સચિનની વ્યૂહરચનાને કારણે જીત્યા હતા વર્લ્ડ કપ 2011, સેહવાગે કર્યો ખુલાસો
સચિને આપેલી આ એક સલાહને કારણે ભારત જીત્યું વર્લ્ડ કપ 2011
પૂર્વ ભારતીય ઓનર અને ટીવી ક્રિકેટ એક્સપર્ટ વિરેન્દ્ર સેહવાગે વર્લ્ડ કપ 2011ની જીતનો શ્રેય માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને આપ્યો. ટીવી શૉ 'ક્રિકેટ કી બાત'માં સેહવાગે કેટલાક ખુલાસા કર્યા. જેમાં તેમણે શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં વ્યૂહાત્મક બદલાવ કરવા પાળછનું કારણ પણ જણાવ્યું. જણાવી દઈએ કે સારા ફોર્મમાં હોવા છતાં યુવરાજને આગળ બેટિંગ કરવા નહોતો ઉતાર્યો અને જેને પગલે ધોની-યૂવી વચ્ચે મતભેદ હોવાની પણ ચર્ચા થવા લાગી હતી.

સેહવાગે ખુલાસો કરતા કહ્યું કે સચિન તેંડુલકરે કૂલ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને બેટિંગ ઓર્ડર ચેન્જ કરવાની સલાહ આપી હતી. તેમણે મહેન્દ્ર સિંહ ધોનીને અપર ઓર્ડરમાં બેટિંગ કરવા જવા માટે કહ્યું હતું. જો કે સચિનના આ વ્યૂહાત્મક બદલાવને કારણે ભારતીય ટીમે વર્લ્ડ કપ 2019 પર કબજો જમાવી લીદો હતો. આ ગેમ શ્રીલંકાના પક્ષમાં હતી પણ ધોની અને ગંભીરની 109 રનની પાર્ટનરશીપે આખી ગેમ બદલી નાખી અને ભારત બીજો વર્લ્ડકપ જીતવામાં સફળ થયું.
સેહવાગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, સચિન તેંડુલકરે ધોનીને કહ્યું હતું કે જો જમોડી આઉટ થાય તો બીજો જમોડી જ બેટિંગ માટે ઉતરે અને જો ડાબોડી આઉટ થાય તો ડાબોડી જ ઉતરે. અને વિરાટ કોહલી આઉટ થતાં તેની જગ્યાએ મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ માટે ઉતર્યો, આ કારણે જ સારા ફોર્મમાં હોવા છતાં યુવરાજ સિંહ ચોથા નંબરે નહોતો રમ્યો.
પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અડીખમ 91 રન ફટકાર્યા હતા અને તેમના ક્રિઝ પાર્ટનર ગંભીરે 97 રન ફટકાર્યા હતા. નુવાન કુલસેકરાની ઓવરમાં ધોનીએ ફટકારેલી શાનદાર સિક્સર તો બધાને યાદ જ હશે. આની સાથે જ મહેન્દ્ર સિંહ ધોની મેન ઓફ ધી મેચ બન્યા હતા. શ્રીલંકાના બોલિંગ અટેક મુજબ સચિને વ્યૂહાત્મક બદલાવ કરીને વર્લ્ડકપ સફળ રીતે જીતાવી દીધો.
આ પણ વાંચો- અમદાવાદમાં બુરાડી કાંડ જેવો જ કિસ્સો, એક જ પરિવારના 3 લોકોએ કરી આત્મહત્યા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
