આખરે એવુ તો શું થયુ કે પોતાને રૂમમાં બંધ કરીને વિરાટ કોહલી ખૂબ રડ્યો, પત્ની અનુષ્કાએ ખોલ્યુ રાજ
વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં કેપ્ટન તરીકે વિરાટ કોહલીનો રેકોર્ડ મજબૂત રહ્યો છે. વર્ષ 2018-19 દરમિયાન ભારતે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો હતો. કોહલીના નેતૃત્વમાં ટીમે આ સિદ્ધિ હાંસલ કરી હતી, તે વિરાટ માટે મોટી ઉપલબ્ધિ હતી.
કોહલીની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચાયો, આ જીત સાથે ભારતીય ક્રિકેટ ટીમે સાબિત કર્યું કે તે હવે વિશ્વની સૌથી મજબૂત ટેસ્ટ ક્રિકેટ ટીમોમાંની એક છે. ઓસ્ટ્રેલિયા જેવી પડકારજનક ટીમ સામે ભારતીય ટીમે પોતાની તાકાત અને વ્યૂહરચના શાનદાર રીતે દર્શાવી હતી. જો કે આ પહેલા 2018માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમને 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો.

કરિયરમાં ઘણુ દબાણ અનુભવતો હતો
બોલિવૂડ એક્ટર વરુણ ધવને તાજેતરમાં રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટ 'ધ રણવીર શો' પર વિરાટ કોહલી સાથે જોડાયેલી એક રસપ્રદ માહિતી શેર કરી હતી. વરુણે કહ્યું કે એક સમયે વિરાટ કોહલી તેના ક્રિકેટ કરિયરમાં ઘણું દબાણ અનુભવી રહ્યો હતો અને તે માનસિક રીતે નબળાઈ અનુભવવા લાગ્યો હતો. આ સમય દરમિયાન, વિરાટે તેની માનસિક સ્થિતિ સુધારવા માટે ધ્યાન અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
કોહલી થઈ ગયો હતો ઉદાસ
વરુણ ધવને જણાવ્યું કે 2018માં ઈંગ્લેન્ડ સામે નોટિંગહામ ટેસ્ટમાં ભારતની હાર બાદ વિરાટ કોહલી ખૂબ જ નિરાશ અને ઉદાસ થઈ ગયો હતો. તે સમયે અનુષ્કા શર્માએ પોતાની વાતચીતમાં વિરાટની માનસિક સ્થિતિ વિશે જણાવ્યું હતું. વરુણના કહેવા પ્રમાણે, મેચ બાદ જ્યારે અનુષ્કા વિરાટને મળવા આવી ત્યારે તેણે વિરાટને રૂમમાં રડતો જોયો. વિરાટે સમગ્ર જવાબદારી પોતાના પર લીધી હતી, જ્યારે તે મેચમાં વ્યક્તિગત સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને ટીમનો કેપ્ટન પણ હતો.












Click it and Unblock the Notifications
