વનડે સિરીઝથી બહાર થઈ શકે છે ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટ
વનડે સિરીઝથી બહાર થઈ શકે છે ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટ
India vs England 2021: ભારત વિરુદ્ધ વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન જો રૂટ ટીમથી બહાર થઈ શકે છે. રિપોર્ટ મુજબ 23 માર્ચથી શરૂ થઈ રહેલ ઓડીઆઈ સિરીઝથી જો રૂટને બહાર કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે ઈંગ્લેન્ડની ટીમ રોટેશન પોલિસી પર કામ કરે છે અને ખેલાડીઓને સિરીઝ અને મેચના હિસાબે રોટેટ કરાય છે, આ પોલિસી અંતર્ગત જ તેમને ઓડીઆઈ સિરીઝથી બહાર કરવામાં આવી શકે છે. જો કે ઈંગ્લેન્ડના સિલેક્ટર્સે આ મામલે અંતિમ ફેસલો નથી લીધો, પરંતુ ડેલી મેઈલના રિપોર્ટ મુજબ ટેસ્ટ સિરીઝ બાદ જો રૂટને ઓડીઆઈ સિરીઝમાં આરામ આપવામાં આવી શકે.

જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ ભારત વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની સિરીઝ બાદ પાંચ ટી20 મેચની સિરીઝ અને ત્રણ વનડે મેચની સિરીઝ રમશે. ટી20 સિરીઝમાં જો રૂટને 16 સભ્યોની ટીમમાં ચૂંટવામાં નથી આવ્યા. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના સિલેક્ટર્સ પાછલા કેટલાક સમયથી રોટેશન પોલિસીનું પાલન કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ બાયો બબલમાં ખેલાડીઓને ટીમમાં મોકલવા મુશ્કેલ પડકાર છે, આ હિસાબે માનવામાં આવી રહ્યું છે કે ટી20 સિરીઝમાં જે ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો છે તેમનામાંથી જ વનડ઼ે સિરીઝ માટે ટીમની પસંદગી કરવામાં આવી શકે છે. આ હિસાબે માનવામાં આવી રહ્યું છે કે જો રૂટ વનડે સિરીઝથી બહાર થઈ શકે છે.
ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ ટેસ્ટ સિરીઝમાં જબરદસ્ત ફોર્મમાં છે. એશિયન કંડીશનમાં સતત ત્રણ સદી ફટકારના રૂટે પોતાનું જબરદસ્ત ફોર્મ દેખાડ્યું છે. ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં હાલ બંને ટીમ 1-1થી બરાબરી કરી રહી છે. ચેન્નઈમાં બીજી ટેસ્ટ મેચમાં શર્મનાક હાર બાદ ઈંગ્લેન્ડની ટીમ ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરવાની કોશિશ કરશે. આ વર્ષે રૂટ સતત સફળ બેટ્સમેન રહ્યા છે, પરંતુ પાછલી ટેસ્ટની બંને ઈનિંગમાં રૂટ માત્ર 6, 33 રન જ બનાવી શક્યા. પરંતુ આગલી બે ટેસ્ટ મેચમાં જીત માટે ઈંગ્લેન્ડની ટીમ પોતાની પૂરી તાકાત લગાવી દેશે જેથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બની રહી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
