એન શ્રીનિવાસન ફરીથી બનવા માંગે છે બીસીસીઆઇ ચીફ
નવી દિલ્હી, 10 ડિસેમ્બર: આઇપીએલ સ્પૉટ ફિક્સિંગ વિવાદમાં એન. શ્રીનિવાસનની મુશ્કેલીઓ ઓછી નથી. શ્રીનિવાસનના બધા પાંચ સૂચનોને સુપ્રીમ કોર્ટે નકારી કાઢ્યા બાદ શ્રીનિવાસને કોર્ટને લિખિત અંડરટેકિંગ આપ્યું કે જો તેમને બીસીસીઆઇ અધ્યક્ષ પદની ચૂંટણી લડવાની પરવાનગી આપવામાં આવી છે તે આઇપીએલની બેઠકોથી દૂર રહેશે.
શ્રીનિવાસને સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇ અધ્યક્ષ પદની ચૂંટણી લડવાની પરવાનગી માંગી. તમને જણાવી દઇએ કે શ્રીનિવાસનને જો ચૂંટણી લડવાની પરવાનગી મળે છે તો તેમનું બીસીસીઆઇ અધ્યક્ષ બનવાનું નક્કી છે કારણ કે તે આ પદ માટે એકમાત્ર ઉમેદવાર છે.

તો બીજી તરફ બીસીસીઆઇના વકીલ કપિલ સિબ્બલે ન્યાયાધીશ ટીએસ ઠાકુર અને ન્યાયાધીશ એફએમઆઇ કાલીફુલ્લાની ખંડપીઠને જણાવ્યું કે શ્રીનિવાસન આઇપીએલની ગવર્નિંગ કાઉંસિલ અને આઇપીલ સાથે જોડાયેલી બીસીસીઆઇની બેઠકોથી પોતાને દૂર રાખશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર ક્રિકેટ સંઘ દ્વારા એક જનહિત યાચિકા દાખલ કરવામાં આવી છે, જેમાં બીસીસીઆઇ અધ્યક્ષ પદ પરથી શ્રીનિવાસનને સસ્પેંડ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સીએસકેના માલિક તથા દેશમાં ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાના પ્રમુખ હોવાના નાતે શ્રીનિવાસન અને સીએસકેના હિતો ટકરાવવાના અણસાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
