Chitrakoot Dham: ભગવાન રામે ચિત્રકૂટ ધામમાં વિતાવ્યા હતા વનવાસના 11 વર્ષ, માતા અનસૂયા સાથે જોડાયેલો છે ઈતિહાસ
Chitrakoot Dham: ચિત્રકૂટ એ જ સ્થળ છે જ્યાં ભગવાન રામે માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે 14માંથી 11 વર્ષ વનવાસમાં વિતાવ્યા હતા. તુલસીદાસે લખ્યુ છે કે, ''ચિત્રકૂટ કે ઘાટ પર, ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘિસે, તિલક દેત રઘુબીર''. એનો અર્થ એ છે કે 'ભગવાન રામે તેમને ચિત્રકૂટના ઘાટ પર દર્શન આપ્યાં હતાં.'
''ચિત્રકૂટ મે રમિ રહે, રહિમન અવધ-નરેસ, જા પર બિપદા પરત હે, સો આવત યહિ દેસ'' ચિત્રકૂટ ધામનું મહત્વ પણ આ દોહા દ્વારા દર્શાવવામાં આવ્યું છે, કહેવાય છે કે, 'અયોધ્યાના રાજકુમાર પોતાની નગરી છોડીને ચિત્રકૂટમાં વસી ગયા છે. કોઈ આફતના માર્યા લોકો જ આ વિસ્તારમાં આવે છે.'

આ એ જ ચિત્રકૂટ ધામ છે, જ્યાં ઋષિ અત્રિ અને માતા સતી અનુસૂયાએ પણ તપ કર્યું હતું. એવું કહેવાય છે કે માતા અનુસૂયાની તપસ્યાના કારણે અહીં મંદાકિની નદીની ઉત્પત્તિ થઈ હતી. માતા અનુસૂયાએ ચિત્રકૂટમાં જ પોતાના ઘરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બાળ સ્વરૂપમાં રાખ્યા હતા. અહીં માતા સતી અનુસૂયાનું ભવ્ય મંદિર અને આશ્રમ પણ છે.
આજે પણ અહીં રામઘાટ છે, જ્યાં ભગવાન શ્રી રામ સ્નાન કરતા હતા. આ ઘાટ પર રામ ભરત મિલાપ મંદિર પણ છે. આ ઘાટ પર ગોસ્વામી તુલસીદાસજીની પ્રતિમા પણ છે. રામઘાટથી 2 કિલોમીટરના અંતરે મંદાકિની નદીના કિનારે જાનકી કુંડ છે, જ્યાં માતા સીતા સ્નાન કરતા હતા. આ બાબતો પરથી તમે ચિત્રકૂટ ધામનું મહત્વ સમજી શકો છો.
ચિત્રકૂટ ધામ એ ઉત્તરીય વિંધ્ય શ્રેણીમાં આવેલું એક પ્રવાસી નગર છે. ચિત્રકૂટ ધામ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં અને મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં આવે છે. અહીં પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ ટ્રેન દ્વારા છે.
ચિત્રકૂટ ધામ, ચિત્રકૂટથી 8 કિલોમીટર દૂર, સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. ઉત્તર પ્રદેશના દરેક મોટા શહેરોમાંથી અહીં ટ્રેનો જાય છે. આ સિવાય શિવરામપુર રેલ્વે સ્ટેશન પર ઉતરીને રોડ માર્ગે ચિત્રકૂટ ધામ પહોંચી શકાય છે.
જો તમારે પ્લેનમાં આવવું હોય તો તમે અલ્હાબાદ અથવા લખનઉ એરપોર્ટ પર આવી શકો છો. તમે લખનઉ અને અલ્હાબાદ એરપોર્ટથી ટ્રેન અથવા રોડ દ્વારા ચિત્રકૂટ પહોંચી શકો છો. આ બંને જગ્યાએથી ચિત્રકૂટ જવા માટે બસ અને ટ્રેન સેવા ઉપલબ્ધ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
