અદભુત આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે હિમાચલ પ્રદેશના આ ટોપ 4 મંદિરો
ભારતના ઉત્તરમાં સ્થિત હિમાચલ પ્રદેશ એ રાજ્ય છે જે પોતાની, પ્રકૃતિ, શાંત વાતાવરણ અને સુંદરતાના કારણે દર વર્ષે દેશ-દુનિયાના લાખો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહે છે. આપને જણાવી દઇએ કે પ્રવાસીઓની વધતી સંખ્યાના પગલે વર્તમાનમાં અત્રે પ્રવાસન ઉદ્યોગ ઝડપથી વધી રહ્યું છે.
આજે રાજ્યમાં ઘણા એવા સુંદર જિલ્લાઓ છે જ્યાં દરરોજ હજારો પ્રવાસીઓ ફરવા માટે આવે છે. હિમાચલ પ્રદેશમાં આવેલા આ તમામ જિલ્લાઓની ખાસ વાત છે કે અત્રે તમામ માટે કંઇને કઇ છે. અત્રે આપ ધાર્મિક દ્રષ્ટિએ આવો કે પછી એડવેંચર ટ્રીપ તરીકે હિમાચલ પાસે આપને ખુશ કરવા માટે બધું જ છે.

બૈજનાથ મંદિર
ઇ.સ. 1204માં બે ક્ષેત્રીય વ્યાપારીઓ અહુકા અને મન્યુકા દ્વારા સ્થાપિત બૈજનાથ મંદિર પાલમપુરનું એક પ્રમુખ આકર્ષણ છે અને આ શહેરથી 16 કિમી દૂર સ્થિત છે. હિન્દુ દેવતા શિવને સમર્પિત આ મંદિરની સ્થાપના બાદથી સતત તેનું નિર્માણ થતું રહ્યું છે. મંદિર બહાર આવેલ શિલાલેખ દ્વારા મંદિર નિર્માણ પહેલા શિવના અસ્તિત્વના સંકેત મળે છે. મંદિરની વર્તમાન વાસ્તુકળા નગર શૈલીનું ઉદાહરણ છે, જે મધ્યયુગીન ઉત્તર ભારતીય મંદિર વાસ્તુકળાના રૂપમાં લોકપ્રીય છે. અત્રે શિવલિંગનું સ્વયંભૂ રૂપ છે જેની ઉપર એક શિખર છે. આ મંદિરની એક વાર મુલાકાત ચોક્કસ લેવી જોઇએ.

જ્વાળામુખી મંદિરને જ્વાળાજીના રૂપમમાં પણ ઓળખવામાં આવે છે, જે કાંગડા ઘાટીના દક્ષિણમાં 30 કિમીના અંતર પર સ્થિત છે. આ મંદિર હિન્દુ દેવી જ્વાળામુખીને સમર્પિત છે. જેમના મુખથી અગ્નિનો પ્રવાહ થાય છે. આ સ્થળનું એક અન્ય આકર્ષણ તાંબાનો પાઇપ છે જેમાંથી પ્રાકૃતિક ગેસનો પ્રવાહ થાય છે. આ મંદિરમાં અલગ અલગ 6 અગ્નિની જ્વાળાઓ છે જે મહાકાળી ઉનપૂરના, ચંડી, હિંગળાજ, વિંધ્ય વાસની, મહાલક્ષ્મી સરસ્વતી, અંબિકા અને અંજી દેવીને સમર્પિત છે.
ચિંતપૂર્ણી મંદિર
ચિંતપૂર્ણી મંદિર, ઉનામાં સમુદ્ર સ્તરથી ઉપર 950 મીટરની ઉચાઇ પર સ્થિત છે. આ એક મહત્વપૂર્ણ અને પવિત્ર શક્તિપીઠ છે જે હિંદુ ધર્મની દેવીને સમર્પિત છે. મંદિરથી હિલ સ્ટેશન ભારવેનનું અંતર માત્ર 3 કિમી છે. આ મંદિરને સારસ્વત પંડિત માઇ દાસ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. મંદિરનું મુખ્ય આકર્ષણ એક ગર્ભ ગ્રહ અને ગર્ભગ્રહ અંતરતમ છે જ્યાં દેવીની પ્રતિમા સ્થાપિત છે. આ પત્થરના મંદિરમાં ઉત્તર દિશમાં ઘણા પ્રવેશ દ્વાર છે. અત્રે આવીને શ્રદ્ધાળુઓ ઘણા દેવી-દેવતાઓની પ્રતિમાના દર્શન કરી શકે છે. અત્રે સ્થિત દેવીની મૂર્તિને પિંડીના નામથી ઓળખવામાં આવે છે.

આ મંદિર મનાલીમાં સૌથી જાણીતું છે. આ મંદિર એક ગુફામાં બનેલું છે જે દેવી હિડિમ્બાને સમર્પિત છે. દેવી હિડિમ્બા, હિડમ્બાની બહેન હતી. આ મંદિર હિમાલયની તળેટી પર સ્થિત છે જેના કારણે આસપાસ હરિયાળી છે અને સિડારના જંગલ છે. આ મંદિરનું નિર્માણ ઇ.સ.1553માં એક પત્થરમાં કરવામાં આવ્યું હતું. પત્થરને એ પ્રકારે કાપવામાં આવ્યો કે તેનો આકાર ગુફા જેવો થઇ ગયો. આ ગુફામાં જઇને શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે છે, અને વિશેષ પૂજાનું આયોજન કરી શકે છે.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
