IPL Auction 2025 : ઓક્શનમાં કરોડોમાં વેચાયેલો ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો કેટલા રૂપિયા મળે? જાણો શું કહે છે નિયમો?

IPL Auction 2025 : આઈપીએલ મેગા ઓક્શનમાં ખેલાડીઓ પર કરોડો રૂપિયા ખર્ચાયા છે. ઋષભ પંત અને શ્રેયસ અય્યર પર જ 50 કરોડથી વધુ રૂપિયા ખર્ચાયા છે.

આઈપીએલમાં ઘણી વખત ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ જાય છે. આ સ્થિતીમાં સવાલ એ થાય છે કે જો કોઈ મોંઘો ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો તેને કેટલા રૂપિયા મળે?

Rishabh Pant

જણાવી દઈએ કે, આઈપીએલમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓના પગાર માટે ખાસ નિયમો છે. જો કોઈ ખેલાડી આઈપીએલની હરાજીમાં વેચાયા બાદ એકપણ મેચ રમ્યા વિના ઈજાગ્રસ્ત થાય અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જાય તો તેને ફ્રેન્ચાઈઝી દ્વારા એક પણ રૂપિયો ચુકવવામાં આવતો નથી.

બીજી તરફ જો કોઈ ખેલાડી એક મેચ રમ્યા બાદ ઈજાગ્રસ્ત થઈ જાય અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જાય તો તને પુરૂ રકમ ચુકવવા ફ્રેન્ચાઇઝી બંધાયેલી છે. આ નિયમ IPL રમતા તમામ ખેલાડીઓને લાગુ પડે છે. જો કે ભારતીય ખેલાડીઓ માટે કેટલાક ફેરફાર પણ છે.

ભારતીય ખેલાડીઓને BCCI દ્વારા વીમો આપવામાં આવે છે. જો કોઈ ભારતીય ખેલાડી ટીમ ઈન્ડિયા માટે રમતી વખતે ઈજાગ્રસ્ત થાય છે તો વીમા હેઠળ BCCI તેને ફ્રેન્ચાઈઝી પાસેથી મળતી રકમ ચૂકવે છે. જો તે ઈજાના કારણે આખી સિઝનમાંથી બહાર રહેશે તો ફ્રેન્ચાઈઝી તેને પૈસા નહીં આપે અને તે પૈસા બોર્ડ વિમો તરીકે ચુકવે છે.

BCCI ભારતીય ખેલાડીઓને આ માટે વીમો આપે છે. જો કોઈ ખેલાડી ટીમ ઈન્ડિયાની બહાર હોય અને રમી રહ્યો ન હોય પરંતુ ઈજાગ્રસ્ત થઈ જાય તે સ્થિતિમાં તે ખેલાડીને બીસીસીઆઈ દ્વારા વીમાના પૈસા આપવામાં આવતા નથી. આમ તેને એકપણ રૂપિયો નહીં મળે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X