુભવ માટે તે અહીં ફરવાનું આયોજન કરી શકો છો.

કેવી રીતે પહોંચશો
PC- Ashish Gupta
સિરમૌર હિમાચલ પ્રદેશના ગણતરીના સ્થળોમાનું એક છે જ્યાં માર્ગ, ટ્રેન અને વિમાન દ્વારા પહોંચી શકાય છે. અહીંથી નજીકનું એરપોર્ટ દેહરાદૂન/ચંદીગઢ એરપોર્ટ છે. તો ટ્રેનથી પહોંચવા માટે તમે જગાધારી/દહેરાદૂન કે પછી કાલકા રેલવે સ્ટેશને ઉતરી શકો છો.
જો તમે ઈચ્છો તો રોડ માર્ગે પણ સિરમોર આવી શકાય છે. સિરમૌર હિમાચલ પ્રદેશના અન્ય શહેરો સાથે રોડ માર્ગોથી જોડાયેલું છે. તમે દિલ્હીથી સિરમૌર સુધી બસ દ્વારા પણ પહોંચી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
