ધોની જો સન્યાસ લેત તો ગાવસ્કર ઘરની બહાર ધરણા કરતા
એનડીટીવી સાથે વાતચીતમાં સુનીલ ગાવસ્કરે કહ્યુ કે જો ધોનીએ એક ખેલાડી તરીકે સન્યાસ લીધો હોત તો તેમને પાછા બોલાવવા માટે તેમના ઘરની સામે ધરણા પર બેસનાર હું પહેલો વ્યક્તિ હોત...
ટીમ ઇંડિયાના અત્યાર સુધીના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટી-20 અને એક દિવસીય મેચોની કેપ્ટનશીપ છોડી દીધી છે. કેપ્ટન કૂલના આ અચાનક લીધેલા નિર્ણયથી તેમના ફેંસ હેરાન છે અને આ સમાચાર પર હજુ વિશ્વાસ નથી કરી શકતા. જો કે તેમને રાહત માત્ર એ વાતની છે કે ધોનીએ ક્રિકેટમાંથી સન્યાસ નથી લીધો. આ દરમિયાન લીટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ગાવસ્કરને ખુશી છે કે ધોનીએ માત્ર કેપ્ટનશીપ છોડી છે સન્યાસ નથી લીધો. સુનીલ ગાવસ્કરનું માનવુ છે કે ધોની હજુ પણ ટીમ ઇંડિયામાં ઘણુ યોગદાન આપી શકે છે.

એનડીટીવી સાથે વાતચીતમાં ગાવસ્કરે કહ્યુ કે જો તેમણે એક ખેલાડી તરીકે સન્યાસ લીધો હોત તો તેમને પાછા બોલાવવા માટે તેમના ઘર આગળ ધરણા પર બેસનાર હું પહેલો વ્યક્તિ હોત. એક ખેલાડી તરીકે તે હજુ પણ વિસ્ફોટક છે. ગાવસ્કરે કહ્યુ કે ધોની એક ઓવરમાં મેચની દિશા બદલી શકે છે. ભારતને એક ખેલાડી તરીકે ધોનીની ખાસ જરુર છે. મને ઘણી ખુશી છે કે ધોનીએ એક ખેલાડી તરીકે રહેવાનો નિર્ણય કર્યો. ગાવસ્કરે કહ્યુ કે ધોનીએ કેપ્ટન ના રહેવાથી તેમની બેટિંગ અને વિકેટ કીપિંગમાં મદદ મળશે.
ગાવસ્કરે કહ્યુ કે ધોની મહાન ફિનિશર છે પરંતુ તે નંબર 4 કે 5 પર આવીને મોટો દાવ રમી શકે છે. ગાવસ્કરે કહ્યુ કે ધોની માટે વિકેટ કિપીંગ હવે વધુ સરળ બની જશે કારણકે હવે તેમને બોલિંગમાં બદલાવ અને ક્ષેત્રરક્ષણ વિશે વિચારવાનું રહેશે નહિ. આનાથી ઘણી વાર પોતાનું ધ્યાનભંગ થાય છે. ગાવસ્કરના જણાવ્યા મુજબ ધોની અને કોહલી મેદાનમાં એકબીજાના પૂરક બની શકે છે અને આનાથી નિશ્ચિત રીતે ભારતને મદદ મળશે કારણકે ધોની શાંત ચિત્ત હોવાને કારણે વિરાટને પણ મદદ મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
