'હું તેને બીજો મોકો આપેત નહીં', રહાણે વિશે આ ક્રિકેટરે આપ્યું નિવેદન
રહાણેએ પ્રથમ દાવમાં 9 રનના સ્કોર પર કગિસો રબાડાની બોલ પર સ્લિપમાં કેપ્ટન ડીન એલ્ગરના હાથે કેચ આઉટ કર્યા બાદ તેનો દાવ પૂરો કર્યો હતો. પછી બીજા દાવમાં પણ એક રન બનાવીને પેવેલીયન પરત ફર્યો હતો.
નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી અજિંક્ય રહાણે જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ટેસ્ટમાં ધમાકેદાર અડધી સદી ફટકાર્યા બાદ ન્યૂલેન્ડ્સમાં સિરીઝની ત્રીજી ટેસ્ટ ફ્લોપ સાબિત થયો હતો. તે બે ઇનિંગ્સમાં માત્ર 10 રન જ બનાવી શક્યો હતો.

ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા સંજય માંજરેકરનું મોટું નિવેદન સામે આવ્યું
રહાણેએ પ્રથમ દાવમાં 9 રનના સ્કોર પર કગિસો રબાડાની બોલ પર સ્લિપમાં કેપ્ટન ડીન એલ્ગરના હાથે કેચ આઉટ કર્યા બાદ તેનો દાવ પૂરો કર્યો હતો. પછી બીજા દાવમાં પણ એક રન બનાવીને પેવેલીયન પરત ફર્યો હતો. તેમનું ખરાબ ફોર્મ ભારતીય બેટિંગ ઓર્ડર પર વધુ દબાણ લાવી રહ્યું છે. આવી સ્થિતિમાં ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા સંજય માંજરેકરનું મોટું નિવેદન સામે આવ્યું છે.
પુજારાને હું એક મજબૂત ખિલાડી તરીકે જોઉં છું
તેમણે કહ્યું કે, જો તે ત્યાં હોત તો રહાણેને વધુ એક મેચ પણ ન આપત. ESPNcricinfo સાથે વાત કરતા, માંજરેકરે કહ્યું કે, તેણે પાછા જઈને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાની જરૂર છે અને તેની ખોવાયેલું ફોર્મ પરત મેળવવું પડશે. હું રહાણેને બીજો મોકો આપીશ નહીં. પુજારાને હું એક મજબૂત ખિલાડી તરીકે જોઉં છું.
રહાણેએ દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની શ્રેણીમાં 6 ઇનિંગ્સમાં 48, 20, 0, 58, 9, 1 રન બનાવ્યા
માંજરેકરે જણાવ્યું કે, છેલ્લા 3-4 વર્ષોમાં રહાણે વિશે એવું કંઈ નથી બન્યું કે, તે ફોર્મમાં પાછો આવી રહ્યો છે. તેને તેની ઝલક ત્યારે મળી જ્યારે તેણે મેલબોર્નમાં સદી ફટકારી, પરંતુ કંઇ નોંધવા લાયક નથી. ગત વર્ષે MCG ખાતે ઓસ્ટ્રેલિયા સામે 112 રનની ઇનિંદગ્સ રમ્યા બાદ, અજિંક્ય રહાણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં અને ઇંગ્લેન્ડ સામે પણ કોઈ પ્રભાવશાળી ઇનિંગ રમી શક્યો નથી. રહાણેએ દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની શ્રેણીમાં 6 ઇનિંગ્સમાં 48, 20, 0, 58, 9, 1 રન બનાવ્યા હતા.
માત્ર ત્રણ અડધી સદી ફટકારી શક્યો છે
2021 માં ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે 15 મેચમાં 20.25 ની સરેરાશથી માત્ર 547 રન જ બનાવી શક્યો છે. 67ના સર્વશ્રેષ્ઠ સ્કોર સાથે તે માત્ર ત્રણ અડધી સદી ફટકારી શક્યો છે. તે 11 વખત સિંગલ ડિજિટના સ્કોર પર આઉટ થયો હતો, જેના કારણે તે પ્રેસરમાં હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
