ભારત અફઘાનિસ્તાન સામે પણ હારશે-શોએબ અખ્તર
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી કરો અથવા મરો મેચમાં કિવી ટીમે વિરાટ સેનાને આઠ વિકેટે હરાવી હતી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી કરો અથવા મરો મેચમાં કિવી ટીમે વિરાટ સેનાને આઠ વિકેટે હરાવી હતી. દુબઈના મેદાન પર રમાયેલી આ મેચમાં ભારતીય બેટિંગ ફરી એકવાર ફ્લોપ સાબિત થઈ હતી અને નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 110 રન જ બનાવી શકી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 33 બોલમાં માત્ર 2 વિકેટના નુકસાને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમની હાર બાદ વિરાટ સેનાના પ્રદર્શનને લઈને સતત નારાજગી જોવા મળી રહી છે અને રમત જગતના ઘણા દિગ્ગજ ખેલાડીઓ પોતાનો અભિપ્રાય આપતા જોવા મળી રહ્યા છે.

હવે આ યાદીમાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું નામ પણ સામેલ થઈ ગયું છે, જેણે ભારતીય ટીમની આકરી ટીકા કરી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ઓપનિંગ જોડી બદલવાની અને રોહિત શર્માને ત્રીજા નંબર પર મોકલવાની ભારતીય ટીમની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે. રાવલપિંડી એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત આ બોલરનું માનવું છે કે વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યા પાસેથી થોડી વહેલી બોલિંગ કરાવવી જોઈતી હતી.
પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા અખ્તરે કહ્યું કે, મને ખબર નથી કે ભારતીય ટીમ કઈ માનસિકતા સાથે રમી રહી હતી. શા માટે ઈશાન કિશન ઓપનિંગ અને રોહિત શર્મા ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યા હતા. હાર્દિક પંડ્યાને બોલિંગ કરાવવામાં આટલો સમય કેમ લાગ્યો, મને ખબર નથી કે ભારતીય ટીમ ક્યાં ગેમપ્લાન સાથે રમી. જાણે સાવ ભૂલાયેલી ભારતીય ટીમ મેદાન પર રમી રહી હતી. વર્લ્ડ કપ વિશે વધુ વાત કરતા શોએબ અખ્તરે કહ્યું કે ભારતીય ટીમ વચ્ચેની ઓવરોમાં સંપૂર્ણપણે હારી ગયેલી દેખાતી હતી.
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારત મેચ બચાવવામાં નિષ્ફળ રહ્યું. અખ્તરે વધુમાં કહ્યું કે ટૂર્નામેન્ટ પહેલા ભારતીય મીડિયાએ જે પ્રકારનું વાતાવરણ બનાવ્યું તે પછી મને પહેલેથી જ ખબર હતી કે ભારતીય ટીમને ખૂબ જ મુશ્કેલ પડવાની છે.
તેમને કહ્યું કે, ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એવું નથી લાગ્યું કે ભારતીય ટીમ રમી રહી છે. ભારતે માત્ર સરેરાશ પ્રદર્શન કર્યું છે. ભારતીય મીડિયાએ જે રીતે વાતાવરણ અને દબાણ ઊભું કર્યું તે પછી મને પહેલેથી જ ખબર હતી કે તે સંઘર્ષ કરવાનો થશે. ભારતીય ટીમે ફરી સાબિત કર્યું કે તેની પાસે નબળું બોલિંગ આક્રમણ છે.
અખ્તરે વધુમાં કહ્યું કે ભારતીય ટીમે જે રીતે પ્રદર્શન કર્યું છે તે જોઈને લાગે છે કે અફઘાનિસ્તાન ટીમ સામે પણ મેચ ન હારી જાય. જો ભારતે પોતાનું સન્માન બચાવવું હોય તો અફઘાનિસ્તાન સામેની મેચ જીતવી પડશે. ભારતીય ટીમ માટે અત્યારે ઘણી બધી બાબતો ખરાબ થઈ રહી છે.
અખ્તરે કહ્યું કે, અફઘાનિસ્તાન સામેની મેચ ભારતીય ટીમ માટે ખરાબ નસીબ લાવી શકે છે, જો ભારતે તેની પ્રતિષ્ઠા બચાવવી હોય તો અફઘાનિસ્તાન સામે કોઈ પણ રીતે જીતવું પડશે. હવે હું જે સમજું છું તે એ છે કે જો અફઘાનિસ્તાનની ટીમ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેશે તો ભારતીય ટીમ મોટી મુશ્કેલીમાં મુકાશે. અબુ ધાબીમાં યોજાનારી આ મેચમાં બોલ અટકી જાય છે અને જો ભારત 150 થી 170 સુધીનો સ્કોર બનાવી શકે છે તો પણ અફઘાનિસ્તાન તેને છોડશે નહીં. આ સમયે ભારત માટે સ્થિતિ ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
