આખા ભારતમાં માત્ર ગુજરાતના ગીરમાં ગરજે છે એશિયાઇ સિંહ
વન્યજીનવ અને કૂદરતના શોખીનો માટે ખુલ્લામાં ફરતા અને પ્રાકૃતિક પરિવેશમાં વાસ કરતા સિંહ હંમેશા કૌતુહલનો વિષય રહ્યા છે. જો આપ વન્યજીવનના શોખીન અને સિંહનો મોહ રાખતા હોવ તો વિશ્વાસ કરો કે ગુજરાતમાં આવેલું ગીર રાષ્ટ્રીય ઉદ્યાનથી સારું કોઇ સ્થળ નથી. આપને બતાવી દઇએ કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ભારતની એક માત્ર સફારી છે જ્યાં એશિયાઇ સિંહો રહે છે. ગીર વન્યજીવ અભયારણ્ય ભારતના ગુજરાત રાજ્યમાં લગભગ 1424 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ છે. અત્રે નોંધનીય છે કે પનિયા વન્યજીવ અભયારણ્ય, મિતિયાલા વન્યજીવ અભયારણ્ય જેવા સ્થાન પણ ગીરના પ્રમુખ આકર્ષણ છે. તો આવો જોઇએ કે ગીર યાત્રા દરમિયાન તમને અહીં શું શું જોવા મળશે.
- ગીરના એશિયાઇ સિંહ
ગીરનું મુખ્ય આકર્ષણ અત્રેના એશિયાઇ સિંહ છે. આ સ્થાન પર મોટાભાગની માત્રામાં પુષ્પ અને જીવ-જંતુઓની પ્રજાતિયો મળે છે. અત્રે સ્તનધારિયોની 30 પ્રજાતીઓ, સરીસૃપ વર્ગની 20 પ્રજાતીઓ અને કીડા-મકોડા તથા પક્ષિઓની પણ ઘણી બધી પ્રજાતીઓ મળી આવે છે. દક્ષિણી આફ્રીકાના ઉપરાંત વિશ્વનું આ જ એક માત્ર સ્થાન છે જ્યાં સિંહોને પોતાના પ્રાકૃતિક આવાસમાં રહેતા જોઇ શકાય છે. જંગલના સિંહ માટે છેલ્લા આશ્રયના રૂપમાં ગીરનું જંગલ, ભારતના મહત્વપૂર્ણ વન્ય અભયારણ્યોમાંથી એક છે.
ગીરના જંગલને ઇ.સ 1969માં વન્ય જીવ અભયારણ્ય બનાવવામાં આવ્યું અને 6 વર્ષો બાદ તેનું 140.4 વર્ગ કિલોમીટરમાં વિસ્તાર કરીને તેને રાષ્ટ્રીય ઉદ્યાનના રૂપમાં સ્થાપિત કરી દેવામાં આવ્યું. આ અભયારણ્ય હવે લગભગ 258.71 વર્ગ કિલોમીટર સુધી વિસ્તૃત થઇ ચૂક્યું છે. વન્ય જીવોને સંરક્ષણ પ્રદાન કરવાના પ્રયત્નથી હવે સિંહોની સંખ્યા વધીને 312 થઇ ગઇ છે.
- મિતિયાલા વન્યજીવ અભયારણ્ય
ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની બાજુમાં આવેલી જમીનને વર્ષ 2004માં મિતિયાલા વન્યજીવ અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું. આ 18.22 વર્ગ કિમીમાં ફેલાયેલ છે જ્યાં સિંહ અને દીપડાને પોતાના જીવનનો આનંદ માણતા જોઇ શકાય છે. વન્ય જીવનના અન્ય લુપ્તપ્રાય પ્રજાતીઓને પણ જોઇ શકાય છે, જેમકે કાબરચિતરુ હિરણ અને નીલ ગાય. આ વન્યજીવન અને પ્રકૃતિ અંગે જાણવા માટે આદર્શ સ્થાન છે. આપ હંમેશા સિંહને ક્યાંયથી પણ પસાર થતા અને તેનાથી થોડેક જ દૂર દીપડાને નીકળતા જોઇ શકશો. જંગલમાં સવારી રોમાંચ પ્રેમિઓ માટે સારો સમય સાબિત થશે.
- પનિયા વન્યજીવ અભયારણ્ય
પનિયા વન્યજીવ અભયારણ્ય ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર છે અને જે લોકો અભયારણ્યની મુલાકાત તેવા જાય તે લોકો રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં ચારેય બાજું સિંહને જોઇ શકશો. આ અભયારણ્યને ચંચાઇ- પનિયાના નામથી ખોળખવામાં આવે છે, તેને વર્ષ 1989માં અભયારણ્યમાં જાહેર કરવામાં આવ્યું હતું, જે ઘણી વન્ય જીવોના ઘણા લુપ્તપ્રાઇ પ્રજાતિઓને સંરક્ષિત કરે છે. આ ક્ષેત્રના ભ્રમણમાં આપ આસપાસ ફરતા સિંહોને અને તમારી દુનિયામાં ફરતા અન્ય જાનવરોને જોઇ શકશો.
- કેવી રીતે જશો ગીર
જો આપ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જવાની યોજના બનાવી રહ્યા છો તો હવાઇ, રેલવે અને સડક માર્ગ દ્વારા પહોંચી શકશો.
ફ્લાઇટ દ્વારા- નજીકનું હવાઇ આંતરિક કેશોદનું છે જે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનથી 90 કિમીના અંતરે આવેલ છે. એક નજીકનું હવાઇ મથક, દિઉ હવાઇ મથક છે જે ઉદ્યાનથી 100 કિમીના અંતરે આવેલ છે.
રેલવે દ્વારા- નજીકનું રેલવે સ્ટેશન જૂનાગઢ રેલવે સ્ટેશન છે. જૂનાગઢ પહોંચ્યા બાદ, ટેક્સી અથવા બસ દ્વારા ઉદ્યાન સુધી પહોંચી શકાય છે.
સડક માર્ગ દ્વારા- રાષ્ટ્રીય ઉદ્યાનની સૌથી નજીકનું શહેર જૂનાગઢ છે જે 60 કિમીના અંતરે આવેલું છે. જૂનાગઢથી ઉદ્યાન જવા માટે બસો પણ ઉપલબ્ધ રહે છે.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની તસવીરી ઝલક...

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
ગુજરાતમાં આવેલું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ભારતની એક માત્ર સફારી છે જ્યાં એશિયાઇ સિંહો રહે છે. ગીર વન્યજીવ અભયારણ્ય ભારતના ગુજરાત રાજ્યમાં લગભગ 1424 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ છે. અત્રે નોંધનીય છે કે પનિયા વન્યજીવ અભયારણ્ય, મિતિયાલા વન્યજીવ અભયારણ્ય જેવા સ્થાન પણ ગીરના પ્રમુખ આકર્ષણ છે. તો આવો જોઇએ કે ગીર યાત્રા દરમિયાન તમને અહીં શું શું જોવા મળશે.

ગીરના એશિયાઇ સિંહ
ગીરનું મુખ્ય આકર્ષણ અત્રેના એશિયાઇ સિંહ છે. આ સ્થાન પર મોટાભાગની માત્રામાં પુષ્પ અને જીવ-જંતુઓની પ્રજાતિયો મળે છે. અત્રે સ્તનધારિયોની 30 પ્રજાતીઓ, સરીસૃપ વર્ગની 20 પ્રજાતીઓ અને કીડા-મકોડા તથા પક્ષિઓની પણ ઘણી બધી પ્રજાતીઓ મળી આવે છે. દક્ષિણી આફ્રીકાના ઉપરાંત વિશ્વનું આ જ એક માત્ર સ્થાન છે જ્યાં સિંહોને પોતાના પ્રાકૃતિક આવાસમાં રહેતા જોઇ શકાય છે. જંગલના સિંહ માટે છેલ્લા આશ્રયના રૂપમાં ગીરનું જંગલ, ભારતના મહત્વપૂર્ણ વન્ય અભયારણ્યોમાંથી એક છે.

મિતિયાલા વન્યજીવ અભયારણ્ય
ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની બાજુમાં આવેલી જમીનને વર્ષ 2004માં મિતિયાલા વન્યજીવ અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું. આ 18.22 વર્ગ કિમીમાં ફેલાયેલ છે જ્યાં સિંહ અને દીપડાને પોતાના જીવનનો આનંદ માણતા જોઇ શકાય છે.

મિતિયાલા વન્યજીવ અભયારણ્ય
વન્ય જીવનના અન્ય લુપ્તપ્રાય પ્રજાતીઓને પણ જોઇ શકાય છે, જેમકે કાબરચિતરુ હિરણ અને નીલ ગાય. આ વન્યજીવન અને પ્રકૃતિ અંગે જાણવા માટે આદર્શ સ્થાન છે. આપ હંમેશા સિંહને ક્યાંયથી પણ પસાર થતા અને તેનાથી થોડેક જ દૂર દીપડાને નીકળતા જોઇ શકશો. જંગલમાં સવારી રોમાંચ પ્રેમિઓ માટે સારો સમય સાબિત થશે.

મિતિયાલા વન્યજીવ અભયારણ્ય
ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની બાજુમાં આવેલી જમીનને વર્ષ 2004માં મિતિયાલા વન્યજીવ અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું. આ 18.22 વર્ગ કિમીમાં ફેલાયેલ છે જ્યાં સિંહ અને દીપડાને પોતાના જીવનનો આનંદ માણતા જોઇ શકાય છે. વન્ય જીવનના અન્ય લુપ્તપ્રાય પ્રજાતીઓને પણ જોઇ શકાય છે, જેમકે કાબરચિતરુ હિરણ અને નીલ ગાય. આ વન્યજીવન અને પ્રકૃતિ અંગે જાણવા માટે આદર્શ સ્થાન છે. આપ હંમેશા સિંહને ક્યાંયથી પણ પસાર થતા અને તેનાથી થોડેક જ દૂર દીપડાને નીકળતા જોઇ શકશો. જંગલમાં સવારી રોમાંચ પ્રેમિઓ માટે સારો સમય સાબિત થશે.

પનિયા વન્યજીવ અભયારણ્ય
પનિયા વન્યજીવ અભયારણ્ય ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર છે અને જે લોકો અભયારણ્યની મુલાકાત તેવા જાય તે લોકો રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં ચારેય બાજું સિંહને જોઇ શકશો. આ અભયારણ્યને ચંચાઇ- પનિયાના નામથી ખોળખવામાં આવે છે, તેને વર્ષ 1989માં અભયારણ્યમાં જાહેર કરવામાં આવ્યું હતું, જે ઘણી વન્ય જીવોના ઘણા લુપ્તપ્રાઇ પ્રજાતિઓને સંરક્ષિત કરે છે. આ ક્ષેત્રના ભ્રમણમાં આપ આસપાસ ફરતા સિંહોને અને તમારી દુનિયામાં ફરતા અન્ય જાનવરોને જોઇ શકશો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
