મારા દમ પર ક્રિકેટ રમ્યો, કોઈની ભલામણથી આગળ નથી આવ્યોઃ યુવરાજ સિંહ
મારા દમ પર ક્રિકેટ રમ્યો, કોઈની ભલામણથી આગળ નથી આવ્યોઃ યુવરાજ સિંહ
નવી દિલ્હીઃ યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ પહેલીવાર ખુલીની પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. યુવરાજે જે યોગદાન આપ્યું તે ક્યારેય ભૂલાશે નહિ. વર્ષ 2007નો ટી20 વર્લ્ડ કપ કોણ ભૂલી શકે છે, જ્યારે તેમણે ઈંગ્લેન્ડના બેટ્સમેન સ્ટુઅર્ટ બૉર્ડને એક જ ઓવરમાં 6 સિક્સર ફટકાર્યા હતા. પછી 2007માં મેન ઑફ ધી સીરીઝ રહેતા ભારતને ખિતાબ જીતાવ્યો હતો. યુવરાજને જ્યારે મોકા મળવા ઓછા થઈ ગયા ત્યારે તેમણે સંન્યાસ લેવું જ યોગ્ય સમજ્યું. એક ચેનલને આપેલ ઈન્ટર્વ્યૂમાં તેમણે ભારતીય ટીમની સિલેક્શન કમિટી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે વિદાય મેચ ન મળવાનું દુખ નથી કેમ કે જેટલું પણ રમ્યો ખુદના દમ પર રમ્યો છું.

મારા દુમ પર ક્રિકેટ રમ્યો
તેમને પૂછવામાં આવ્યું કે શું વિદાઈ મેચ ન મળવાનું દુખ રહેશે તો યુવરાજે કહ્યું કે આવો કોઈ સવાલ જ પેદા નથી થતો કેમ કે હું જેટલું પણ ક્રિકેટ રમ્યો છું, તે ખુદના દમ પર રમ્યો છું. તેમણે કહ્યું કે, 'હું મારા દમ પર ક્રિકેટ રમ્યો છું. કોઈની ભલામણથી આગળ નથી વધ્યો. સંન્યાસ લેવાનો ફેસલો અઘરો હતો પરંતુ બધા જ ક્રિકેટરની જિંદગીમાં આ પળ આવે છે. મેં માથું ઉંચું કરીને સંન્યાસ લઈ લીધો. મેદાનથી વિદાય થાત તો જરૂર સારું હોત, પરંતુ આ ન થઈ શક્યું.'

કંઈક અફસોસ છે, સમય આવતાં ખુલાસો કરીશ
આ ઉપરાંત યુવરાજે આઈસીસી વર્લ્ડ કપમાં ભારતીય ટીમના થિંક ટેન્ક અને સિલેક્શન કમિટી પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે ઈંગ્લેન્ડમાં રમાયેલ વર્લ્ડ કપ પહેલા યો-યો ટેસ્ટ પાસ કર્યો હતો, પરંતુ છતાં તેમને ટીમમાં જગ્યા ન મળી. જેના પર યુવરાજે કહ્યું કે કેમ સિલેક્ટ ન કર્યો તે સવાલ તમારે બીસીસીઆઈ અથવા ભારતીય કેપ્ટનને પૂછવો જોઈએ કે આખરે તેમની સોચ શું હતી. હું ઘણું ક્રિકેટ રમ્યો અને હા મારી જિંદગીમાં અફસોર છે, જેનો ખુલાસો હું સમય આવતાં કરીશ.

એક અફસોસનો ખુલાસો કર્યો
યુવરાજે પોતાની જિંદગી સાથે જોડાયેલ એક અફસોસનો જરૂર ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે, 'મને એ વાતનો અફસોસ જરૂર છે કે ખેલાડીઓ સાથે સારો વ્યવહાર ન થયો. જ્યારે મેં વાપસી કરી તો 4-5 મેચમાં 800 જેટલા રન બનાવીને દીધા. તમે મને ટીમથી બહાર કરી દીધો. પછી તમે એક વર્ષ નંબર 4 માટે અંબાતી રાયડૂને અપનાવ્યો. વર્લ્ડ કપ પહેલા તે એક સિરીઝમાં સારું પ્રદર્શન ન કરી શક્યો તો તમે તેને પણ બહાર કરી દીધો. પછી તમે ઓપનર કેએલ રાહુલને નંબર 4 પર બેટિંગ કરાવી. પછી દિનેશ કાર્તિકને મોકો મળ્યો. કાર્તિકે કેટલાક મેચમાં સારું પ્રદર્શન કર્યું તો તેને હટાવીને રિષભ પંતને મોકો આપી દીધો.'
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી










Click it and Unblock the Notifications
