નર્મદા કાંઠે વસેલી મનમોહક સંગેમરમર નગરી
નર્મદા નદીના કિનારે વસેલુ જબલપુર મધ્યપ્રેદશનું એક મહત્વપૂર્ણ શહેર છે. આમ તો આ શહેર અનેક બાબતોના કારણે જાણીતું છે, પરંતુ પ્રવાસનની દ્રષ્ટિએ પણ રાજ્યમાં તેનું મહત્વનું સ્થાન છે. અહીંના ભેડાઘાટમાં સંગેમરમરની ટેકરીઓ જોવા મળે છે, જેથી તેને સંગેમરમર શહેર પણ કહેવામાં આવે છે.
અહીંના સંગેમરમરની ટેકરીઓએ જબલપુરને આખા વિશ્વમાં લોકપ્રિયતા અપાવી છે અને આજે આ શહેર પર્યટન ક્ષેત્રે વિશેષ સ્થાન ધરાવે છે. ભેડાઘાટ પણ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે અને સમયની સાથે આ જબલુપર શહેરની સમકક્ષ ઉભૂ રહેલું જોવા મળે છે. જબલપુર એક પ્રકારે કોસ્મોપોલિટન શહેર છે. પોતાની સામરિક અને ઔદ્યોગિક સંપન્નતાથી તે આર્થિક રીતે ઝડપથી વિકાસ કરી રહ્યું છે.
જબલપુર ઐતિહાસિક રીતે પણ મહત્વનુ શહેર છે. અંગ્રેજો પહેલાં અહીં ગોંડ અને કલીચુરી વંશનું શાસન હતુ. નાના-નાના સમય માટે મરાઠા અને મુગલોનું પણ શાસન રહ્યું હતું.
જબલપુર આવનારા પ્રવાસી પાસે અહીં ફરવા માટે અનેક વિકલ્પ હોય છે. શહેરના તીર્થ સ્થળોમાં ચૌંસઠ યોગિની મંદિર, પિસનહારીની મઢિયા અને ત્રિપુર સુંદરી મંદિર પ્રમુખ છે. ડુમના નેચર રિઝર્વ વધુ એક લોકપ્રિય સ્થળ છે, જે આખો વર્ષ પશુ પ્રેમીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ રીતે જબલપુરનો બરગી ડેમ દેશ અને વિદેશના પક્ષી પ્રેમી પ્રવાસીઓને પોતાની તરફ ખેંચે છે. ડેમની આસપાસના ક્ષેત્ર અને ધુઆંધાર જલપ્રપાત શહેરના ચર્ચિત પિકનિક સ્થળોમાના એક છે.
અન્ય પ્રવાસન સ્થળોમાં તિલવારા ઘાટ, પ્રાકૃતિક હનુમાન તાલ અને અનેક સોહામણા દેખાતા સંગ્રામ સાગર ઝીલનું પણ ખાસ સ્થાન છે. મદન મહલ કિલ્લો અને રાણી દુર્ગાવતી મેમોરિયલ મ્યુઝિયમ આ સ્થળના ગૌરવશાળી અતીતની ઝલક જોવા મળે છે.
પ્રાચીન કાળના અવશેષ આજે પણ કિલ્લા અને શહેરના મંદિરોમાં સુરક્ષિત છે. બેલેન્સિંગ રોક્સ દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. સાથે જ તેમણે જબલપુરમાં પ્રવાસનને વધારો આપવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે. ફોટોગ્રાફીનો શોખ ધરાવનારા લોકોને બરબસની ભેડાઘાટ ખેંચી લાવે છે, જ્યાં સંગેમરમરની અનેક ટેકરીઓ આવેલી છે, નવપરણિત જોડા વચ્ચે આ સ્થળ ઘણું જ લોકપ્રિય છે. તો ચાલો તસવીરોમાં જોઇએ નર્મદા કાંઠે આવેલી મનમોહક નગરી જબલપુરને.

ભેડાઘાટમાં માર્બલ રોક્સ
જબલપુરમાં આવેલા ભેડાઘાટનું માર્બલ રોક્સનું મનોહર દ્રશ્ય

શાઇની રોક્સ
ભેડાઘાટમાં માર્બલ રોક્સનું શાઇની રોક્સ

ચૌસઠ યોગિની મંદિર
જબલપુરનું પવિત્ર તીર્થ ચૌસઠ યોગિની મંદિર

ચૌસઠ યોગિની મંદિરનું એક દ્રશ્ય
જબલપુરમાં આવેલા ચૌસઠ યોગિની મંદિરનું એક દ્રશ્ય

યોગિનીની પ્રતિમા
ચૌસઠ યોગિની મંદિરમાં આવેલી યોગિનીની પ્રતિમા

સુંદર ઝરણું
જબલપુરમાં આવેલું સુંદર ઝરણું

પાણીનો વહેણ
જબલપુરમાં આવેલા સુંદર ઝરણાનો વહેણ

પ્રાચિન કિલ્લો
જબલપુરનો પ્રાચિન મદન મહલ કિલ્લો

બરગી બંધ
જબલપુરમાં આવેલા બરગી બંધનો એક દ્રશ્ય
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
