IND vs SL : શ્રીલંકા સામે પહેલા મુકાબલામાં કેવી હવે પ્લેઈંગ ઈલેવન? આ ખેલાડીઓને મળી શકે છે ચાન્સ
ભારત અને શ્રીલંકા વચ્ચેની t20 સિરીઝ શનિવારથી શરૂ થવા જઈ રહી છે. આ સિરીઝ માટે ભારતીય ટીમની કમાન સુર્યકુમાર યાદવ સંભાળી રહ્યો છે.
ભારતીય ટીમ 27 જુલાઈથી શ્રીલંકા સામે 3 મેચની T20 શ્રેણી રમવા માટે તૈયાર છે. સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે તો ચરિથ અસલંકા શ્રીલંકાની કેપ્ટનશીપ કરશે.

રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓએ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લીધા બાદ યુવા ખેલાડીઓ માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
T20 ઈન્ટરનેશનલમાં શ્રીલંકા પર ભારતનો દબદબો રહ્યો છે. બંને ટીમો વચ્ચે રમાયેલી 29 મેચોમાંથી ભારતે 19માં જીત મેળવી છે જ્યારે શ્રીલંકાએ માત્ર 9 મેચમાં જીત મેળવી છે. ભારતે શ્રીલંકાની ધરતી પર 8માંથી 5 મેચ જીતી છે.
આ આંકડા દર્શાવે છે કે ભારત શ્રીલંકા સામે મજબૂત સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ ટી-20 શ્રેણીમાં પોતાની તાકાત બતાવવા માટે બેતાબ રહેશે.
T20 વર્લ્ડ કપ અને ઝિમ્બાબ્વે સામેની સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ પાસેથી મજબૂત શરૂઆતની અપેક્ષા રાખવામાં આવશે.
આ સિવાય સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત અને હાર્દિક પંડ્યા જેવા અનુભવી ખેલાડીઓ પર મિડલ ઓર્ડર પર ઘણું નિર્ભર રહેશે. અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓ સાથે બોલિંગ લાઇનઅપ પણ મજબૂત છે.
બીજી તરફ શ્રીલંકાની ટીમ ટી20 વર્લ્ડ કપ 2024માં તેના ખરાબ પ્રદર્શનમાંથી બહાર આવવા માંગે છે. કેપ્ટન ચરિથ અસલંકાને આશા છે કે તે પોતાની ટીમ માટે નવી શરૂઆત કરવામાં સફળ રહેશે.
કુસલ મેન્ડિસ, દિનેશ ચંડિમલ અને દાસુન શનાકા જેવા વરિષ્ઠ ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. બોલિંગમાં વાનિન્દુ હસરંગા અને મથિશા પાથિરાના મહત્વના રહેશે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ અને મોહમ્મદ સિરાજ
શ્રીલંકાની સંભવિત પ્લેઈંગ ઈલેવન : ચારિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાંકા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, દિનેશ ચંદીમલ, દાસુન શનાકા, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાલેજ, મહેશ થીકશાના, મથિશા પાથિરાના અને બિનુરા ફર્નાન્ડો
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
